________________
- જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો મુખ્યત્વે આત્મવિકાસના માર્ગે ભૌતિક વિકાસ મર્યાદા ૪૯% અને નૈતિક આધ્યાત્મિક વિકાસ ૫૧% થી શરૂઆત કરી ભૌતિકતા % ને ક્રમશઃ ઘટાડી તેટલા આધ્યાત્મિકતા - નૈતિકતા વધારી રૂપિયા-સંપત્તિ ઉપાર્જનને બદલે પુણ્યાનુબંધી પુણ્ય' ઉપાર્જન કરશે અર્થાત્ સંપત્તિનો સવ્યય કરશે તો સિદ્ધ દશા બહુ દૂર નહીં હોય. સંસાર પરિમિત થતાં હળુકર્મી થવાથી જન્મ-મરણના ફેરા અટકશે અને “સ્વ” “પર” નું હિત સાધી, જીવન સાર્થક બનશે.
(જૈન ધર્મના અભ્યાસુ રમેશભાઈ નિવૃત્ત બેંક મેનેજર છે. સ્વાધ્યાય અને સાધુ-સંતોની વૈયાવચ્ચમાં રસ ધરાવે છે.)
-જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો ‘માલદાર' પાર્ટી આગળ બધું ગૌણ બની જાય છે. સામાજિક-રાજકીય કે વ્યાવસાયિક ક્ષેત્રે પણ માણસની કિંમત તેના Business Capital ની Networth પરથી થાય છે. Global - વિદેશયાત્રા કે Five - Seven Star Culture ના મૂળમાં શું છે ? ફક્ત આર્થિક નહીં, લોભનું વિસ્તરણ – વિષય ભોગલાલસા અને નૈતિક અધઃપતન સુધી દોરી જાય છે. સુ ‘સંસ્કાર” ને જે ઘસારો લાગ્યો છે તેમાં પણ મૂળ તો લોભ જ ‘પરિગ્રહ' ના રૂપમાં છે. “નાણાં વિનાનો નાથિયો અને નાણે નાથાલાલ” કહેવત એમ જ નથી પડી. આજે, અહીં પુણિયા શ્રાવક કરતાં આનંદ, કામદેવાદિની બોલબાલા વધુ છે.
આપણા તીર્થકરો – મુનિવરોએ જે પાંચમું અણુવ્રત કહ્યું છે તેમાં બાહ્ય અને આત્યંતર પરિગ્રહનું પરિણામ નક્કી કરી જીવનઘડતર કરવાનું રહે છે. માનવની આવશ્યકતાના મૂળમાં રોટી, કપડાં, મકાન, કેળવણી – શિક્ષણ અને તંદુરસ્તીની જાળવણી - સ્વસ્થ જિંદગી જીવવા પર્યાપ્ત છે અને જેમ કપિલ માટે કોઈ માગવાની Limit ન હતી અને અંતરાત્મા જાગૃત થતાં પાછો ફર્યો તેમ આપણે સૌએ પણ માલ-મિલકત વગેરે જીવનની Asset Side માં મર્યાદા સ્વીકારી Maximum Limit નક્કી કરવી જ જોઈએ. તો જ સાચો સમજવાદ આવશે. “કહેવાતા સમાજવાદ કરતા સમજવાદ વધુ અગત્યનો છે.” જૈનદર્શનની કર્મ Theory વિશેષ તો એ તત્ત્વજ્ઞાન કે “સંપત્તિ – પુણ્યાધીન છે, પુણ્ય સત્કાર્ય દ્વારા નવ પ્રકારે ઉપાર્જન થાય છે” તે સમજવાનું છે. જૈન આગમ સાહિત્યમાં આદર્શ શ્રાવકનું જીવન કેવું હોવું જોઈએ તેનું વિસ્તૃત વર્ણન છે. પુણિયા શ્રાવક જેવું ભલે ન થવાય પણ આનંદ, કામદેવ જેવા થવાનું લક્ષ રાખીએ તો પણ વર્તમાન જૈન સમાજ – રાષ્ટ્ર - વિશ્વ અને
- ૨૩૨ -
- ૨૩૩