________________
કેવળી પ્રભુનો સાથ
ક્ષેત્રમાંથી નિષ્પન્ન થયેલાં અમૂલ્ય રત્નો હોય છે, અને લાલ રંગના માણેક રત્ન ભરત ક્ષેત્રની ઉત્તમ સંપત્તિ ગણાય છે. આ સર્વ પ્રકારનાં રત્નોનાં કિરણો એકબીજામાં ભળી જઈ શ્વેત તેજસ્વી કિરણરૂપ બની જાય છે. સાથે સાથે તે રત્નરાશિમાં અન્ય સાત પ્રકારનાં ઉત્તમ શ્વેત રત્નો પણ રહ્યાં હોય છે. એમાંના કેટલાંક રત્નો દેવલોકનાં, કેટલાંક રત્નો મહાવિદેહ ક્ષેત્રનાં, કેટલાંક ભરતક્ષેત્રનાં અને કેટલાંક રત્નો ઐરાવત ક્ષેત્રમાંથી પ્રાપ્ત થયેલાં હોય છે, આ રીતે આ રત્નરાશિમાં મુખ્યતાએ ચૌદ પ્રકારનાં રત્નોનું મિશ્રણ થાય છે.
સાત રંગીન રત્નો પ્રથમના સાત ગુણસ્થાનની સમજ આપે છે. અને પછીનાં સાત પ્રકારનાં શ્વેત રત્નો શ્રેણિના ગુણસ્થાનનો બોધ કરે છે. જીવ જેમ જેમ પહેલા ગુણસ્થાનથી આગળ વધતો જાય છે તેમ તેમ તે કષાયની મંદતા કરી શ્વેતપણું ગ્રહણ કરતો જાય છે. જાંબલી, ગળી, ભૂરો, લીલો, પીળો, નારંગી અને લાલ રંગના મિશ્રણથી શ્વેત રંગ બને છે. આ પ્રત્યેક રંગ કષાયની કાલિમાનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યાં સુધી જીવ સંસારમાં રસપૂર્વક રહે છે ત્યાં સુધી એને સર્વ કષાયો સંસારમાં ડૂબાડી રાખે છે. પણ જેવો તે કષાયથી અલિપ્ત થઈ સ્વસ્વરૂપ પ્રતિ વળે છે તેવો તેને પોતાના આત્માની ચેતતાનો – શુધ્ધતાનો અનુભવ મળે છે. એટલે કે સાતે રંગો એકરૂપ થાય છે, સંસારની આસક્તિ તૂટે છે અને સાતમા ગુણસ્થાને આવતાં શ્વેતતા - શુધ્ધતાનો પરિચય થાય છે. જુદા જુદા પ્રકારની આસક્તિરૂપ વિવધ રંગો આત્માની લગનીમાં એકરૂપ થવાથી શ્વેત થઈ જાય છે. તે પછીથી વિકાસ કરતાં આઠમા ગુણસ્થાનથી આત્મા પોતાની શ્વેતતા અને તેજસ્વીતા વધારતો જાય છે, જે સાત પ્રકારનાં અન્ય તેજસ્વી શ્વેત રત્નો બતાવે છે. ચોદમાં ગુણસ્થાને આત્મા પૂર્ણ શુધ્ધ થઈ, સિદ્ધભૂમિનો નિવાસી થાય છે. પૂર્ણ શુદ્ધિનું જીવને આકર્ષણ થાય તે માટે આ શ્વેત કિરણો શુક્લધ્યાનની મહત્તા જીવને અવ્યક્તપણે સમજાવે છે. અને તેનાં આધારે જીવ પૂર્ણતા સુધીનો વિકાસ કરે છે.
રંગીન રત્નોના સમૂહનાં કિરણોથી જે શ્વેત તેજસ્વી કિરણો નિષ્પન્ન થાય છે તે કિરણોનાં દર્શન પ્રભુના આત્માને શ્રેણિ માંડતા પહેલાં થાય છે. અને શ્વેત રત્નોનાં
૫૬