________________
મહાનતાની પરીક્ષા
અમેરિકામાં વસાહત સ્થાપનાર અંગ્રેજ સાહસવીર અને લેખકે વૉક્ટર તેને ઇંગ્લૅન્ડની રાણીએ અમેરિકામાં વસાહત સ્થાપવાનો અધિકાર આપ્યો હતો. ‘સર’નો પ્રતિષ્ઠિત ઇલકાબ પામેલા વૉલ્ટર રેલેએ અમેરિકાના ઘણા અજાણ્યા પ્રદેશો શોધ્યા. સર વૉક્ટર રેલ તલવારબાજીમાં અતિ નિપુણ હતા અને એ સમયે યુરોપમાં વિશાળ મેદાન પર પ્રેક્ષકોના મનોરંજન માટે તલવારબાજી ખેલાતી હતી અને લાખો લોકો એને નિહાળવા માટે આવતા હતા.
એક યુવકે સર વૉલ્ટર રેલેને પડકાર ફેંકતાં કહ્યું, 'તમારી તલવારબાજી અતિ પ્રસિદ્ધ છે, પરંતુ મારો સામનો કરો તો ખરા !' યુવકની જોશીલી જબાન સાંભળીને સર ૉક્ટર રેલેએ કહ્યું,
‘માત્ર મનોરંજન માટે યુદ્ધ કરવું એ સમજદારી નથી. યુદ્ધને બદલે શાંતિ વધુ સારી છે, તેથી વ્યક્તિએ શાંતિપૂર્વક જીવન જીવવામાં વિશેષ વિશ્વાસ રાખવો જોઈએ.’
સર વૉલ્ટર રેલેના પ્રત્યુત્તરને યુવાન એમની નિર્બળતા સમજ્યો અને એથી એણે અહંકાર પ્રગટ કરતાં કહ્યું કે, ‘તમારામાં મારી સામે તલવારબાજી ખેલવાની તાકાત જ ક્યાં છે ?' આમ કહીને એ સર વૉલ્ટર રેલેના મુખ પર થૂંકીને ભાગ્યો. લોકો એ યુવકનો પીછો કરીને પકડી લાવ્યા.
મહાન પોહા અને સર્વત્ર આદરપાત્ર એવા સર વૉલ્ટર રેલેએ સહજતાથી રૂમાલ કાઢીને થૂંક લૂછતાં કહ્યું, જેટલી સરળતાથી આ થૂંક લૂછી રહ્યો છું. એટલી જ સરળતાથી જો હું મનોરંજન માટે માનવહત્યાનું પાપ કરી શકતો હોત, તો તારી સાથે તલવારબાજી ખેલવામાં એક પળનો પણ વિલંબ કરત નહી."
વૉલ્ટર રેલેનાં માર્મિક વચનો સાંભળીને યુવકના પગ તળેથી જમીન ખસવા લાગી. એણે વૉલ્ટર રેલેની ક્ષમા માગતાં કહ્યું, “સર, આપ સાચે જ મહાન છો. તમારી સહનશીલતા, કરુણા અને દયા દૃષ્ટાંતરૂપ છે.'
મંત્ર માનવતાનો 127