________________
© ©4 વિનયધર્મ @ @ યોગનું પ્રવર્તન કેવું હોવું જોઈએ તેની વાત આવે છે.
૧) ત દિફ્રિએ - હે ભંતે! આપની દૃષ્ટિ જેવી દૃષ્ટિ મને પ્રદાન કરો.
૨) ત મુત્તિએ - હે પરમાત્મ! આપના સિવાય બીજા બધાથી મુક્ત કરો, ફક્ત આપના જ સ્મરણમાં રહેવું છે.
૩) ત સન્નિ - હે કરુણાનિધિાન ! મારી સર્વ સંજ્ઞાઓ ફક્ત આપના અનુસંધાનમાં જોડાઈ જાય, જેવા આપના વિચાર તેવા જ મારા વિચારો.
૪) ત પુરક્કારે - હે ગુરુ ભગવંત ! મારું અસ્તિત્વ સતત આપની આજ્ઞામાં રડે
૫) તત્રિવેણે - હે ભંતે ! હરએક પળ આપનાં શરણ અને સ્મરણમાં વીતે, આપના સિવાય બીજી કોઈ ઉપાસના નહીં.
પાત્રવાન શિષ્ય પૂર્ણ એકાગ્રતાપૂર્વક અને મનના ઉત્કૃષ્ટ ભાવો પડે ગુસાંનિધ્યની હરએક ક્ષણને અપૂર્વ પણ સમજીને વિનયભાવપૂર્વક માણે છે અને એના યોગો થકી અવિનય ન થઈ જાય એની સતત સાવધાની અને જાગૃતિ રાખે છે.
વચન યોગ વિનય :
શ્રી ભગવતી સૂત્રના અધિકાર દ્વારા જણાય છે કે, પરમાત્માના સમયના શ્રાવકો જ્યારે એકબીજાને મળતા ત્યારે કહેતા... “ઇણમેવ નિર્ગાથે પાવયણે સચ્ચે અણુત્તર, એસ અટ્ટ ઍસ પરમÈ સેસે અણહે - જેનો અર્થ એમ છે,
હે દેવાનુપ્રિય ! સર્વજ્ઞ પરમાત્માનો નિગ્રંથ ધર્મ એ જ સત્ય છે, એ જ અનુત્તર છે, એ જ અર્થ છે, એ પરમાર્થ છે અને બાકી બધું નિરર્થક છે'', એમ કહીને વાર્તાલાપની શરૂઆત કરતા હતા. આવી ઉત્કૃષ્ટ શ્રદ્ધા ધરાવતા શ્રાવકો જ્યારે પ્રભુની અમૃતવાણીનું શ્રવણ કરતા ત્યારે વિનયમાં તરબોળ વચનો દ્વારા અનેક રીતે વિનય પ્રતિપતિ કરતા.
એવમેય ભતે ! તહમેય ભતે ! સેવં ભંતે ! અવિતહમેય ભંતે ! તમેવ સર્ચ નિશકે !
“હે ભગવન્! આપે જેમ ફરમાવ્યું તેમ જ છે, આપે જેમ આજ્ઞા આપી તેમ અમે અમારા મન, વચન અને કાયાના યોગ જોડવાનો પ્રયત્ન કરશું, આપના
- ૬૧ -
© C C4 વિનયધર્મ
cres નિર્દેશનો અમારા દ્વારા સ્વીકાર થશે, આપનો ઉપદેશ અમારા માટે અનંત હિતકારી છે, આપ અમને સત્યની રાહ બતાવનારા છો, અમે અજ્ઞાની અને મૂઢ છીએ.”
વિનયવાન શ્રાવકો સર્વજ્ઞ પરમાત્મા સમક્ષ શૂન્ય અને અજ્ઞાની બની પોતાની સામાન્યતા અને ભગવાનની શ્રેષ્ઠતાનો અનુભવ કરતા. જે બુદ્ધિશૂન્ય થાય છે, તેનામાં વિનયગુણ પ્રગટે છે અને અહોભાવપૂર્વક વિનયભાવની અભિવ્યક્તિ જ તેમના જ્ઞાનગુણની વૃદ્ધિનું મૂળભૂત કારણ બને છે.
પરમાત્મા કહે છે : | પસન્ના લાભ ઇસંતિ, વિયુલ અફ્રિએ સુર્ય ૮ શિષ્યનો વિનય જોઈને ગુરુ કે પરમાત્મા પ્રસન્ન થાય છે અને પોતાના શિષ્યને વિપુલ પ્રમાણમાં અર્થ અને શ્રુતજ્ઞાન અર્પણ કરે છે. વિનયશ્રુત પ્રાપ્તિનું કારણ છે. ગુરુનો રાજીપો પામનાર ક્યારેય પણ દુઃખી થતો નથી.
કાય યોગ વિનય :
કાય યોગ વિનયના અનેક પ્રકાર હોય છે. એમાંથી એક પ્રકાર છે એકરૂપતા વિનય'.
ધર્મ ક્ષેત્રમાં જ્યારે ઉપાસકોનો સમુદાય એકત્રિત થાય છે ત્યારે એમના ચાલવામાં, બોલવામાં, બેસવામાં અને દરેક વર્તનમાં એકરૂપતાની પ્રતીતિ થવી જોઈએ. ધર્મ ક્ષેત્રમાં પ્રવેશ થતાં જ પગરખાં, ચપ્પલ અને shoesને એક લાઈનમાં રાખવા, ધર્મસભામાં, lineસર બેસવું, પ્રવચન આદિ સંપન્ન થયા બાદ વિનય પ્રતિપતિથી થતી ત્રણ વાર તિખુત્તોની વંદનામાં પણ એકરૂપતાનો વિનય હોવો આવશ્યક છે. દૂરથી ગુરુનું આસન જોતાં જ સર્વ ઉપાસકોના હાથ અંજલિકરણ મુદ્રામાં જોડાઈ જાય અને જ્યાં સુધી ગુરુના સાંનિધ્યમાં હોય ત્યાં સુધી સ્વયંનો વિનય અભિવ્યક્ત કરતા હાથ અંજલિબદ્ધ જ રહે છે, કેમકે શ્રાવક-શ્રાવિકા અને ઉપાસકોના વર્તનથી જિન શાસનની ગરિમાં પ્રતિબિંબિત થાય છે.
ગુરુના સાંનિધ્યે મોબાઈલ ફોનનો પ્રયોગ કરવો તે માત્ર કાયાથી જ નહિ, પરંતુ મન, વચન અને કાયા ત્રણેથી થતો મહાઅવિનય છે. મોબાઈલને સ્વિચ ઑફ અથવા સાઈલેન્ટમાં જ રાખવો જોઈએ જેથી આપણા થકી સદ્ગુરુનાં જ્ઞાન, દર્શન અને ચારિત્રના ભાવોમાં વિક્ષેપ ન પડે અને ભવિષ્યમાં ગુરુસાંનિધ્ય પ્રાપ્ત ન થાય એવી અંતરાયથી બચી જઈએ.
ધર્મ ક્ષેત્રે આવતા નવા બૌદ્ધધર્મી સાધકોને કોઈ પણ વિધિ, વિધાન, પૂજા કે ક્રિયાઓની સમજણ દેતાં પહેલાં સહુ પ્રથમ વિનયધર્મની મહત્તાનો બોધ