________________
કેવળી પ્રભુનો સાથ
તપ ઉત્તમ પ્રકારે આરાધવા તે ભાગ્યશાળી થાય છે, અને સ્વાધ્યાય થકી આત્મશુદ્ધિ કરવાના ઉત્તમ માર્ગ સંબંધી તેને નિશ્ચિંતતા આવે છે. તેને પૂરેપૂરો લક્ષ આવે છે કે આત્મા સિવાયના સર્વ પરપદાર્થ સંબંધીના મમત્વમાં રાચીને તેણે શાશ્વત સુખ ખોયું છે. તેને મેળવવા માટે કાયોત્સર્ગ સાધી, પરિગ્રહથી મુક્તિ મેળવી, ધ્યાનતપમાં લીન થાય છે, અને સર્વોત્કૃષ્ટ શુદ્ધિ દ્વારા સર્વોત્કૃષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરે છે.
સર્વ તપમાં સર્વોત્કૃષ્ટ અને અંતિમ તપ તે ધ્યાનતપ છે. શ્રી ભગવાને ધ્યાનના ચાર પ્રકાર કહ્યા છેઃ આર્ત, રૌદ્ર, ધર્મ અને શુક્લ ધ્યાન. તેમાં પહેલાં બે પ્રકાર કષાયયુક્ત હોવાથી સંસારની વૃદ્ધિ કરનારા છે. બીજા બે ધ્યાનના પ્રકાર જીવને આત્માની અનુભૂતિ કરાવનાર હોવાથી આત્મશુદ્ધિ કરવા માટે ખૂબ ઉપકારી છે. ધ્યાનની ઊંચામાં ઊંચી અને ઊંડામાં ઊંડી અવસ્થામાં જીવને સર્વજ્ઞપણું પ્રાપ્ત થાય છે. અને તેની પ્રાપ્તિ પછી તે સદાકાળ ટકી રહે છે, તેથી આ ધ્યાનતપને સર્વોત્કૃષ્ટ કહેલું છે.
આગળ જણાવેલાં પાંચ પ્રકારનાં આંતરતા જીવ સારી રીતે કરે છે; અને તેના જીવનમાં મુખ્યતાએ આંતરતપની વિશેષતા થાય છે ત્યારે તેને ધ્યાનતપ પ્રગટ થાય છે. ધ્યાનતપમાં જીવ દેહ, ઈન્દ્રિય, અન્ય પૌગલિક પદાર્થો આદિથી પર બની સ્વસ્વરૂપમાં એકાગ્ર થાય છે. ધર્મધ્યાનમાં આ અલિપ્તતા બાહ્યથી હોય છે, પણ અંદરમાં શ્રી કેવળ પ્રભુગમ્ય એવા સૂમ શુભ ભાવ જીવને પ્રવર્તતા હોય છે. તેથી તે ધર્મધ્યાન ગણાય છે. લૌકિક ભાષામાં ધર્મધ્યાનની સ્થિતિમાં લઈ જાય એવી શુભ પ્રવૃત્તિને પણ ધર્મધ્યાન કહેવામાં આવે છે. આવા સૂક્ષ્મ વિચારોની અતિ અલ્પતાથી શરૂ કરી નિર્વિચાર થવા સુધીની દશાને પ્રભુ શુકુલધ્યાન તરીકે ઓળખાવે છે. શુકુલધ્યાનમાં આત્માને શુકુલ અર્થાત અતિ શુદ્ધ પરિણામ વર્તે છે. આ દશાની શરૂઆત સાતમા ગુણસ્થાનથી થાય છે. પણ નિશ્ચયનયથી શુધ્યાનની શરૂઆત આઠમાં ગુણસ્થાનથી થાય છે, અને ક્રમે ક્રમે તેની વિશુદ્ધિ વધતી જાય છે, અને આત્મા પૂર્ણતાએ કષાયરહિત બની સર્વજ્ઞ થાય છે. પહેલાં દશ તપ કાયોત્સર્ગ તપનું કારણ છે, કાયોત્સર્ગ તપ ધર્મધ્યાનનું કારણ છે, અને ધર્મધ્યાન એ શુલધ્યાનનું કારણ છે. શુક્લધ્યાનરૂપ તપમાં
૩૪૨