________________
શત્રુને મિત્રા અમેરિકાના સોળમા પ્રમુખ અબ્રાહમ લિંકન (ઈ. સ. ૧૮૦૯થી ઈ. સ. ૧૮૬૫)ના સમયમાં અમેરિકામાં આંતરવિગ્રહ જાગ્યો. લિંકનની સમવાય સરકાર અને અમેરિકાનાં દક્ષિણનાં રાજ્યો વચ્ચેનો આ વિગ્રહ પરાકાષ્ઠાએ પહોંચ્યો. ઉત્તરનાં રાજ્યોએ અબ્રાહમ લિંકનને તત્કાળ લશ્કરી પગલાં ભરવાની માંગ કરી અને અમેરિકામાં ખેલાયેલું “ધ બૅટલ વ બુલ’ નામનું ઘમસાણ યુદ્ધ વાસ્તવમાં એનો લોહિયાળ આંતરવિગ્રહ હતો.
આ યુદ્ધકાળમાં લિંકનની માનવતા વધુ ઝળકી ઊઠી. આ સમયે લિંકન કાર્યાલયમાં આવતા હજારો પત્રો પર જાતે નોંધ લખતા અને એ અંગે જરૂરી પગલાંઓ માટે સૂચન કરતા. એક વાર એક મહિલાએ નોકરીની શોધમાં મદદરૂપ થવા પ્રમુખને વિનંતી-પત્ર લખ્યો, ત્યારે પ્રમુખ અબ્રાહમ લિંકને તેની કામ કરવાની તૈયારીને પ્રોત્સાહન આપ્યું. પોસ્ટમાસ્તર જેવી સામાન્ય નિમણૂકો જાતે રસ લઈને કરતા. જાતે પોતાના બૂટની પૉલિશ કરતા અને રોજ એકાદ કલાકથી વધુ સમય નાગરિકોને મળવા પાછળ ફાળવતા.
અબ્રાહમ લિંકને ગુલામી પ્રથાની નાબૂદીની ઘોષણા કરતાં ચાલીસ લાખ ગુલામો મુક્ત થયા અને યુદ્ધની બાજી પલટાવા લાગી. અનાથ બાળકો, નોંધારી વિધવાઓ અને લશ્કરી છાવણીમાં રહેલા યુદ્ધકેદી જવાનો પ્રત્યે અપાર સહાનુભૂતિ રાખતા. દરેકને માટે વ્યક્તિગત ધોરણે કંઈક કરી છૂટતા.
તેઓ કહેતા, “અંતે તેઓ પણ આપણા જેવા સંવેદનશીલ માનવીઓ છે. યુદ્ધમાં પણ મર્યાદાની એક રેખા હોવી જોઈએ. એમાં ક્રૂર કે નિર્દય બનવાનું ન હોય.”
અબ્રાહમ લિંકનની આવી વાત સાંભળીને એક વૃદ્ધા ઉશ્કેરાઈ ગઈ. એણે કહ્યું, પ્રમુખ, તમે તે કેવા છો ? જે શત્રુઓનો વિનાશ કરવો જોઈએ, એમની સાથે - માનવતાભર્યો વ્યવહાર રાખવાની વાત કરો છો !”
અબ્રાહમ લિંકને વૃદ્ધાના ચહેરા પરના ઉશ્કેરાટને હસીને અળગો કરતાં કહ્યું, મંત્ર માનવતાનો “મૅડમ, એમને મિત્ર બનાવીને હું શત્રુઓનો વિનાશ કરું છું.”
GS
જાની,
16