SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ©©ન્દ્ર વિનયધર્મ ©©s ભારતીય સંતોની વાણીમાં વિનયભાવ-વિનયધર્મ - ડૉ. નિરંજન રાજ્યગુરુ ભારતીય સનાતન હિન્દુ ધર્મમાં અને તેમની શાખા-પ્રશાખાઓમાં વિનય એટલે નમ્રતા, પવિત્ર ભાવથી પૂર્ણશ્રદ્ધા, આત્મસમર્પણ, સંસ્કાર સવ્યવહાર, આધીનતા, શરણાગતિ, દઢ ભરોસો, શાલીનતા, જ્ઞાનગરીબી, નિરહંકારીપણું જેવા અર્થો સાથે વિનયગુણ ગવાયો છે. જૈન ધર્મમાં વિનયભાવનું અતિમહત્ત્વ છે, તો બૌદ્ધ ધર્મના ત્રણ ધર્મગ્રંથો - ત્રિપિટકમાં પ્રથમ આવે છે, વિનયપિટક, જેમાં બૌદ્ધ ભિક્ષુ - ભિક્ષુણીઓનાં આચાર-વિચાર, રહન-સહન, નીતિ-નિયમો, વાણી-વ્યવહાર અને સાર્વાગ જીવનસાધનાની નિયમાવલી દ્વારા વિનયનું મહત્ત્વ દર્શાવ્યું છે. ‘વિનયપિટક’નો એક અર્થ ‘અનુશાસનની ટોપલી’ એવો કરવામાં આવે છે. સંસ્કૃતમાં એક શુભાષિત છે : વિઘાં દદાતિ વિનય, વિનયા યાતિ પાત્રતામ, પાત્રવાર્ ધનમાપ્નોતિ, ધનાધર્મ તતઃ સુખમ્. (વિદ્યા આપે છે વિનય, વિનયથી પાત્રતા પ્રાપ્ત થાય છે, પાત્રતાથી ધન મળે છે અને ધનથી ધર્મની વૃદ્ધિ થાય છે, જે ધર્મથી મનુષ્યને સુખ મળે છે). આમ ધર્મનું મૂળ વિનયમાં છે નયનો. એક અર્થ છે સદવર્તન. વિનય એટલે વિશેષ પ્રકારની સભ્યતા, સવ્યવહાર, અમાનીપણું અને નમ્રતા. ધર્મનો પાયો જ વિનય સાથે જોડાયેલો છે. વિનયનો વિરોધાર્થી શબ્દ છે અવિનય અને અવિનય આવે અહંકારમાંથી. ધર્મના કે સદ્ગુરુના શરણે સંપૂર્ણ આત્મસમર્પણ કર્યું હોય એવા સાધક શિષ્યોનો અહંકાર ઓગળી જાય અને વિનમ્રતા જાગે, જેમાં પ્રાણીમાત્ર પ્રત્યે પ્રેમ, સ્નેહ, વાત્સલ્ય, દયા, કરુણાની, અહિંસાની, સેવા-ત્યાગ-સમર્પણની ભાવના જાગૃત થાય અને એવો મનુષ્ય જ ધર્મ કે અધ્યાત્મના પંથે ડગલાં માંડી શકે. ભક્તકવિ તુલસીદાસજી દ્વારા રચાયેલાં, દીનતાથી આત્મનિવેદન કરતાં ૨૭૯ સ્તોત્રગીતોના સંગ્રહને એટલે જ ‘વિનયપત્રિકા’ એવું નામ અપાયું છે. આપણા સંતકવિઓએ પોતાની વાણીમાં જે આત્મનિવેદન અને ચેતવણી-બોધ આપ્યાં છે તે સમસ્ત માનવજાતને વિનયની જ શીખ આપે છે. (૧) જ્ઞાન ગરીબી સાચી સંતો, જ્ઞાન ગરીબી સાચી, બિન સમજ્યા સાધુ હોઈ બેઠા, રૂદિયે હાંડી કાચી રે ૧૮૩ - ©©4 વિનયધર્મ PC Cren ભેખ લિયા પણ ભેદ ન જાન્યા, બેલ ફરે જેમ ઘાણી, સત્ય શબ્દ કા મરમ ન લાધ્યા, પૂજે પથરા પાણી રેસુંદર ભેખ બન્યો અતિ લાલા, ઉપર રંગ લગા, કાચી હાંડી ગલ ગઈ માટી, વિરલે નીર જમાયા રેકરડા તાપ દિયે તો બગડે, કાચી કામ ન આવે, સમતા તાપ દિયે તો સુધરે, જતન કરીને પાવે રે ભેખ લઈ મુખ મીઠા બોલે, સબ કું શીશ નમાવે, કહે કબીર સમજ પારખ બિના હીરો હાથ ન આવે રે. (૨) ગરવ કિયો સોઈ નર હાર્યો, સિયારામજી સે ગરવ કિયો સોઈ નર હાર્યો રે... ગરવ કિયો એક રત્નાકર સાગરે, રત્નાકર સાગરે નીર એનો ખારો કરી ડાર્યો...સિયારામજી સે ગરવ કિયો સોઈ નર હાર્યો રે... ગરવ કિયો એક વનની ચણોઠડીએ, વનની ચણોઠડીએ મુખ એનો કારો કરી ડાર્યો...સિયારામજી સે ગરવ કિયો સોઈ નર હાર્યો રે.. ગરવ કિયો જબ ચકવાને ચકવીએ, ચકવાને ચકવીએ જૈન વિયોગ કરી ડાર્યો... સિયારામજી સે ગરવ કિયો સોઈ નર હાર્યો રે... ગરવ કિયો જબ અંજનીના જાયાએ, અંજનીના જાયાએ પાંવ એનો ખોડો કરી ડાર્યો...સિયારામજીએ ગરવ કિયો સોઈ નર હાર્યો રે... ગરવ કિયો જબ લંકાપતિ રાવણે, લંકાપતિ રાવણે સોન કેરી લંક જલાયો... સિયારામજી સે ગરવ કિયો સોઈ નર હાર્યો રે... કહત કબીરા સુનો ભાઈ સાધુ, સુન મેરે સાધુ રે... શરણે આવ્યો વાં કો તાર્યો, સિયારામજી સે ગરવ કિયો સોઈ નર હાર્યો રે... (૩) અપરંપાર પ્રભુ અવગુણ મોરા, માફ કરો ને મોરારી રે... ધ્યાન ન જાણું, ધરમ ન જાણું, અધર્મનો અધિકારી રે, પાપી પૂરો જૂઠાબોલો, નીરખું છું પરનારી રે... અપરંપાર પ્રભુ અવગુણ મોરા... સધુ દુભવ્યા, બ્રાહ્મણ દુભવ્યા, સંતો દુભવ્યા ભારી રે, માતા-પિતા બન્નેને દુભવ્યાં, ગરીબકું દીની ગારી રે... -અપરંપાર પ્રભુ અવગુણ મોરા...૦ છે ૧૮૪ -
SR No.034387
Book TitleGyandhara 15 Vinay Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages115
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy