________________
કરુણાની અક્ષયધારા
ઝાકઝમાળ ભરેલી દુનિયામાં બેહાલ ઇન્સાનના દિલની વેદના કે પેટની ભૂખની કોને ખબર છે ? ભવ્ય ઉત્સવોમાં વાગતાં બેંડવાજાં કે ડી.જે. અથવા ધાર્મિક મહોત્સવોમાં ઊડતી ધનની આંધળી રેલમછેલ કે પછી રાજકીય રૂઆબ છાંટવા માટે વપરાતા કરોડો રૂપિયાના ખણખણાટમાં ભૂખ્યા પેટનો તરફડાટ કોને સંભળાય ? એ ફૂટપાથ, લૅટફૉર્મ કે રસ્તે રઝળતી જિંદગીને કોણ આશાયેશ આપી શકે ? ઈશ્વરે માનવીને પેટ આપવાની સાથોસાથ ભુખની અસહ્ય પીડા આપી છે. જેણે ભૂખનું જીવલેણ દુ:ખ વેઠ્યું છે, એની કહાની લખવા માટે આંસુની કલમ પણ બેજાન છે.
ઊંચા આવાસો, સિદ્ધિ-પ્રસિદ્ધિના
સમારંભો કે પછી થતાં ભવ્ય આયોજનો નારાયણન્ ક્રિશ્નન્ કરનારને ક્યારેય કોઈ ફૂટપાથ પર કે કોઈ
પુલની નીચે બેહાલ દશામાં, ભૂખથી તરફડતા