________________
વિશ્વકલ્યાણની વાટે કાજ સર્પદંશનું ઝેર ઉતારવાના મંત્રોચ્ચાર, પાણીમાં પગ મૂકીને કે નાવમાં બેસીને વિકટ સમયે નદી કઈ રીતે પાર કરવી તેનું નિરૂપણ કરેલ છે. આમ વર્તમાનમાં જે પરંપરાઓ પ્રચલિત નથી, પરંતુ ભગવાનના સમયમાં જે પ્રચલિત હતી તેનું વર્ણન બૃહદ્ કલ્પસૂત્રમાં છે.
શ્રી વ્યવહાર સૂત્રમાં આગમવ્યવહાર, વ્યુતવ્યવહાર, જ્ઞાનવ્યવહાર, ધારણાવ્યવહાર અને જિતવ્યવહાર સંયમી જીવનને નિર્મળ બનાવે છે.
ભગવાને પોતાના બે સાધકોની વચ્ચે એ બે ભેગા મળે ત્યારે, બે શ્રાવકો કે બે આચાર્યો ભેગા મળે ત્યારે, ગુરુ-શિષ્ય મળે તો બે મળવા પર એકબીજાએ કેવો વ્યવહાર કરવો તેનું વર્ણન આ સૂત્રમાં છે જેના દ્વારા સામુદાયિક સુમેળતાનું સર્જન થાય છે. આ સૂત્ર સાધુ, સાધ્વી, શ્રાવકો અને પરિવાર વચ્ચે સંવાદનું સર્જન કરાવતું શાસ્ત્ર છે.
સાધકોને સાધનાની વિશુદ્ધિ માટે અવશ્ય કરવાયોગ્ય અનુષ્ઠાનોનું નિરૂપણ કરતું આગમ તે શ્રી આવશ્યક સૂત્ર છે. વ્યવહારમાં આપણે તેને પ્રતિક્રમણ સૂત્ર કહીએ છીએ. આત્મવિશુદ્ધિ કરવા માટે જે ક્રિયા અવશ્ય કરવાની છે તેને આવશ્યક કહ્યું છે.
આવશ્યને જ્ઞાનીઓએ જીવનશુદ્ધિ, સંયમ વિશુદ્ધિની ક્રિયા કહી સાધનાનો પ્રાણ કહેલ છે. સમભાવની સાધના એ સામાયિક છે. તીર્થંકારોની સ્તુતિ ચૌવિસંથોથી શ્રદ્ધા બળવાન બને છે. વંદના દ્વારા સાધકનો ભક્તિભાવ પ્રગટ થાય છે. પ્રતિક્રમણ એ પાપથી પાછા ફરવાની પ્રક્રિયા છે. અંતર્મુખ થઈ આત્મભાવમાં સ્થિર થવા માટે કાઉસગ્ન અને ભવિષ્યમાં કર્મોના નિરોધ માટે પચ્ચખાણ એમ આ છ આવશ્યકની આરાધના સાધકના આત્મવિશુદ્ધિના લક્ષને સફળ બનાવવામાં સહાયક બને છે.
પ્રતિક્રમણ સાધક અને શ્રાવક બન્ને માટે દરરોજ કરવાયોગ્ય એવી પ્રક્રિયા છે જેનાથી આત્માની શુદ્ધિ અને વિશુદ્ધિ વર્તે છે. કર્મો જે દરરોજ બંધાતાં હોય તે નિદ્ધત બંધાય છે અને નિકાચિત કક્ષાનાં થતાં અટકી જાય છે. તેની પ્રક્રિયા પણ આ જ પ્રતિક્રમણ સૂત્રમાં બતાવેલી છે. જે કર્મને અવશ્ય ભોગવ્યા વિના ક્ષય કરી શકાય તે નિદ્ધત છે. દરરોજનાં પાપનું જ્યારે પ્રતિક્રમણ કરવામાં આવે છે ત્યારે પાપની કક્ષા નિદ્ધત બની જાય છે, પરંતુ જ્યારે પ્રતિક્રમણ કરવામાં નથી આવતું ત્યારે તે કર્મો નિકાચિત બની જાય તેનું વર્ણન આ સૂત્રમાં છે. સાધકો અને શ્રાવકો નિત્ય પ્રતિકમણ કરે તો પરમપદ સુધી પહોંચી શકે છે. અગિયાર અંગ સૂત્રો, બાર ઉપાંગ સૂત્રો, ચાર મૂળ, ચાર છે અને એક
૧૨૫
વિશ્વકલ્યાણની વાટે કામ આવશ્યક સૂત્ર એમ બત્રીસ આગમો આત્મસુધારણા માટે સાધકને કઈ રીતે ઉપયોગી થાય છે તેની વિચારણા આપણે કરી. સ્થાનકવાસી અને તેરાપંથ સંપ્રદાયમાં બત્રીસ આગમ સૂત્રોનો સ્વીકાર થયો છે.
શ્વેતાંબર મૂર્તિપૂજક આરાધકોની માન્યતા પ્રમાણે દસ પન્ના સૂત્રપ્રકીર્ણક સહિત બીજા તેર આગમ ગ્રંથોને સ્વીકાર્યા છે. તીર્થંકર દેવે અર્થથી જણાવેલ શ્રુતને અનુસરીને પ્રજ્ઞાવાન મુનિવરો જેની રચના કરે તેને પ્રકીર્ણક કે પન્ના કહે છે.
ચતુદશરણ પ્રકીર્ણકમાં ૩૪ અતિશયોથી વિભૂષિત અરિહંતોનો પરિચય અને ચાર શરણ સ્વીકારની વાત સાથે દુષ્કૃત્ય ગહ ને સુકૃત અનુમોદનાની વાત કહી છે. મહાપ્રત્યાખ્યાનમાં પાપ કરવું એ દુષ્કર નથી, પરંતુ કરેલાં પાપોની નિર્મળભાવે આલોચના કરવી એ દુષ્કર છે કહી આલોચનાવિધિ કહી છે. ભક્તપ્રતિજ્ઞા પ્રત્યાખ્યાનમાં ભક્ત એટલે આહાર અને પ્રતિજ્ઞા એટલે પ્રત્યાખ્યાન જીવનના અંત સમયે આહારત્યાગના પચ્ચખાણ કઈ રીતે લેવા તે વિધિ બતાવી છે.
આ આગમોમાં બાળ પંડિતમરણ અને પંડિતમરણની વિચારણા છે. પ્રત્યાખ્યાનનું વર્ણન, અનશન માટેની યોગ્યતા અને પૂર્વતૈયારી, સંથારાનું વર્ણન, વૈરાગ્યભાવને દઢ. કરતી વાતો, ગચ્છાચારમાં સાધુ-સાધ્વીની મર્યાદા, જ્યોતિષ અને દેવેન્દ્રોનું વર્ણન, મરણસમાધિ પ્રકીર્ણકમાં મરણ સુધારવા માટેની આદર્શ પદ્ધતિમાં આત્મસુધારણા માટે ઉપયોગી છે.
જિતકલ્પ સૂત્ર (પંચકલ્પ ભાણે) ૧૦૩ ગાથાઓના આ આગમમાં સાધુજીવનમાં લાગેલા અતિચારો, અનાચારોના દશ અને ઓગણીશ પ્રકારનાં પ્રાયશ્ચિત્તોનું વર્ણન કર્યું છે. આ ગંભીર ગ્રંથ છે. ગીતાર્થ ભગવંતો જ આ ગ્રંથના અધિકારી ગણાય છે.
પાંચ પ્રકારના વ્યવહારથી જૈન શાસન ચાલે છે : (૧) આગમ (૨) શ્રત (૩) આજ્ઞા (૪) ધારણા અને (૫) જિતવ્યવહાર. આ પ્રત્યેકની વિગતપૂર્ણ સમજણ આ આગમમાં આપવામાં આવી છે. ઉપરાંત, આચાર્યની આઠ સંપદાનું વર્ણન, વિદ્યા અને મંત્ર વચ્ચેનો તફાવત વગેરેની ચર્ચા પણ પ્રાપ્ત થાય છે.
મહાનિશીથ સૂત્ર. મહા મધ્ય. આ સૂત્ર મધ્યરાત્રિએ જ શિષ્યને આપી શકાય. આ આગમના આઠ વિભાગ છે, જેમાં પ્રથમ વિભાગમાં છ અધ્યયન છે અને બાકીના બે ચૂલિકાઓ છે. વિશાળ આગમ છે. ૪૫૪૮ શ્લોક પ્રમાણ ગ્રંથ છે.
આ આગમ સંયમી જીવનની વિશુદ્ધિ પર ખૂબ જ ભાર મૂકે છે. સરળતા,
' ૧૨૬