________________
આત્મા વિનયી થઈ, સરળ અને લઘુત્વભાવ પામી, સદેવ સપુરુષનાં ચરણકમળ પ્રતિ રહ્યો, તો જે મહાત્માઓને નમસ્કાર કર્યો છે તે મહાત્માઓની જે જાતિની રિદ્ધિ છે, તે જાતિની રિદ્ધિ સંપ્રાપ્ત કરી શકાય.
અનંતકાળમાં કાં તો સત્પાત્રતા થઈ નથી અને કાં તો પુરુષ (જેમાં સદ્ગુરુત્વ, સત્સંગ અને સત્કથા એ રહ્યાં છે) મળ્યા નથી, નહીં તો નિશ્ચય છે, કે મોક્ષ હથેળીમાં છે, ઈષપ્રાભરા એટલે સિદ્ધ-પૃથ્વી પર ત્યાર પછી છે, એને સર્વ શાસ્ત્ર પણ સંમત છે. અને આ કથન ત્રિકાળ સિદ્ધ છે.
– શ્રીમદ્ રાજચંદ્ર (આંક પ૫)