________________
નિયમસાર અનુસાર ધ્યાન અને સમ્યગ્દર્શનનો વિષય
૧૪૫
શ્લોક ૧૪૯ :- “વળી, જે (સહજ તત્ત્વ = શુદ્ધાત્મા) અખંડિત છે (અર્થાત્ આત્મામાં કોઈ ભાગ શુદ્ધ અને કોઈ ભાગ અશુદ્ધ એમ નથી, પૂર્ણ આત્મા – અખંડ આત્મા જ દ્રવ્યદષ્ટિએ શુદ્ધાત્મારૂપ જણાય છે), શાશ્વત છે (અર્થાત્ ત્રણે કાળ એવો ને એવો ઊપજે છે = પરિણમે છે), સકળ દોષથી દૂર છે (અર્થાત્ સકળ દોષથી ભેદજ્ઞાન કરેલ હોવાથી તે શુદ્ધાત્મા સકળ દોષથી દૂર છે), ઉત્કૃષ્ટ છે (અર્થાત્ સિદ્ધસદશભાવ છે), ભવસાગરમાં ડૂબેલા જીવસમૂહને (અર્થાત્ સર્વ સંસારી જીવોને) નૌકા સમાન છે (અર્થાત્ મુક્તિનું કારણ છે અર્થાત્ સમ્યગ્દર્શનનો વિષય છે) અને પ્રબળ સંકટોના સમૂહરૂપી દાવાનળને (અર્થાત્ કોઈ પણ પ્રકારના ઉપસર્ગરૂપ સંકટોમાં પોતે શાંત રહેવા) માટે જળ સમાન છે (અર્થાત્ શુદ્ધાત્માનું અવલંબન લેતાં જ સંકટો ગૌણ થઈ જાય છે, પર થઈ જાય છે), તે સહજ તત્ત્વને હું પ્રમોદથી સતત નમું છું.” અર્થાત્ પ્રમોદથી સતત ભાવું છું, તેનું જ ધ્યાન કરું છું.
ગાથા ૧૦૭ : અન્વયાર્થ :- “નોકર્મ અને કર્મથી રહિત (અર્થાત્ પ્રથમ, પુદ્ગલથી ભેદજ્ઞાન કર્યું કે જે આત્માથી પ્રગટ ભિન્ન છે) તથા વિભાવગુણપર્યાયોથી વ્યતિરિક્ત (અર્થાત્ બીજું, આત્મા જે કર્મોના નિમિત્તે વિભાવભાવરૂપ અર્થાત્ ઔદેયિક ભાવરૂપ પરિણમે છે તેનાથી ભેદજ્ઞાન કર્યું અર્થાત્ તે ભાવો થાય છે તો આત્મામાં જ – મારામાં જ, પરંતુ તે ભાવ મારું સ્વરૂપ ન હોવાથી તેમાં હુંપણું નહિ કરતાં અર્થાત્ તેને ગૌણ કરતાં જ તેનાથી રહિત શુદ્ધાત્મા પ્રાપ્ત થાય છે, તેવા) આત્માને (અર્થાત્ શુદ્ધ આત્માને) જે ધ્યાવે છે, તે શ્રમણને (પરમ) આલોચના છે.”
શ્લોક ૧૫ર :- “ઘોર સંસારના મૂળ એવાં સુકૃત અને દુષ્કતને સદા આલોચી આલોચીને (અર્થાત્ સમયસાર ગાથા ૬ અનુસારનો ભાવ અર્થાત્ જે પ્રમત્ત પણ નથી અને અપ્રમત્ત પણ નથી એવો એક જ્ઞાયકભાવરૂપ અને બીજું, અને પુણ્ય અને પાપ, બંનેને ઘોર સંસારના મૂળ કહ્યાં, તેના વિશે અમે પૂર્વે જણાવ્યા અનુસાર સમજવું અર્થાત્ બન્ને આત્માને બંધનરૂપ હોઈને સંસારથી મુક્તિ માટે ઇચ્છનીય નથી છતાં કોઈએ એવું ન સમજવું કે પાપ ને પુણ્ય, એ બંને હેય હોવાથી આપણને પાપ કરવાનો પરવાનો મળેલ છે. તેવું સમજશે તે નિયમથી અનંત સંસારી જ છે; પરંતુ પાપનો વિચાર પણ નહિ કરતાં, માત્ર આત્મલક્ષે સુકૃત કરવા જેવું છે અને તે શુભ ભાવ પણ શુદ્ધ ભાવથી વિરુદ્ધભાવ હોવાથી, શુદ્ધ ભાવમાં હુંપણું કરતાં અથવા માત્ર શુદ્ધ ભાવનાં લક્ષે ભલે આપ નિયમથી શુભમાં જ રહો પણ તેના ઉપર આદરભાવે નહિ. આદરભાવ માત્ર શુદ્ધ ભાવ ઉપર જ અને રહેવું પણ છે શુદ્ધ ભાવમાં જ, પરંતુ જો આપ શુદ્ધ ભાવથી અલિત થાવ અથવા શુદ્ધ ભાવની પ્રાપ્તિ ન થઈ હોય તો શુદ્ધ ભાવનાં લક્ષે રહેવું નિયમથી શુભમાં જ. અશુભ ભાવનો તો પડછાયો પણ લેવા યોગ્ય નથી, તેથી અત્રે કોઈએ છળ ગ્રહણ કરી શુભ ભાવ છોડીને અશુભનું આચરણ ન કરવું. ત્રીજું, અને દષ્ટિના વિષયરૂપ શુદ્ધાત્મા ઈષ્ટ છે કે જેમાં સુકૃત અને દુષ્કૃતરૂપ વિભાવભાવને સદા આલોચી આલોચીને અર્થાત્ અત્યંત ગૌણ કરીને) હું નિરૂપાધિક (સ્વાભાવિક) ગુણવાળા શુદ્ધાત્માને આત્માથી જ અવલંબું છું. (અર્થાત્ શુદ્ધાત્મામાં જ રહેવાનો પ્રયત્ન કરું છું, પછી