________________
નેપોલિયને વૃદ્ધાને કહ્યું, “આ પર્વતના માર્ગમાં આવનારી મુશ્કેલીઓની વાત કરીને તમે પડકારના શોખીન એવા મારા હિંમત અને ઉત્સાહ વધારી દીધાં છે. હવે હું સતર્કતા અને હોશિયારીપૂર્વક મારું કાર્ય કરીશ અને એક દિવસ આલ્પ્સને ઓળંગીશ.”
નેપોલિયનના ચહેરા પરની દઢતા જોઈને વૃદ્ધા મનોમન વિચારવા લાગી કે આટલું મોટું જોખમ ઉઠાવનાર માનવી કોઈ સાધારણ માનવી હોય નહીં. કોઈ અસાધારણ વ્યક્તિ જ હોઈ શકે અને તેથી એણે નેપોલિયનને આશીર્વાદ આપતાં કહ્યું,
“બેટા, સાહસિક અને હિંમતવાનને માટે સંસારમાં કોઈ પણ કાર્ય અશક્ય નથી, તું તારાં સાહસ અને હિંમતના જોરે જરૂર સફળતા હાંસલ કરીશ.”
નેપોલિયને હિંમત અને સાવધાની સાથે આલ્પ્સ પર આરોહણ કર્યું અને આલ્પ્સ પર્વત ઓળંગીને એ છેક વિયેના સુધી ગયો અને ઑસ્ટ્રિયા પર વિજય મેળવ્યો. આ વિજયમાં નેપોલિયને અજોડ એવી આગવી લશ્કરી વ્યૂહરચનાનો સહુને પરિચય આપ્યો. ઑસ્ટ્રિયાને ફ્રાન્સ સાથે સંધિ કરવી પડી અને નેપોલિયનનો સિતારો ઝળકી ઊઠ્યો. પોતાના જીવનની અંતિમ ક્ષણ સુધી નેપોલિયનને એ વૃદ્ધાના શબ્દો યાદ રહ્યા અને એ એનું સતત પુનરાવર્તન કરતો રહ્યો કે ‘સાહસિક અને હિંમતવાનને માટે સંસારમાં કોઈ કાર્ય અશક્ય નથી.’
૨૨
જન્મ ૩ ૧૫ ઑગસ્ટ, ૧૭૩૯, એજેંસીઓ, કોર્સિકા, ફ્રાંસ અવસાન : ધર્મ, ૧૮૨૧, બોંગવુડ, સેંટ હેલેના ટાપુ
મનની મિરાત
ઇંગ્લૅન્ડના નિબંધલેખક, ઇતિહાસ
કાર અને વિચારક ટૉમસ કાર્લાઇલે ડિગ્રી
પુનર્લેખનનું તો ગણિતમાં ભેળવી હતી, પરંતુ
કારણ
એ પછી એમને વિશેષ રસ ઇતિહાસ અને તત્ત્વજ્ઞાનમાં પડ્યો. એક વાર કાર્લાઇલને મળવા માટે ઇંગ્લૅન્ડના વિખ્યાત
તત્ત્વચિંતક અને અર્થશાસ્ત્રી જ્હૉન સ્ટુઅર્સ મીલ આવ્યા. એમને ઉપયોગિતાવાદી ચિંતન, કેમિસ્ટ્રી, બોટની જેવા કેટલાય વિષયોમાં રસ હતો. ૧૮૨૦માં એ ફ્રાન્સમાં રહ્યા હતા અને ફ્રેન્ચ ભાષા પણ શીખ્યા હતા.
જ્હૉન સ્ટુઅર્ટ મીલ ટૉમસ કાર્લાઇલને મળવા ગયા એ સમયે એટલે કે ૧૮૩૪માં કાર્લાઇલે પોતાની મહત્ત્વાકાંક્ષી કૃતિ “ધ હિસ્ટ્રી ઑફ ફ્રેન્ચ રેવલ્યૂશન'નો પ્રથમ ભાગ લખ્યો હતો. ફ્રેન્ચ ક્રાંતિમાં રસ ધરાવનારા મીલે એનો પ્રથમ ભાગ વાંચવાની ઇચ્છા પ્રગટ કરી. ટૉમસ કાર્લાઇલે એને પ્રથમ ભાગની હસ્તપ્રત આપી અને પોતે બાકીનો ભાગ લખવાનું ચાલુ રાખ્યું.
થોડા દિવસ પછી એક રાત્રે જ્હૉન સ્ટુઅર્ટ મીલ હાંફળાફાંફળા દોડતા દોડતા આવ્યા અને કાર્લાઇલના ઘરનું બારણું ખખડાવ્યું. કાર્લાઇલે જ્યારે બારણું ખોલ્યું ત્યારે જ્હૉન સ્ટુઅર્ટ
મનની મિરાત ૨૩