________________
રાષ્ટ્રહિતની ચિંતા એક સમયે ગ્રીસ દેશ પર તુર્કસ્તાનનું આધિપત્ય હતું. તુર્કસ્તાન એક એવો કાયદો ઘડી રહ્યું હતું કે જેનાથી ગ્રીસના નગરજનોનું અપમાન થાય. આ અંગે ગ્રીસનું એક પ્રતિનિધિમંડળ તુર્કસ્તાનના પ્રધાનમંત્રીને મળવા આવ્યું અને એમને નમ્રતાપૂર્વક વિનંતી કરી કે આ કાયદો ગ્રીસના નાગરિકોને માટે અપમાનજનક બની રહેશે.
તુર્કસ્તાનના પ્રધાનમંત્રીએ ગ્રીસના પ્રતિનિધિમંડળની વિનંતીનો સ્વીકાર કર્યો. આ પ્રતિનિધિમંડળને નગરથી દૂર આવેલા એક બંગલામાં અલગ ઉતારો આપવામાં આવ્યો હતો અને આ સ્વીકારની વાત પણ તુર્કસ્તાનના અધિકારીઓએ બને એટલી ગુપ્ત રાખી હતી અને ગ્રીસના પ્રતિનિધિમંડળને મુક્તપણે હરવા-ફરવાની છૂટ પણ આપી નહીં.
ગ્રીસના પ્રતિનિધિમંડળને આશ્ચર્ય થયું, ત્યારે પ્રધાનમંત્રીએ ખુલાસો કરતાં કહ્યું, ‘અમે તમારો મેળાપ નગરજનો સાથે થાય, એવું અત્યારે ઇચ્છતા નથી. ફરી તમે તુર્કસ્તાન આવશો તો આખાય દેશમાં તમને પ્રેમથી ભ્રમણ કરાવીશું.’ | ‘પણ એમાં અમને તુર્કસ્તાનમાં હરવા-ફરવાની અને નાગરિકોને મળવાની મોકળાશ કેમ નહીં?”
તુર્કસ્તાનના પ્રધાનમંત્રીએ કહ્યું, “અત્યાર સુધી અમારા દેશના લોકો એમ માને છે કે અધિકાર અને ન્યાય તમને તમારી શક્તિથી મળે છે. એને હાંસલ કરવા માટે લડત આપવી પડે છે. પ્રજાએ મહેનત કરવી પડે છે. હવે જો અત્યારે તમે અમારા નાગરિકોને મળો, તો એમને એમ ખ્યાલ આવે કે વિનંતી કરવાથી પણ પ્રાપ્તિ થાય છે અને તેથી એ
પુરુષાર્થ કરવાને બદલે પ્રમાદી બની જાય. આથી અમે તમને તુર્કસ્તાનમાં ફરવા દઈને હિસાથે અમારા રાષ્ટ્રનું અહિત કરવા ઇચ્છતા નહોતા. અમારે માટે રાષ્ટ્ર સર્વોપરી છે.” તુર્કસ્તાનના
પ્રધાનમંત્રીનો ખુલાસો સાંભળીને ગ્રીસનું પ્રતિનિધિમંડળ એમના સ્વાવલંબન અને સ્વાભિમાનની મંત્ર માનવતાનો
ભાવના જાણીને ધન્ય બની ગયું.
70