SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ કેવળી પ્રભુનો સાથ કેવળદર્શન- ત્રણે લોકનું, ત્રણે કાળનું, પ્રત્યેક પદાર્થનું સમય સમયનું જોવાપણું તે કેવળદર્શન. કષાય - કછુ એટલે સંસાર અને આય એટલે લાભ. જે ભાવ કરવાથી જીવનો સંસાર વધતો જાય તે કષાય. કષાય ચાર છે - ક્રોધ, માન, માયા અને લોભ. કાપોત લેશ્યા - આ લશ્યામાં આત્માનાં પરિણામની મલિનતા ઉત્તરોત્તર ઘટે છે અને તે પરિણામ કબૂતરના રંગવાળા માનવામાં આવે છે. આ લેશ્યાવાળા જીવો શોક, ભય, ઇર્ષા, પરનિંદા તથા પોતાની પ્રશંસા કરવામાં તત્પર હોય છે. આ વેશ્યા અશુભ છે. કેવળજ્ઞાન - ત્રણે લોકનું, ત્રણે કાળનું, પ્રત્યેક પદાર્થનું સર્વ પ્રકારનું સમય સમયનું જ્ઞાન તે કેવળજ્ઞાન. પ્રત્યેક કેવળજ્ઞાનીને એક પ્રદેશ, એક પરમાણુ અને એક સમયનું જ્ઞાન પ્રવર્તે છે. ચારે ઘાતી કર્મોનો પૂર્ણ નાશ થાય ત્યારે જ આ જ્ઞાન પ્રગટે છે. કાયક્લેશ તપ - આત્મસાધના અને આરાધનામાં થનાર શારીરિક પીડા કે ઉપદ્રવરૂપ કષ્ટોને ગણકાર્યા વિના ઉત્તમતાએ આરાધનની વર્ધમાનતા કરતા જવી તે કાયક્લેશ તપ છે. કેવળીગમ્ય પ્રદેશ - કેવળીગમ્ય પ્રદેશ એટલે કેવળીપ્રભુ જેવા શુદ્ધ પ્રદેશો જેમાં માત્ર શુભ અઘાતી કર્મો જ હોય છે, એક પણ ઘાતી કર્મ કે અશુભ અઘાતી કર્મનું પરમાણુ તેના પર ચીટકી શકતું નથી. આવા આઠ પ્રદેશ થાય છે. કાયોત્સર્ગ તપ - બાહ્ય અને અત્યંતર પરિગ્રહના ત્યાગના પુરુષાર્થને કાયોત્સર્ગ કે વ્યુત્સર્ગ તપ કહે છે. તેમાં કાયા સહિત સર્વ પરિગ્રહના મમત્વનો ત્યાગ કરવામાં આવે છે. અર્થાત્ આ તપમાં કાયાને હલનચલનાદિથી નિવૃત્ત કરી મંત્રસ્મરણ કે લોગસ્સનાં રટણથી મનને સ્થિર કરી સ્વરૂપમાં રમમાણ થવાનું રહે છે. કેવળીપર્યાય - કેવળજ્ઞાન સહિતની અવસ્થા. કેવળ પ્રભુ - જેમણે સર્વ જીવ માટે કલ્યાણના ભાવ ન કરતાં, અમુક જીવો માટે જ કલ્યાણભાવ વેદી, કેવળજ્ઞાન લીધું છે તે કેવળ પ્રભુ. કેવળીપ્રભુ છદ્મસ્થ અવસ્થામાં પંચપરમેષ્ટિની પદવી સ્પર્શતા નથી પણ સિદ્ધ થયા પછી પંચપરમેષ્ટિના બીજા પદ(સિધ્ધપદ)માં સ્થાન પામે છે. કાળ - સર્વ દ્રવ્યમાં થતા પરિવર્તનની નોંધણી જેના કારણે થઈ શકે છે, એટલે કે જીવ તથા પુગલની પર્યાય બતાવે છે તે કાળ દ્રવ્ય છે. કાળ ચક્ર - એક ઉત્સર્પિણી અને એક અવસર્પિણી બને મળી એક કાળચક્ર થાય છે. ક્રોડાક્રોડી સાગરોપમ - એક કરોડ X એક કરોડ = ક્રોડાક્રોડી. એક જોજન વ્યાસવાળો અને એક જોજન ઊંડો ખાડો ખોદવામાં આવે, અને તે ખાડો તાજા જન્મેલાં ઘેટાંના બચ્ચાનાં સૂમવાળથી ખીચોખીચ ભરવામાં આવે, તે પછી પ્રત્યેક સો વરસે એક વાળ કાઢતા રહેવાથી એ ખાડો સંપૂર્ણ ખાલી થઈ જાય ત્યારે તેમાં જે સમય જાય કેવળચારિત્ર - શ્રી કેવળીપ્રભુ જે ચારિત્ર પાળે છે તે ચારિત્ર. ४३८
SR No.034411
Book TitleKevali Prabhuno Sath Volume 03
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2008
Total Pages511
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy