________________
કેવળી પ્રભુનો સાથ
થાય છે, પોતાનાં અંગોનો ઘાત કરે છે વા વિષભક્ષણાદિ કરી મરણ પામે છે – ઇત્યાદિ અવસ્થા માન થતાં થાય છે.”
કષાયોમાં ક્રોધ પછીનું બીજું સ્થાન માનવું છે. ક્રોધ અને માન બંને દ્વેષરૂપ હોય છે છતાં એમની પ્રકૃતિમાં તફાવત છે. જ્યારે આપણને કોઈ ગાળ આપે કે અપશબ્દ કહે અર્થાત્ પ્રતિકૂળ વર્તે ત્યારે ક્રોધ આવે છે, પરંતુ જ્યારે કોઈ પ્રશંસા કરે અર્થાત્ અનુકૂળ વર્તે ત્યારે માન ઉપજે છે. જગતમાં નિંદા કે પ્રશંસા થયા જ કરે છે તેથી અજ્ઞાની જીવ બંને સ્થિતિમાં કષાય કરે છે. - નિંદા શત્રુઓ કરે અને પ્રશંસા મિત્રો કરે. તેથી ક્રોધનાં નિમિત્ત થાય છે, શત્રુ; અને માનનાં નિમિત્ત થાય છે, મિત્રો; નિંદકો છતા ગુણોને ગોપવી, અછતા અવગુણોની વધારે ચર્ચા કરે છે. પ્રશંસકો છતા અવગુણોને અવગણી, અલ્પ ગુણોને મહત બનાવી કે નવા ગુણો ઉપજાવી વખાણ કરતા રહે છે, આ બંને વૃત્તિઓ ખોટી છે તે ક્રમશઃ ક્રોધ તથા માનને અનુકૂળ છે.
નિંદકો પીઠપાછળ નિંદા કરે છે, મોં પર નિંદા ભાગ્યે જ થતી હોય છે, પણ પ્રશંસકો મોઢા પર પ્રશંસા કરે છે અને પીઠ પાછળ ભાગ્યે જ પ્રશંસા કરે છે. જેમની પ્રશંસા પાછળથી થાય તે ખરેખર ભાગ્યશાળી ગણાય. જીવને પ્રતિકૂળતામાં ક્રોધ અને અનુકૂળતામાં માન વેદાય છે. તેથી નિંદા કરતાં પ્રશંસા વધારે ભયકારી છે. અસફળતા ક્રોધની અને સફળતા માનની માતા છે. આ કારણથી અસફળ વ્યક્તિ ક્રોધી અને સફળ વ્યક્તિ માની બને છે.
માન એ ક્રોધ સમાન ખતરનાક વિકાર છે, છતાં લોકો માનને પ્યાર કરે છે, ઇચ્છે છે. માન એ મીઠું ઝેર છે, જે મળતાં સારું લાગે છે પણ સરવાળે દુ:ખરૂપ થાય છે કારણ કે આખરે તો તે છે કષાય જ.
ક્રોધ માન બંને આત્માનું અહિત કરવાવાળા હોવા છતાં બંનેની વર્તનામાં સારો એવો તફાવત જોઈ શકાય છે. જેનાપર ક્રોધ આવે તેનો નાશ કરવાની ઇચ્છા જીવમાં પ્રગટે છે, પણ જેના લક્ષથી માન ઉપજે છે તેને તે કાયમ સાચવવા ઇચ્છે છે, પણ
૧૩)