SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચ પરબી કે પર્વતિથિઓ ગણે છે. આ દિવસોમાં લીલોતરી, કંદમૂળ વગેરેનો ઉપયોગ ન કરવાનો, જપ-તપ કરવાનું બ્રહ્મચર્યનું પાલન કરવાનું વગેરે આરાધનાનો વિશેષ પુરુષાર્થ કરે છે. સામાન્ય રીતે આ દિવસોમાં આયુષ્યકર્મનો બંધ પડવાની વિશેષતઃ સંભાવના હોય છે તેથી તે પર્વતિથિઓમાં તપ-ત્યાગ કરવાનું જ્ઞાનીઓએ કહ્યું છે. વિશ્વના મુખ્ય ધર્મો ધર્મગ્રંથ સાકર, મિષ્ટાન, શાકભાજી, ફળો તથા મસાલા વિનાનો રસ વગરનો શુષ્ક આહાર માત્ર એક વાર લેવાનો હોય છે. બાકીના ભાગમાં ઉકાળીને ઠારેલ પાણી તે પણ સૂર્યાસ્ત સુધી જ લેવાનું હોય છે. આ તપમાં એક ગર્ભિત સિદ્ધાંત અભિપ્રેત છે. ‘ખાવા” માટે જીવવાનું નથી પરંતુ જીવવા માટે ખાવાનું હોય છે. આ સ્વાદ-વિજયની આરાધના માટેનું તપ છે. તીર્થકરોના કલ્યાણકો : ચ્યવન કલ્યાણક એટલે તીર્થકર ભગવાન ગર્ભમાં આવે તે જન્મકલ્યાણ એટલે જન્મદિવસ, દીક્ષા કલ્યાણક એટલે તીર્થકર ભગવાનનો દીક્ષા દિવસ, કૈવલ્ય કલ્યાણક એટલે ભગવાનને કેવલજ્ઞાનની, પ્રાપ્તિ થાય તે દિવસ અને નિર્વાણ કલ્યાણક એટલે તીર્થકર ભગવાનનો આત્મા આઠે કર્મનો ક્ષય કરી નિર્વાણ પામી સિદ્ધશીલા પર સ્થિર થઈ સિદ્ધત્વને પામે તે દિવસ. આ દિવસોને જૈનો કલ્યાણકોરૂપે ઊજવે છે, કારણ કે આ પર્વો માનવી માટે કલ્યાણકારી પ્રેરણા આપે છે. અક્ષયતૃતીયા: પૂર્વેના કર્મોદય સૂઝતો આહાર ન મળવાથી આદિનાથ, ઋષભદેવને ફાગણ વદ-આઠમે સંયમ સ્વીકાર્યો ત્યારથી ૪૦૦ દિવસ બાદ વૈશાખ સુદ-ત્રીજે પ્રભુનું ઈશુરસ દ્વારા પારણું થયું. આ અક્ષય તૃતીયાના દિવસે વર્ષીતપના તપસ્વીઓ પારણું કરે છે અને આ તપની અનુમોદનાના ઉત્સવરૂપે ઊજવાય છે. દિવાળી : દિવાળીને ભગવાન મહાવીર નિર્વાણ ઉત્સવરૂપે જૈનો ઊજવે છે. આ દિવસોમાં ઉલ્લાસભાવે દાન આપી લક્ષ્મીને મહાલક્ષ્મી બનાવવાની ભાવના અભિપ્રેત છે. આઠ કર્મોથી મુક્ત થઈ ભગવાન મહાવીરની આત્મજયોત પરમાત્મા પ્રકાશમાં વિલીન થઈ ગઈ તે દિવસને શ્રાવકો છ8 પોષધ વ. તપ અને જપ દ્વારા ઊજવે છે. - નૂતન વર્ષનું ગૌતમ સ્વામીના કેવળ જ્ઞાનની સ્મૃતિરૂપ ગૌત્તમ પ્રતિપદારૂપે સ્વાગત કરે છે. લાભપંચમીને જ્ઞાનની આરાધનાનું જ્ઞાનપંચમી પર્વ ગણે છે. પર્વતિથિઓ : જે શ્રાવકો સંપૂર્ણ શ્રાવકાચારનું પાલન ન કરી શકે. બીજ, પાંચમ, આઠમ, અગિયારસ પર્વ તિથિ કરે, ચૌદશ (પૂનમ, અમાસ) બૌદ્ધ સ્થાપકપ્રવર્તક જૈન ભગવાન મહાવીર ખ્રિસ્તી ઈસુ ખ્રિસ્ત ગૌતમ બુદ્ધ સનાતન ઇસ્લામ મહંમદ પયગંબર શીખ ગુરુ નાનક પારસી અષો જરથુષ્ટ્ર કોફ્યુશિયસ કોમ્યુશિયસ તાઓ લાઓત્રે શિન્તો અનાદિધર્મ યહૂદી (હિબ્રુ) મહાત્મા મોમીઝા કલ્પસૂત્ર બાઇબલ ત્રિપિટક ભગવદ્ગીતા કુરાન ગ્રંથસાહેબ અવસ્થા ક્લાસિક્સ કો-જી-કી અને નીહોન-ગી જૂનો કરાર સનાતન હિંદુ ધર્મના પ્રવર્તકો શ્રીરામ, શ્રીકૃષ્ણ, શંકરાચાર્ય વગેરે અનેક મહાપુરુષો થયા. સર્વધર્મ દર્શન ૪૧ ૪૨ સર્વધર્મ દર્શન
SR No.034399
Book TitleSarvdharn Darshan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2009
Total Pages101
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy