________________
©©ર્વે વિનયધર્મ c ©n વિનય અને આપણું જીવન
- ડૉ. નલિની દેસાઈ કોઈ પણ ધર્મના મુખ્ય મંત્રનું પહેલું સોપાન કયું? કોઈ ‘ૐ નમો શિવાય’ કહે, કોઈ ‘ૐ નમો અરિહંતાણં’ કહે, તો કોઈ ‘ૐ નમો વાસુદેવાય' કહે. ધાર્મિક મંત્રોના આ મુખ્ય મંત્રના પ્રારંભમાં જ કેમ ‘નમો’ શબ્દ આવે છે? એનો મર્મ એ છે કે ઈશ્વરપ્રાપ્તિનું પહેલું પગથિયું તે નમન છે. એમાં નમવાની વાત છે, પ્રણામની વાત છે. જો ભીતરમાં નમવાનો વિનય જાગ્યો ન હોય, તો વ્યક્તિ અથવા સાધકે ધર્મમાં ગતિ કરી શકતો નથી. એનું કારણ એ કે ધર્મ એ ભીતરમાં ગુણોની ખેતી કરવાનો પુરુષાર્થ છે અને એ પુરુષાર્થમાં જો નમ્રતા કે વિનય ન હોય, તો તે શક્ય બનતું નથી.
ધર્મના મહામંત્રનું કેન્દ્ર જેમ વિનય છે, તે જ રીતે વ્યક્તિના જીવનનું કેન્દ્ર પણ વિનય છે. વિનય જેટલો ઈશ્વરની આરાધનામાં ઉપયોગી છે, એટલો જ વ્યવહારમાં સફળ થવા માટે આવશ્યક છે. આવા વિનયને જીવનના પ્રત્યેક તબક્કે જોઈ શકાય અને ધર્મસાધનાની તમામ ભૂમિકાએ જાણી શકાય. જીવનમાં વ્યક્તિ માતા-પિતાનો વિનય કરે છે, તો એ જ રીતે સાધનામાર્ગમાં સાધક પોતાના ગુરુનો વિનય કરે છે. જે સાધકોની વચ્ચે રહેતો હોય તે સાધકો સાથે વિનયથી વર્તે છે.
શા માટે આટલો બધો મહિમા હશે વિનયનો? એનું કારણ એ છે કે વિનય એ જ્ઞાનનું દ્વાર અને મુક્તિનો માર્ગ છે. આપણે ત્યાં કહેવાયું છે કે, “સાક્ષરા વિપરિતા રાક્ષસા ભવંતિ.’ તો સાક્ષર રાક્ષસ ક્યારે બને? જ્યારે વિનય ગુમાવે
4 વિનયધર્મ PICT વિનયને ઠોકર મારવામાં આવે, તો એ ક્રોધને જન્મ આપે છે.’ આ સંસ્કૃત ઉક્તિનો મર્મ અત્યંત ગહન છે. રાવણને વારંવાર સમજાવતી મંદોદરી પ્રત્યે રાવણને ક્રોધ જાગે છે અને એ ક્રોધ માત્ર મંદોદરીમાં જ સીમિત ન રહેતાં પોતાના આખાય કુળને ભસ્મીભૂત કરે છે. મહાભારતની રાજસભામાં વિષ્ટિ માટે આવેલા કૃષ્ણ પ્રત્યે અવિનય આચરવામાં દુર્યોધને પાછા વળીને જોયું નહીં. એ દુર્યોધનનો અવિનય એના ક્રોધરૂપે પ્રગટ થયો. એ એના પિતા ધૃતરાષ્ટ્ર અને કાકા વિદુર પ્રત્યે ક્રોધ વ્યક્ત કરે છે.
અર્થાત્ વ્યક્તિ પાસે વિનય ન હોય તો એ ક્રોધી બની જાય છે. વિનય નમ્રતા આપે છે અને એની સાથોસાથ સામી વ્યક્તિના ભાવોને સમજવાની શક્તિ આપે છે. અવિનયી હંમેશાં અળખામણો બનતો હોય છે અને વિનયી સહુનો આદરપાત્ર થતો હોય છે, આથી તો ‘કિરાતાર્જુનીય’ નાટકની એ ઉક્તિનું સ્મરણ કરીશું, ‘વિપત્તા વિનીતલપૂડા’ અર્થાત્ “અવિનયી લોકોની સંપત્તિનો અંત વિપત્તિમાં આવે છે.”
ભારતીય સંસ્કૃતિમાં આનાં અનેક ઉદાહરણો મળશે કે જ્યાં અવિનયી લોકોએ પોતે જ પોતાનાં સત્તા, સામર્થ્ય કે સંપત્તિનો અંત આણ્યો હોય. આથી જ જીવનનું પ્રાથમિક, પણ મહત્ત્વનું ધ્યેય વિનયપ્રાપ્તિ છે અને વિનયથી જીવનમાં વિશાળતાનું આકાશ ખૂલે છે. આ વિશે એક ઉદાહરણ જોઈએ તો...
ફ્રેન્ચ વિશ્વકોશકાર, નવલકથાકાર, નાટયમીમાંસક અને તત્ત્વજ્ઞ દેનિસ દીદેરોને મળવા માટે એક યુવક આવ્યો. એણે પોતાનો પરિચય આપતાં કહ્યું કે એ એક નવોદિત લેખક છે. એણે એક પુસ્તક લખ્યું છે અને એની ઈચ્છા એ છે કે પુસ્તકનું પ્રકાશન થાય. તે પૂર્વે એની હસ્તપ્રત પર દેનિસ દીદેરો નજર નાખી જાય. દેનિસ દીદરોએ એને પુસ્તકની હસ્તપ્રત મૂકી જવા કહ્યું અને પછીને દિવસે આવીને લઈ જવાનું કહ્યું. એક દિવસમાં તેઓ આ હસ્તપ્રત વાંચી નાખશે.
બીજે દિવસે નવોદિત લેખક દેનિસ દીદેરો પાસે ગયો, ત્યારે દીદરોએ એને કહ્યું કે તેઓ આખી હસ્તપ્રત વાંચી ગયા છે અને એમાં એણે પોતાની આકરી ટીકા કરી છે, તેનાથી પ્રસન્ન થયા છે. યુવાન તો માનતો હતો કે દેનિસ દીદેરો પોતાના વિશેની તીવ્ર આલોચનાથી અત્યંત ગુસ્સે થશે. એને બદલે એમણે તો પ્રસન્નતા પ્રગટ કરી અને જરા હળવેથી પૂછયું પણ ખરું કે મારી આવી કડક ટીકા કરવાથી તને શો લાભ થશે?
- ૧૯૪ -
ત્યારે.
આનું કારણ એ છે કે વિનયથી ગર્વ આવે છે, અહંકાર જાગે છે, બીજાના જ્ઞાન પ્રત્યે જોવાને બદલે પોતાના જ્ઞાનનો ઘમંડ જાગે છે. બીજાની શક્તિને જાણવાને બદલે પોતાની શક્તિના અભિમાનમાં ડોલવા લાગે છે અને આને પરિણામે વિનય એ વ્યક્તિના ચિત્તને અહંકારથી ઘેરી લે છે. એનામાં કોઈ બહારનો પ્રકાશ આવતો નથી. કોઈ અંધારી ગુફામાં કેદ થયેલા માનવી જેવી એની દશા હોય છે.
આથી જ સંસ્કૃત ભાષાના સમર્થ નાટ્યકાર ભાસના ‘ચારુદત્ત’માં આવતી એ ઉક્તિ અત્યંત માર્મિક છે, ‘ઝનસ નુ સેવં પ્રશ્રો fમાન:’ ‘જો
- ૧૯૩ -