SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ સમ્યગ્દર્શનની રીત અરીસાનું સ્વચ્છત્વ જણાય છે, તેવી) અવસ્થામાં પણ, દીવાની જેમ કર્તા-કર્મનું અનન્યપણું હોવાથી (એટલે કે જે સ્વચ્છત્વરૂપ પરિણમન = પરમ પારિણામિકરૂપ = જ્ઞાન સામાન્ય = નિષ્ક્રિય ભાવ છે કે જે સ્વપરને જાણવાવાળા વિશેષભાવનો જ સામાન્ય ભાવ છે, માટે જો પરને જાણવાનો નિષેધ કરવામાં આવે તો તે સ્વચ્છત્વનો = ભગવાન આત્માના નિષેધરૂપ પરિણમશે અને સમજ્યા વગર નિષેધ કરવાવાળા ભ્રમને = ભ્રમિત દશાને પામશે અને આ અમૂલ્ય મનુષ્યજન્મ અને વીતરાગનું શાસન મળ્યું તે વ્યર્થ ગુમાવશે. અર્થાત્ જે જાણવાવાળો છે તે) જ્ઞાયક જ છે – પોતે જાણનારો માટે પોતે કર્તા અને પોતાને જાણ્યો માટે પોતે જ કર્મ.. [અત્રે સ્વ-પરનું જાણવું એ ભગવાન આત્મામાં જવાની સીડીરૂપે દર્શાવેલ છે, કારણ કે સ્થૂલથી જ સૂક્ષ્મમાં જવાય અર્થાત્ પ્રગટથી જ અપ્રગટમાં જવાય અર્થાત્ વ્યક્તથી જ અવ્યક્તમાં જવાય એ જ નિયમ છે. કારણ કે જ્ઞાયક જ પોતે જાણનારો છે. જાણવું અને જ્ઞાયક (જાણનાર)ને અનન્યપણું બતાવીને જાણવું (પ્રતિબિંબ) ગૌણ કરતાં જ જ્ઞાયક (જાણનાર) જણાય છે માટે સીડીરૂપ છે.]” ભાવાર્થમાં પંડિત જ્યચંદજી જણાવે છે કે, “...“જ્ઞાયક એવું નામ પણ તેને (અર્થાત્ શુદ્ધાત્માને = દષ્ટિના વિષયને = પરમ પરિણામિક ભાવરૂપ આત્માને) શેયને જાણવાથી આપવામાં આવે છે; કારણ કે શેયનું પ્રતિબિંબ જ્યારે ઝળકે છે ત્યારે જ્ઞાનમાં તેવું જ અનુભવાય છે. તો પણ શેયકૃત અશુદ્ધતા તેને નથી. કારણ કે જેવું શેય જ્ઞાનમાં પ્રતિભાસિત થયું તેવો શાયકનો જ અનુભવ કરતાં (શેયને ગૌણ કરતાં ત્યાં) જ્ઞાયક જ છે. “આ હું જાણનારો છું તે હું જ છું, અન્ય કોઈ નથી' એવો પોતાને પોતાનો અભેદરૂપ અનુભવ થયો ત્યારે એ જાણવારૂપ ક્રિયાનો કર્તા પોતે જ છે અને જેણે જાયું તે કર્મ પણ પોતે જ છે. અત્રે સમજવાનું એ છે કે “આત્મા ખરેખર પરને જાણતો નથી” એવી વાતો કરીને આત્મામાં જવાનો રસ્તો (સીડી) બંધ કરીને શું મળશે ? માત્ર ભ્રમ જ મળશે, કારણ પરને જાણવાનો નિષેધ કરતાં જાણનારનો જ નિષેધ થાય છે.] આવો એક જ્ઞાયકપણામાત્ર (જાણવાવાળો) પોતે શુદ્ધ છે - આ શુદ્ધનયનો વિષય છે. (અત્રે સમજવાનું એ છે કે પ્રથમ જે ‘દષ્ટિના વિષય’ વિશે જણાવ્યું તેમ પર્યાયથી રહિત દ્રવ્ય એટલે કે પ્રતિબિંબથી રહિત એટલે કે પ્રતિબિંબને ગૌણ કરતાં જ ત્યાં જાણનાર રૂપે જ્ઞાયક જ હાજર છે, તે જ દષ્ટિનો વિષય છે. તે જ પરમ પરિણામિક ભાવ છે, તે જ કારણશુદ્ધપર્યાય છે. તે જ કારણશુદ્ધપરમાત્મા છે. તે જ સમયસારરૂપ જીવરાજા છે. એટલે અહીંયા કોઈ જ ભૌતિક છીણીની જરૂર નથી, કારણ આત્મા અભેદ – અખંડ છે. એમાંથી કાંઈ જ નીકળે તેમ નથી અને જે કાઢવાની કોશિશ થશે તો આત્મા પોતે જ નીકળી જશે અર્થાત્ આત્માનો જ લોપ થશે. અને કાઢનાર પોતે આકાશના ફૂલની માફક ભ્રમમાં જ રાચશે તેથી અહીંયા પ્રજ્ઞારૂપી છીણીનો ઉપયોગ કરીને = કતકફળરૂપ બુદ્ધિપૂર્વક તે પ્રતિબિંબરૂપ અર્થાત્ ઉદય ક્ષયોપશમરૂપ ભાવોને ગૌણ કરતાં જ ત્યાં સાક્ષાત શુદ્ધાત્મારૂપ પરમ પરિણામિક ભાવ હાજર જ છે. આ જ
SR No.034447
Book TitleSamyag Darshanni Rit
Original Sutra AuthorN/A
AuthorJayesh Mohanlal Sheth
PublisherShailendra Punamchand Shah
Publication Year
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy