________________
ખબર પડે કે આમાં મેં આપની ટીકા કરી છે, તો તેઓ મને આ પુસ્તકનો પ્રકાશનખર્ચ આપે.”
દીદરોએ હસતાં હસતાં એને પોતાના એક પ્રખર વિરોધીનું નામ આપ્યું અને કહ્યું, “તું એને મળી આવ. એ મારાથી બેહદ નારાજ છે. આ પુસ્તક તું એને અર્પણ કરીશ, તો એ ખુશ થઈને ઊલટભેર સારી એવી રકમ આપશે.”
નવોદિત વિચારમાં પડ્યો. એણે કહ્યું, “મને આવી અર્પણ-પત્રિકા લખતાં ક્યાં આવડે છે ?”
દીદેરીએ જવાબ આપ્યો, “એની સહેજે ચિંતા કરીશ નહીં, હું જ તને લખી આપું છું.” અને આમ કહીને દેનિસ દીદરોએ પોતાના પ્રખર વિરોધીના ગુણોને દર્શાવતી સરસ મજાની અર્પણ-પત્રિકા લખી આપી.
માત્ર સોળ વર્ષની વયે “ધ પ્રોફેટ'
જેવું યશસ્વી પુસ્તક સર્જનાર ખલિલ ચિત્રષ્ટિમાં જિબ્રાને શરૂઆતનાં વર્ષોમાં પોતાના
વતનમાં માતા-પિતા પાસે ઘેર રહીને રમમાણ .
શિક્ષણ લીધું. ચાર વર્ષના જિબ્રાને એક
વાર ઘરની બહારના બગીચામાં એક ખાડો ખોદ્યો અને એમાં કાગળના ટુકડા નાખ્યા. એ પછી એના પર ધૂળ અને ખાતર નાખ્યાં. એ રોજ રાહ જોઈને બેસતો કે કાગળના એ ટુકડાઓમાંથી છોડ ક્યારે ઊગશે ? એ કલ્પના કરતો કે એ છોડ પર કેટલાય મોટા મોટા કાગળો લટકતા હશે અને એ લટકતા કાગળો તોડીને એના પર એ સરસ મજાનાં ચિત્રો દોરશે.
આ સમયે એને ઇટાલીના વિશ્વપ્રસિદ્ધ ચિત્રકાર લિયોના દ વિન્ચીનાં ચિત્રોનું એક પુસ્તક મળ્યું અને બાળક ખલિલ જિબ્રાન એ ચિત્રસૃષ્ટિમાં ડૂબી ગયો. પ્રત્યેક પૃષ્ઠ પરનાં ચિત્રો ખુબ રસપૂર્વક જોતો રહ્યો. લિયોનાર્ડો દ વિન્ચીનું આ પુસ્તક ખલિલ જિબ્રાનને પ્રાણથી પણ વહાલું થઈ ગયું. સહેજ સમય મળે તો એ જોવા લાગતો. અને બધું ભૂલીને એ ચિત્રસૃષ્ટિમાં રમમાણ બની જતો.
આ જોઈને એક વાર એના પિતા પણ અકળાયા અને
જન્મ : ૫ ઑક્ટોબર, ૧૩૧૩, લચેર, ફ્રાન્સ અવસાન : ૧૧ જુલાઈ, ૧૭૮૪, પેરિસ, ફ્રાન્સ
૯૦
મનની મિરાત
મનની મિરાત ૯૧