SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ CC4 વિનયધર્મ P er વિનય : વિનયને સમજવા માટે પ્રથમ નવ તત્ત્વમાંના નિર્જરા તત્ત્વને વિસ્તારથી જાણીએ. નિર્જરા અર્થાત્ છૂટા પડવું.અહીં જીવ બે રીતે કર્મ ક્ષય કરે છે. અ) બંધાયેલાં કર્મ પરિપક્વ થયાં પછી ફળ આપીને છૂટાં પડે તે અકામ નિર્જરા. બ) બંધાયેલાં કર્મ પરિપક્વ થાય તે પહેલાં તપ વગેરે ક્રિયાઓ દ્વારા એનો ક્ષય કરવામાં આવે તે સકામ નિર્જરા. સકામ નિર્જરાતપના બે પ્રકાર છે-બાહ્ય તપ અને અત્યંતર તપ. આ બંને પ્રકારો દેહ અને મનની ભૂમિકાથી જોડાયેલા છે. ફક્ત બાહ્ય દૃષ્ટિએ ઉપવાસ આદિ કરવાથી કર્મનિર્જરાનો હેતુ સરતો નથી. સાધુ-સાદ્ધવી પ્રત્યે ભક્તિ ન હોય, મન આર્તધ્ધયાનમાં લીન હોય તો કર્મનિર્જરા હેતુ કરેલું તપ અશુભ કર્મબંધ પણ કરાવી શકે. અહીં દેહની ક્રિયાઓ સાથે હૃદયની ઉચ્ચ ભાવનાઓને પણ જોડવી જરૂરી છે, અન્યથા તપસ્વીને એનો લાભ પ્રાપ્ત થતો નથી. બંને પ્રકારોમાં છ પેટાવિભાગો છેઃ બાહ્ય તપઃ અનશન વૃતિસંક્ષેપ ધ્યાન - કાયોત્સર્ગ વિનયનો શબ્દાર્થ જોઈએ તો વિ-વિશેષપણે અને નય-સવ્યવહાર. આમ વિનયને વિશેષપણે સવ્યવહાર કહી શકાય. વિનયની સાથે વિવેક, પ્રસન્નતા, ભલાઈ, નિદભીપણું વગેરે ગુણો આપોઆપ પ્રવેશે છે. જૈન દર્શનમાં વિનયગુણને અલગઅલગ પ્રકારે મૂળ તત્ત્વોમાં સમાવેશ કરવામાં આવેલ છે. વિનયપૂસ્ત્રો ધબ્બોધર્મનું મૂળ વિનય છે. વિનયની વ્યાખ્યાઓ પુપુ દ્વા; વિન: રત્નત્રય નીવૃત્ત: જિજ્ઞા:.. આઠ પ્રકારનાં કલેશકારક કર્મોને જે અંકુશમાં રાખે તે વિનય... ઉપરાંત જ્યાં પણ નમસ્કારનો ભાવ ઉત્પન્ન થાય એ વિનય છે... પ્રથમ તો પંચપરમેષ્ઠી દરેકને વિનયથી નમસ્કાર કરાય છે અને બીજું આચાર્ય મહારાજ પણ નમો શબ્દ દ્વારા પોતાનાથી નાના ઉપાદ્ધયાય-સાધુને વંદન કરે છે. વિનયનો વિસ્તાર : આચાર્ય ભગવંતના છત્રીસ ગુણોમાં ચાર પ્રકારના વિનયગુણોનો સમાવેશ છે - આચાર વિનય, શ્રુત વિનય, વિશેષણ વિનય અને દોષનિર્ધાનતા વિનય - દોષોને દૂર કરાવવાનો ગુણ. © C C4 વિનયધર્મ cres આવશ્યક ક્રિયાઓમાંની ત્રીજી વંદન ક્રિયા દેવ અને ગુરુ પ્રત્યે બાહ્યરૂપથી વિનય બતાવે છે. શ્રી લક્ષ્મીસૂરિ ઉપદેશ પ્રાસાદમાં જણાવે છે કે લોકવ્યવહાર અને લોકોત્તરવ્યવહારમાં વ્યક્તિ પ્રત્યે વિનય અને સન્માનની લાગણી દર્શાવવા કરાતા નમસ્કાર, માથું નમાવવું, આસન આપવું. પ્રશંસા કરવી, ઉપકાર માનવો, લેવામૂકવા જવું વગેરે અત્યંતર વિનય છે. ઘણી વાર વયોવૃદ્ધધ પંડિત, યુવાન સાધુને અભ્યાસ સમયે ફક્ત દેખાવ ખાતર વંદન કરે છે જે બાહ્ય વિનય છે. તત્ત્વાર્થ સૂત્રમાં વિનયઃ નિશ્ચય અને વ્યવહારનયની દૃષ્ટિએ તત્ત્વાર્થ સૂત્રમાં વિનયના ચાર પ્રકાર બતાવ્યા છે - જ્ઞાન, દર્શન, ચારિત્ર અને ઉપચાર-વ્યવહાર વિનય. ભગવતી આરાધનામાં ઉપરોક્ત ચાર વિનયની સાથે તપનો પણ સમાવેશ કર્યો છે, જ્યારે ઔપપાતિકસૂત્રમાં મન, વચન અને કાયાને અલગ ગણીને વિનયના સાત પ્રકાર બતાવ્યા છે. - જ્ઞાન વિનય, દર્શન વિનય, ચારિત્ર વિનય, મનો વિનય, વચનવિનય, કાય વિનય, લોકોપચાર વિનય, લોકવ્યવહાર વિનય. જ્ઞાન વિનય માટે જૈન ધર્મમાં વિસ્તારથી સમજ આપી છે. વિદ્યા વિનયેન શોભતે. શ્રેણિક મહારાજાએ જ્ઞાનપ્રાપ્તિ માટે ચોર પ્રત્યે વિનય ન બતાવ્યો તો તેઓ વિદ્યા શીખી ન શક્યા, પરંતુ અભયકુમારના સમજાવવાથી જેવો એની સાથે વિનયુક્ત વ્યવહાર દર્શાવ્યો કે તુરત જ વિદ્યા આવડી ગઈ. જ્ઞાન વિનયમાં અક્ષર, ઉપકરણ કે જ્ઞાનીની આશાતના ન કરવી, પરંતુ તેમના પ્રત્યે પૂજ્યભાવ રાખવાનું વિધાન છે. શ્રીમજી આત્મસિદ્ધિશાસ્ત્રમાં જણાવે છે : જે સગુના ઉપદેશથી પામ્યો કેવળજ્ઞાન ગુરુ રહ્યા છદ્મસ્થ પણ વિનય કરે ભગવાન. તીર્થંકર પરમાત્મા સમવસરણમાં બિરાજતા સમયે નમો તિથલ્સ અને નમો સંઘસ્ય કહી વિનય દર્શાવે છે. ગુરણી ચંદના કરતાં શિષ્યા મૃગાવતીને પહેલા કેવળજ્ઞાન થયું ત્યારે બંનેએ વિનયનું પાલન કર્યું. દર્શન વિનય માટે સમક્તિના સડસઠ બોલની સઝાયમાં વિનયના દશ પ્રકારની ગણના કરાઈ છે. અહીં ઉપાદ્ધયાયજીએ વિનયગુણને ધર્મનું મૂળ કહ્યું છે. વૈદિક ધર્મમાં વિનયગુણનું ચિંતનઃ આપણે જોયું કે વિનય તપ અને સાધના સાથે સંલગ્ન છે. ત્યાગ અને તપસ્યા વગર નૈતિક જીવનની કલ્પના પણ શક્ય નથી. વૈદિક ઋષિ ઘોર તપ કરતા હતા એ સુવિદિત છે. તેમના મત પ્રમાણે તપસ્યાથી જ બ્રહ્મની પ્રાપ્તિ થાય
SR No.034387
Book TitleGyandhara 15 Vinay Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages115
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy