________________
© CC4 વિનયધર્મ
Pe Cen શકે છે. વિનય વિનાનું તપ કેવું અને વિનય વિનાનો ધર્મ કેવો?
ઉત્તરાધ્યયન સૂત્રમાં પ્રથમ
અધ્યયન વિનય શ્રુત’ નામે છે, જે વ્યક્તિ અહંકારનું વિસર્જન કરે છે, ત્યાગ કરે છે તે જ નમી શકે છે, જે ગુરુવચનોને શ્રદ્ધાપૂર્વક સાંભળે છે અને તેની આજ્ઞાનું પાલન કરે છે તે વિનીત કહેવાય છે. વિનીત શિષ્યની મહત્તા છે વિનય એ મોક્ષનું પ્રથમ પગથિયું છે. ઉત્તરાધ્યયનની વૃત્તિમાં કહ્યું છે....
"विणया णणं णणओ दसणं दसओ चरणं । चरणाओ मोक्ख मोक्खे सुखं आणाबा है ।। વિનયથી જ્ઞાન મળે, શાનથી દર્શન આવે,
દર્શનથી ચારિત્ર પ્રાપ્ત થાય, ચારિત્રથી મોક્ષ મળે -અવ્યાબાધ સુખ પ્રાપ્ત થાય.
ઉત્તરાધ્યયન સૂત્રમાં વિનયના ભેદ-પ્રભેદ બતાવ્યા છે, જેમ કે ૧) લૌકિક વિનય (૨) લોકોત્તર વિનય. બીજા ભેદ પ્રમાણે જ્ઞાન-દર્શન-ચારિત્ર વિનય (૩) લોકોપચાર વિનય સાત ભેદ- (૧) જ્ઞાન વિનય (૨) દર્શન વિનય (૩) ચારિત્ર વિનય (૪) મન વિનય (૫) વચન વિનય (૬) કાયા વિનય (૭) લોકોપચાર વિનય.
વસ્તુતઃ વિનયજીવનના સંપૂર્ણ વ્યવહારમાં પરિલક્ષિત છે. અનુશાસન, આત્મસંયમ, સદાચાર, શીલ, સવ્યવહાર, માનસિક, વાચિક, કાયિક નમ્રતા, ગુરઆજ્ઞાપાલન, અનાશાતના વગેરે વિનયનાં જ વિવિધ રૂપો છે.
વિનયનો એક આચાર છે અને બીજો નયન અર્થાત્ નમ્રતા છે.
તત્ત્વાર્થ સૂત્રમાં આવ્યંતર તપના છ પ્રકારમાં વિનયનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિનય એટલે જ્ઞાન આદિ સદ્ગુણો પ્રત્યે આદરભાવ. તે અનુસાર વિનયના વિષયને મુખ્યતઃ ચાર ભાગોમાં વિભાજિત કરવામાં આવ્યા છેઃ (૧) જ્ઞાન પ્રાપ્ત કરવું, તેનો અભ્યાસ ચાલુ રાખવો અને તેને ભૂલવું નહીં એ જ જ્ઞાનનો વિનય છે. (૨) તત્ત્વની યથાર્થ પ્રતીતિસ્વરૂપ સમ્ય દર્શનથી વિચલિત ન થવું, તેના પ્રત્યે થતી શંકાઓનું નિવારણ કરી નિઃશંકભાવની સાધના કરવી એ દર્શન વિનય છે (૩) સામાયિક આદિ ચારિત્રોમાં ચિત્તને એકાગ્ર રાખવું એ ચારિત્ર વિનય છે (૪) જે આપણા કરતાં સણોમાં શ્રેષ્ઠ હોય તેમના પ્રત્યે અનેક પ્રકારથી યોગ્ય . વ્યવહાર કરવો, જેમ કે વંદન કરવા ઈત્યાદિ ઉપચાર વિનય છે.
ભગવતી આરાધનામાં કહ્યું છે - એ વસ્તુને છોડી દેવી જોઈએ જે થકી કયાયરૂપી અગ્નિ ઉત્પન્ન થાય છે અને તે વસ્તુને અપનાવવી જોઈએ જે થકી
-૧૧૩૯
છCAવિનયધર્મ Prem કષાયોનો ઉપશમ થાય. આચાર્ય હરિભદ્ર કહે છે #Tઘમુવર ઘનુરે મુવર કષાય જ્ઞાનરૂપી દૃષ્ટિને મલિન કરે છે. સમ્યક દર્શનરૂપી વનને ઉજાળી નાખે છે. ચારિત્રરૂપી સરોવરને પણ સુકાવી નાખે છે. તારૂપી પત્રોને બાળી દે છે. અશુભ કર્મબંધન કરાવે છે. અને શુભ કર્મના ફળને રસહીન કરી દે છે. સ્વચ્છ મનને મલિન કરી દે છે ગાઢ નરકમાં જીવોને ધકેલે છે. દુઃખના ચક્કરમાં ફસાવે છે. આ રીતે કષાય અનેક અનર્થ કરાવે છે, તેથી કષાયને શાંત કરવા જોઈએ. જૈન દર્શનમાં માન એ ચાર કષાયોમાંનો એક કષાય છે જેનો પ્રતિપક્ષ છે વિનય. કહ્યું છે કે પોતાની પ્રશંસા કરવી છોડી દો. જૈન દર્શનમાં કષાયો જીતવાની વાત છે. કષાયો જીવને અવશ્ય દુર્ગતિમાં લઈ જાય છે. ક્રોધ, માન, માયા, લોભ એ ચાર મોટા શત્રુઓ છે. અહીં આપણે ફક્ત “માન’ વિષે વિચારણા કરીશું, કારણકે માન વિનય માટે દૂષણરૂપ છે, વિનરૂપ છે. ભગવાન મહાવીરે દશવૈકાલિક સૂત્રના આઠમાં અધ્યયનમાં કહ્યું છેઃ ‘‘માનને મૃદુતાથી જીતવું’’-“Ni Hવા નિ ને . અહીં કેટલા ઓછા શબ્દોમાં માર્મિક વાત કરી છે. જૈન દર્શનના આ વચનમાં જેમ સાંસારિક જીવન સારી રીતે જીવવાની ચાવી રહેલી છે તેમ અધ્યાત્મમાર્ગનું પણ ઊંડું રહસ્ય રહેલું છે. જીવ મુક્તપથગામી કેવી રીતે બની શકે તેનું દિશાસૂચન કર્યું છે. દશવૈકાલિક સૂત્રમાં ‘વિનયસમાધિ' નામે નવમું અધ્યયન છે. જૈન આગમોમાં વિનયનો પ્રયોગ આચાર અને એની વિવિધ શાખાઓના અર્થમાં થયો છે. વિનયનો અર્થ કેવળ નમ્રતા જ નથી, નમ્ર ભાવ આચારનો એક ભાગ છે. પ્રશમરતિમાં વાચક ઉમાસ્વાતિ કહે છે માનનો વિનયથી પરાજય કરવાનો છે.
"श्रुतशील विनय संयुषणस्व धर्मार्थ काम विघ्नस्य ___ मानस्य केऽवकाशं मुहूर्तमपि पंडितो यात्" મૃદુતાથી માનને જીતવાનું છે. મૃદુતાનો ભાવ એટલે માર્દવ. વિનય, મૃદુતા એ આત્માનો સ્વભાવ છે, પરંતુ જ્યારે મૃદુતા દબાઈ જાય છે. ત્યારે કઠોરતા, અભિમાન પ્રગટે છે. એ જ માન કષાયનું બીજું નામ છે. સર્વગુણ વિનયમાં સમાયેલા છે અને વિનય માર્દવધર્મને આધીન છે. આ વિનયગુણ તેને જ પ્રાપ્ત થાય છે જે માનને જીતી લે છે અને જે મનુષ્યમાં આ મદોને દૂર કરાવવાળો માદેવધર્મ હોય છે તે મનુષ્ય સર્વગુણ સંપન્ન હોય છે. સ્થાનાંગ સૂત્રમાં આઠ મદસ્થાન કહ્યાં છે (૧) જાતિમદ (૨) કુલમદ (૩) બલમદ (૪) રૂપમદ (૫) તપમદ (૬) શ્રતમદ (૭) લાભમદ (૮) ઐશ્વર્યમદ.
આથી જ ધર્મનાં જે દશ લક્ષણ ગણાવવામાં આવે છે તેમાં માર્દવ આવે છે