________________
યત્કિંચિત શાસ્ત્રકાર મહારાજા શ્રીમદ્ રનશેખરસૂરીશ્વરજી મહારાજે શ્રીશ્રીપાલચરિત્રસિરિસિરિવાલકહા)ની રચના કરી છે, તે પરના ધ્યાનસ્થ સ્વગત આગામે દ્ધારક શ્રીઆનંદસાગરસૂરીશ્વરજીનાં સં. ૧૯૦ ના આ માસની શાશ્વતિ આયંબિલની એ નીમાં આપેલ વ્યાખ્યાનને આ સંગ્રહ છે. તેની પ્રથમ આવૃત્તિ સં. ૧૯૧ માં મહેસાણાવાલાની સહાયથી છપાઈ હતી; તેની જ આ બીજી આવૃત્તિ છે.
આ વ્યાખ્યાન સંગ્રહનું નામ “સિદ્ધચક્ર મહાત્મય ” છે. આ વ્યાખ્યાને તે જૂનાં થયાં તેને ફરી છપાવવા સુસંગત છે ? એ પણ પ્રશ્ન ઉદ્ભવે. મને લાગે છે કે જરૂર આ સંગ્રહ ફરી છપાવવા યોગ્ય છે. તેનાં કારણે પણ છેઃ (૧) તેમાં અનેક સામગ્રી છે, (૨) અનેક ખુલાસા છે, (૩) અનેરૂ અને અવનવું માર્ગદર્શન પણ છે. આ બધું છે, તે કારણે પૂરાતન હોવા છતાં સનાતન હોય એમ લાગે છે અને તે પારખવાને વિવેક હેય તે તે સમજી શકે તેમ છે.
આ આવૃત્તિને સુવાચ્ય અને સુસ્પષ્ટ કરવા જરૂરી વિરામચિન્હ મૂકવામાં આવ્યાં છે; અને બે ત્રણ સ્થળે શાબ્દિક ફેરફાર પણ કર્યા છે. વાચકને કઈ કઈ જગાએ