SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ ] શ્રી આગદ્વારક-પ્રવચન-શ્રેણું એએ ના કરી તેને ખુલાસે થશે. મરીચિ ચકવર્તીને પુત્ર ઋષભદેવછના વંશને, ચકવતની ઋદ્ધિ છેડીને નીકળેલો દેશનાશક્તિવાળે તે શક્તિ પણ ત્યાં સુધીની કે ઋષભદેવ પ્રભુના ૮૪૦૦૦ સાધુ મરીચિની જ દેશનાશક્તિ જેવી બીજાની દેશને નહીં હતી. તેથી ઘણું રાજપુત્રને પ્રતિબધી સાધુની દીક્ષા આપી પ્રભુના ચેલા બનાવે છે. મરીચિ તે સાક્ષાત્ ચેલા આપતો હતો, પ્રતિબોધ કરીને આપતો હતો, તે પછી સાધુઓએ મરીચિને પાટલે બેસાડો જોઈએને? તમે તે કહે છે અમારામાંથી સાધુ થશે પણ તમે પ્રતિબોધીને નથી આપતા. તમારી ઉપરવટ થાય ત્યારે સાધુ થાય છે, તમે તો કરતા નથી. મરીચિ તત્ત્વ સમજાવે, વૈરાગ ઉપજાવે પણ એ સાધુપણું માગે ત્યારે કહે કે સાધુપણું સાધુઓ પાસે જઈને લ્યા. તે ચેલા દેનારા કોણ? મરીચિ. તો તે મરીચિને પહેલા નંબરમાં મૂક્યું નહીં. શ્રાવક ક્ષેત્રથી બધા ક્ષેત્રનું પિષણ થાય તે મરીચિની મહત્તા હોવી જોઈએને? મરીચિ પોતે રાજપુત્ર ચેલા આપતે હતો, પોતે જ સમજાવીને પ્રતિબંધ કરીને રાજપુ ને ભગવાનના ચેલા બનાવતો તે કેવું ક્ષેત્ર મોટું હોવું જોઈએ? તે તે મરીચિને પુંડરિક સ્વામી કે આદીશ્વર ભગવાન કરતાં અને શ્રમણ કરતાં મોટું ક્ષેત્ર માનવુંને? પિષ્ય-પોષક ભાવને ક્ષેત્રના મૂળ તરીકે ગણતા હોય પણ આરાધ્ય-આરાધક ભાવે જે સમજતા ન હોય તેમણે મરીચિની વાત ધ્યાનમાં રાખવી. આ મરીચિએ લાખો વરસે સુધી સાધુપણું પાળ્યું. ઢીલો થયે છતાં સાધુની સેવા છોડી નથી, પ્રતિબેધ કરવાનું છોડયું નથી. આટલું છતાં પણ જ્યારે મરીચિ લગીર માંદો પડ્યો ત્યારે સાધુઓએ તેની શી સારવાર કરી ? કંઈ જ નહિં. જ્યારે આજના સાધુ તમારામાંથી ચેલા મળશે, માટે તમને તમારા બાયડી છોકરાને સંભાળવાનું ને પિષવાનું કહેવા તૈયાર થાય તો ઋષભદેવજીએ મોટી ભૂલ કરી કે મરીચિને ન સાંભળ્યો. સાધુઓએ સાધુ ધર્મ સાચવીને મરીચિની દરકાર કરી નહિં. તમારી અપેક્ષાએ મરીચિની, દરકાર ન કરનાર ઋષભદેવજી વગેરે સાધુ જ નથી. આ સાધુ રાજપુત્ર જે ચેલા લાવી આપનારની દરકાર ન ગણે તે સાધુ શી રીતે? પણ આ મરીચિ હજુ સમ્યક્ત્વપૂર્વક દ્વાદશ વ્રત ધારણ કરનાર છે.
SR No.034379
Book TitleAgamoddharak Pravachan Shreni 096 to 129
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy