________________
શ્રી અરિહંતનો મહિમા
આવા તીર્થસ્થાનનું ઉત્કૃષ્ટ સ્વરૂપ શ્રી તીર્થંકર પ્રભુમાં રહેલું છે. અને તેમનામાં ખીલેલાં તીર્થસ્થાનનો લાભ સહુ ભવ્ય જીવો લઈ શકે છે. તેમના આત્માનો જે જીવોને વધારે લાભ મળે છે, અર્થાત્ તેમનું તીર્થસ્થાન જે જીવો પોતાના પુરુષાર્થને કારણે વિશેષતાએ અનુભવે છે તે જીવોને પ્રભુનો કલ્યાણભાવ વિશેષતાએ સ્પર્શતો હોવાથી તેઓ અલ્પ પ્રયાસે અને બાહ્યથી ઓછા પુરુષાર્થે વધુ વિકાસ કરી શકે છે. અન્ય
જીવોના આધારથી આગળ વધવા માટે જીવને જેટલા પુરુષાર્થની જરૂર પડે છે તેના કરતાં ઘણા ઓછા પુરુષાર્થની જરૂર શ્રી અરિહંત પ્રભુના આધારથી આગળ વધતા જીવને પડે છે. તેથી ઉત્તમ પુરુષાથી જીવ જો અરિહંત પ્રભુના નિમિત્તથી આગળ વધતો હોય તો તેને ઘણું મોટું તથા ઘણું ઉત્તમ ફળ મળે છે. છેલ્લા આવર્તનમાં અરિહંતનો જીવ સાંસારિક તેમજ પરમાર્થિક વિકાસમાં તીર્થકર તથા ભાવિ તીર્થકરનું નિમિત્ત પામી ખૂબ ખૂબ પુરુષાર્થ થાય છે. એટલે કે એકેંદ્રિયથી સંજ્ઞીપંચેન્દ્રિય થઈ, અંતવૃત્તિસ્પર્શથી શરૂ કરી પૂર્ણ થતાં સુધી તે જીવને બળવાન પુરુષાર્થ કરનાર તીર્થકર અને ભાવિ તીર્થંકરનું નિમિત્ત મળતું જ રહે છે. પરિણામે તેમને ચરમ દેહે એટલું બધું અંતરંગ વીર્ય ખીલે છે કે જેની જાણકારી જગતજીવોને સહેલાઈથી મળ્યા જ કરે છે.
શ્રી અરિહંત પ્રભુનાં ખીલેલાં અંતરંગ વીર્યને કારણે જ, જીવનો એક સમયથી શરૂ કરી આઠ સમય સુધીનો, દેહાત્માની ભિન્નતા અનુભવવા સુધીનો વિકાસ થઈ શકે છે. અર્થાત્ નિશ્ચયથી વ્યવહાર સમકિત પામવા સુધીનો વિકાસ જીવ માત્ર અરિહંત પ્રભુના સાથથી જ કરી શકે છે. અન્ય કોઈની સાથે ઉપયોગી થઈ શકતો નથી. તે પછીના વિકાસ માટે એટલે કે આઠ સમયથી શરૂ કરી અસંખ્યાત સમય સુધીની ભિન્નતા અનુભવવા માટે જીવને શ્રી તીર્થંકર પ્રભુ ઉપરાંત શ્રી કેવળી પ્રભુનો સાથ ઉપકારી થાય છે. કોઈ પણ છદ્મસ્થ જીવ આ વિકાસ કરાવવા માટે સમર્થ નથી કારણ કે છબસ્થ જીવને અસંખ્ય સમયથી ઓછા સમયનું જ્ઞાન સંભવતું નથી.
અસંખ્ય સમયની દેહાત્માની ભિન્નતાના અનુભવથી શરૂ કરી, ક્ષયોપશમ સમકિત, ક્ષાયિક સમકિત, છઠું સાતમું ગુણસ્થાન મેળવવા સુધીના વિકાસમાં શ્રી અરિહંત પ્રભુ, કેવળીપ્રભુના સાથ ઉપરાંત સમર્થ પુરુષનો સાથ પણ ઘણો
૯૯