________________
એમણે બાળક ખલિલ જિબ્રાનને કહ્યું, “આ તે તારી કેવી વિચિત્ર ટેવ છે ! આ પુસ્તકને સહેજે રેઢું મૂકતો નથી ? આખો દિવસ આમ એક ને એક ચિત્રો શું જોયા કરે છે ?"
ખલિલ જિબ્રાનના પિતાનું નામ હતું ખલિલ જુબ્રાન. પિતાનો આવો ઠપકો સાંભળતાં ખલિલ જિબ્રાન રડી ઊઠ્યો. એના પિતાને આશ્ચર્ય થયું કે આ બાળકને થયું શું ? સહેજ ઠપકો આપ્યો અને આટલું બધું માઠું લાગ્યું ! એમણે એને પાસે બોલાવ્યો અને કહ્યું,
બેય, મારી સલાહ તારા ભલા ખાતર છે. તારે એ સમજવી જોઈએ.”
બાળક ખલિલ જિબ્રાને કહ્યું, “પિતાજી, હું ક્યાં અહીંનો છું કે તમારી વાત સમજી શકું ? હું તો લિયોનાર્ડો દ વિન્ચીના જમાનાનો
બાળપણથી ચિત્રકલામાં ઊંડો રસ ધરાવનાર ખલિલ જિબ્રાનનાં ચિત્રોનું એકવીસમા વર્ષે અમેરિકાના બોસ્ટન શહેરમાં પ્રદર્શન યોજાયું અને એની નવતર શૈલીએ ચિત્રજગતના તજ્જ્ઞોનું ધ્યાન ખેંચ્યું.
પચીસમા વર્ષે ફરી ચિત્રકલાના અભ્યાસ માટે પ્રેરિત ગયા. બે વાર એમનાં ચિત્ર પ્રદર્શનો પણ યોજાયાં. શબ્દ અને ચિત્રના માધ્યમ દ્વારા સત્ય અને સૌંદર્યને પ્રગટ કરતા એમના પુસ્તક “ધ પ્રોફેટ' માટે ખલિલ જિબ્રાને બાર જેટલા મૌલિક શૈલીવાળાં ચિત્રો તૈયાર કર્યા. એમનાં ચિંતનાત્મક લખાણોની સાથોસાથ એમનાં ચિત્રોની શૈલીએ ખલિલ જિબ્રાનને કલાજગતમાં શાશ્વત સ્થાન અપાવ્યું.
રશિયાના વિખ્યાત નવલિકાકાર
એન્ટન ચેખોવને મળવા માટે ત્રણ સ્ત્રીઓ પોતાની આવી. આ સ્ત્રીઓએ વિચાર્યું કે આવા
મહાન સર્જકને મળીએ છીએ તો એમની ભાષા.
સાથે સામાન્ય વાત ન થાય, આથી ત્રણેએ
કોઈ ગંભીર પ્રશ્ન વિશે એમની સાથે વાર્તાલાપ કરવાનું નક્કી કર્યું. એ સમયે ગ્રીસ અને તુર્કસ્તાન વચ્ચે યુદ્ધ ચાલતું હતું.
એક મહિલાએ આ ગંભીર પ્રશ્નને પ્રસ્તુત કરતાં કહ્યું, “ગ્રીસ અને તુર્કસ્તાનના યુદ્ધની બાબતમાં આપનું શું મંતવ્ય
ઍન્ટન ચૅખોવે કહ્યું, “મારી ધારણા મુજબ આ યુદ્ધનો અંત શાંતિમાં આવશે.”
બીજી મહિલાએ પ્રશ્ન કર્યો, “આ યુદ્ધમાં કોની જીત થાય તેવું તમને લાગે છે ? ગ્રીસની થશે કે તુર્કસ્તાનની ?”
અંન્ટન ચેખોવે કહ્યું, “મારી ધારણા પ્રમાણે તો જે વધુ શક્તિશાળી હશે, તે વિજયી બનશે.”
ત્રીજી સ્ત્રીએ પ્રશ્ન કર્યો, “તમારી દૃષ્ટિએ કોણ વધુ
જન્મ : ૯ જાન્યુઆરી, ૧૮૮૩, ઓટોમન, સીરિયા અવસાન : ૧0 એપ્રિલ, ૧૯૩૧, ન્યૂયૉર્ક સિટી, અમેરિકા
૯૨
મનની મિરાત
મનની મિરાત ૯૩