________________
વિશ્વકલ્યાણની વાટે
૧૫
ભારતીય દર્શન અને શ્રમણ સંસ્કૃતિના જ્યોતિર્ધર
કાળની સ્મરણમંજૂષામાંથી એક પવિત્ર પૃષ્ઠ બહાર આવ્યું જેમાં એક પ્રેરક જીવન અંકિત છે. ઇ.સ. ૧૮૯૩ની અગિયારમી સપ્ટેમ્બરે શિકાગો (Chikago)અમેરિકા)માં વિશ્વ ધર્મ પરિષદ મળેલી એમાં જેમણે જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કરેલું તે વીરચંદ રાઘવજી ગાંધીનું જીવનકવન.
આ પરિષદમાં હિંદુ ધર્મના પ્રતિનિધિ તરીકે સ્વામી વિવેકાનંદ, અલાહાબાદના ડૉ. જ્ઞાનેન્દ્રનાથ ચક્રવર્તી, પી. સી. મજુમદાર, પુનાના સોરાબજી, બ્રહ્મસમાજના શ્રી નગરકર, સિલોનથી બૌદ્ધ ધર્મના સી. ધર્મપાલ ઉપસ્થિત રહ્યા હતા.
સૌરાષ્ટ્રના દક્ષિણે ગોહિલવાડ પંથકના ભાવનગર શહેરથી સો કિલોમીટર દૂર પ્રાચીન મધુમતી (હાલ મહવા) શહેર આવેલું છે. મહાન દાનવીર જાવડશા ભાવડશાની હૈયાની કંકાવટીમાં આ ભૂમિનો રંગ ધોળાયેલો. હિન્દુ ભજનોના રચયિતા મુસ્લિમ સંત વલી, સ્વામીનારાયણ સંપ્રદાયના પ્રાગજી ભગત, ગુજરાતી સાહિત્યના ‘મસ્ત કવિ' હરગોવિંદ પ્રેમશંકર, વિવેચક 'જટિલ', શાસનસમ્રાટ વિજય નેમિસૂરિશ્વરજી મ.સા., વિજય ધર્મસૂરિશ્વરજી મહારાજ અને કુમારપાળના સમકાલીન જગડુશા આ વીરભૂતિનાં સંતાન હતાં.
ધર્મપ્રિય સમાજસુધારક રાઘવજીભાઈ ગાંધી પોતાના ઘરનું સમારકામ કરાવતા હતા તે વખતે જમીનમાંથી પાર્શ્વનાથ ભગવાનની દિવ્ય પ્રતિમાં પ્રાપ્ત થઈ. જાણે ભાવિમાં દિવ્ય પુરુષના અવતરણનો પવિત્ર સંકેત અને ટૂંક સમયમાં જ
કાકાવિશ્વકલ્યાણની વાટે રાઘવજીભાઈનાં સહધર્મચારિણી માનબાઈની કૂખે સંવત ૧૯૨૦ના શ્રાવણ વદ ૮, ૨૫ ઓગષ્ટ, ઈ.સ. ૧૮૬૪ના વીરચંદ ગાંધીનો જન્મ થયો. ૧૮૭૯માં લગ્નગ્રંથિથી જોડાયા. ત્યાર બાદ ભાવનગરમાં ૧૬ વર્ષની ઉંમરે તેઓ મેટ્રીક્યુલેશનની પરીક્ષામાં રાજ્યમાં પ્રથમ સ્થાને આવ્યા. ઇ.સ. ૧૯૮૪માં માત્ર ૨૦ વર્ષની ઉમરે મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજ દ્વારા બી.એ. ઑનર્સ થયા અને જૈન સમાજના પ્રથમ સ્નાતક થવાનું માન મળ્યું. ૧૮૮૫માં સૉલિસિટરના અભ્યાસ અર્થે મેસર્સ લિટસ, સ્મિથ ફ્રેઅરમાં અર્ટિકલ તરીકે જોડાયા. પાછળથી 2 ઈન ઇન્સ્ટિટયૂટ લંડન દ્વારા તેઓએ બાર-એટ-લાં પૂર્ણ કર્યું.
તે સમયે પાલિતાણાના ઠાકોરસાહેબ સાથે શત્રુંજય તીર્થ સંબંધે મતભેદ થયેલો. જૈનોને સંગઠિત કરવા ટ્રસ્ટ, ફંડ અને ધર્માદા ખાતાની દેખરેખ રાખવા, પશુવધ અટકાવવા, તીર્થસ્થાનકોમાં યાત્રિકોને પડતી મુશ્કેલી દૂર કરવા ૧૮૮૪માં વીરચંદ ગાંધીના મંત્રીપદે જૈન ઍસોસિયેશન ઑફ ઇન્ડિયાની સ્થાપના થઈ. ૧૮૯૭ના સપ્ટેમ્બરમાં શિકાગોમાં વિશ્વ ધર્મ પરિષદ મળવાની હતી. જુદાજુદા ધર્મોનું વિશ્વને જ્ઞાન આપવું, સર્વધર્મોના અનુયાયીઓમાં ભાતૃભાવ અને સ્નેહ પ્રગટાવવાનો ઉદ્દેશ પરિષદનો હતો, પરંતુ આયોજકોનો હેતુ વિવિધ ધર્મના પ્રતિનિધિઓ સમક્ષ ખ્રિસ્તી ધર્મનો પ્રભાવ દર્શાવી તેની ઉગ્રતા સિદ્ધ કરી વિશ્વભરમાં તેનો પ્રસાર કરવાનો હતો.
પરિષદમાં જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે ભાગ લેવા પૂ. આત્મારામજી (પૂ. આચાર્ય વિજયાનંદસરિ) મહારાજને નિમંત્રણ મળ્યું. જૈન સાધુની સમાચારીને કારણે તેઓ પ્રવાસ કરી પરદેશ ન આવી શકે તેમ દિલગીરી સાથે જણાવતાં તેમણે જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતોને લગતું લખાણ ‘ચિકાગો પ્રશ્નોત્તર' નામે તૈયાર કરી મોકલ્યું. પરિષદના સંચાલકો આ લખાણથી એટલા પ્રભાવિત થયા કે તેમણે આચાર્યશ્રીને પ્રતિનિધિ મોકલવાનો આગ્રહ કર્યો. પરિણામે વીરચંદભાઈ ગાંધીજીની પસંદગી થઈ. પૂ. આત્મારામજી પાસે તેમણે છ માસ રહી જૈન ધર્મના ઊંડાણભર્યા તત્ત્વજ્ઞાનનું તલસ્પર્શી જ્ઞાન મેળવી લીધું. પૂ. આત્મારામજી મહારાજે તેમને શ્રાવકાચારને શોભે તેવો પહેરવેશ અને જીવનચર્યા અપનાવવાની આજ્ઞા આપી. રસોઈ માટે સાથે વિશ્વવિખ્યાત જાદુગર મહુવાના વતની પ્રો. નથુ મંછાચંદન લીધા. અલગ રસોઈ કરવાની પરવાનગી સાથે તેઓ આસામ સ્ટીમરમાં ‘વિદેશ' જવા રવાના થયા. એ સમય હતો જ્યારે અંગ્રેજ સરકારની ગુલામીની બેડીમાં જકડાયેલા આ
૫૪
- ૫૩