________________
ઇતિહાસ એ જ ઈશ્વર
ગ્રીસના મહાન તત્ત્વજ્ઞાની અને વિચારક સૉક્રેટિસને એથેન્સના યુવાનોને બહેકાવવાના ખોટા આરોપ હેઠળ દેહાંત દંડની સજા ફરમાવવામાં આવી. કારાવાસમાં સોક્રેટિસ એની સજાની રાહ જોતો હતો, ત્યારે વહેલી સવારે એનો જૂનો દોસ્ત ક્રિટો મળવા આવ્યો. એણે જેલમાંથી સૉક્રેટિસને ગુપ્ત રીતે બહાર લઈ જવાની ગોઠવણ કરી હતી, પણ સૉક્રેટિસ આ રીતે જેલમાંથી ભાગી જવા સહેજે તૈયાર નહોતો.
ક્રિટોએ એવી દલીલ કરી કે જો સૉક્રેટિસ દેહાંતદંડ પામશે, તો લોકો એમ માનશે કે એના મિત્રોએ એને બચાવવાની કોઈ કોશિશ કરી નહીં. ક્રિટોએ કહ્યું કે એને બચાવવા માટે એના મિત્રો ગમે તેટલું ધન વાપરવા માટે તૈયાર છે અને સૉક્રેટિસને દેશબહાર વસવામાં કોઈ તકલીફ પડશે નહીં તેવી વ્યવસ્થા પણ કરી છે. વળી ક્રિટોએ કહ્યું કે જો એ જેલમાંથી ભાગી નહીં જાય, તો એના દુશ્મનોને અન્યાય કરવામાં મદદરૂપ બનશે અને એ રીતે સૉક્રેટિસ પોતાની જાતને અન્યાય કરશે. વળી આવી રીતે મૃત્યુ પામીને સૉક્રેટિસ પોતાનાં સંતાનોને પિતાવિહોણાં બનાવશે.
આ સાંભળી સોક્રેટિસે હસીને ક્રિટોને કહ્યું, ‘ક્રિટો, આજ સુધી મેં તને સત્ય અને નિર્ભયતાના પાઠ શીખવ્યા અને તું આજે મને અસત્ય અને ભયના પાઠ ભણાવી રહ્યો છે. આવું કેમ ?'
ક્રિટોએ કહ્યું, “ગુરુજી, આ સમય તર્ક કરવાનો નથી. અત્યારે સત્ય-અસત્યનો પ્રશ્ન નથી. સવાલ છે પ્રાણરક્ષાનો.'
સૉક્રેટિસે દઢતા સાથે કહ્યું, “મારા પ્રાણની રક્ષાના મોહમાં તું એ ભૂલી ગયો કે મને Pી પ્રાણથી પણ સત્ય વધારે પ્રિય છે. મને દેહાંતદંડ આપવામાં આવે છે તેનાથી ભયભીત તિજ થઈને હું કઈ રીતે સત્યથી મોં ફેરવી લઉં? આવી રીતે નાસી જાઉં તો ભગવાન મને ક્ષમા મંત્ર માનવતાનો આપે, પણ ઇતિહાસ મને ક્યારેય ક્ષમા નહીં આપે અને દેશનો ઇતિહાસ એ જ મારા માટે
138 ભગવાન છે, માટે તું અહીંથી ચાલ્યો જા.'
f