SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન ર૨૪ મું ૨૦૭ કેમકે તેઓ કદાપિ પર્યાપ્તા થાય જ નહિ. એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, જલચર, સ્થલચર, તિર્યંચ પર્યાપ્ત થાય, સંમૂચ્છમ મનુષ્ય કદાપિ પર્યાપ્તા થાય જ નહિ. પ્રશ્ન થશે કે તે તેને લાભ શે ? ચેરને ચકોરાઈ મળી તેમાં લાભ શ? આપણે પાપાનુબંધી પુણ્ય માનીએ છીએ. પંચેન્દ્રિય જાતિ મળી. મનુષ્ય ગતિ મળી, પણ જે દુર્ભાગ્ય બીજે નથી તે દુર્ભાગ્ય મૂર્ણિમ્ મનુષ્યપણામાં છે, એ જી પૂરી પર્યાદિત ન જ મેળવે. અપૂર્ણ શક્તિએ અંતમુહૂર્તમાં તે કાળ કરેમરે. કાળ કરે ત્યાં જ બીજા ઉપજે. તેને છેડો નથી. વનસ્પતિમાં સચિત્ત વધારે વખત રહે છે. પ્રત્યેક વનસ્પતિકાયની સ્થિતિ ૧૦૦૦૦ વર્ષની છે. સર્વે સાધારણ તથા સંમૂચ્છિમ્ અંતમુહૂર્ત આયુષ્યવાળા છે તે ધ્યાનમાં રાખે. બીજી વનસ્પતિને કાપીશું, છેદીશું ત્યારે અચિત્ત થશે, પણ કંદમૂળમાં તે કાપ્યાછેડ્યા વિના અગર કાપી છેદી લાવ્યા હો તો પણ, (અંતર્મુહૂર્ત આયુષ્યને શબ્દ ભલે પકડે છતાં, ત્યાં બીજા ઉપજે છે, કુંવેરના પાઠાને કાપી લાવીને લટકાવે. એને નથી મળતું પાણી, નથી મળતી માટી છતાં તે વધે છે. તાત્પર્ય એ કે અંતર્મુહૂર્તમાં પહેલાંના જ મરી જાય છે, અને વધનારા બીજા જીવે ત્યાં ઉત્પન્ન થાય છે. સમયે સમયે જેની ઉત્પત્તિની વાત જેઓ ભૂલી જાય, તેને સમજ શી રીતે પડે? કલેમાદિમાં મનુષ્યના જે જ સંમૂર્ણિમ્ ઉપજ્યા, તે અંતમુહૂર્તમાં મરે, પણ તેથી વિરાધના બંધ થાય, તેમ ન સમજવું; કારણ કે ત્યાં નવા નવા જીવ ઉપજે છે. દેડકાંઓ દેડકાના અર્થમાં જ ઉપજે છે, અગર સ્વતંત્ર પણ ઉપજે. ગર્ભજ મનુષ્યનાં માંસ, પિત્ત, ઉલટી, લેહી, પિશાબ, વિષ્ટા વગેરે અશુચિ પદાર્થોમાં મૂર્છાિમ મનુષ્ય ઉપજે છે, તે દશ પ્રાણોની પૂરી પર્યાપ્તિને નથી જ પામી શક્તા, તેથી તેઓ એક જ પ્રકારના છે એવે ઉત્તર દેવાય. હવે ગર્ભજ મનુષ્ય વગેરેના ભેદને અધિકાર કહેવાશે. તે, અગે વર્તમાન.
SR No.034381
Book TitleAgamoddharak Pravachan Shreni 186 to 236
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
PublisherAnand Hem Granthmala
Publication Year1981
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy