SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ આગમોદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજો ૩૩૭ સાધુઓના ટાઓનું ફિતુર આ આત્મા ધર્મની કિંમત સમજ્યા વગર ધર્મ કરનાર થાય છે, તેના પરિણામે કષાય દાવાનલમાં ધર્મ સળગાવી દે છે. તમારે અને અમારે પણ ભેળું છે. દુર્ગતિ, કર્મ, નિગોદ અગર નરક એ આ વેષથી ડરતી નથી. તે આ રજોહરણનો દુરૂપયોગ કરવાથી, ગ્ય ઉગ નહિ કરવાથી કે વેષમાત્રથી ડરતી નથી. અમે પણ પ્રસંગ આવે તે એજ સ્થિતિમાં છીએ. અમે ફેટાવાળ! આ સ્ટાઈલમાં આમ ફેટા પાડ. ફોટા પાડતી પડાવતી વખતે કઈ સ્થિતિ ? અભિમાનના પુતળા થયા સિવાય કેવી રીતે ફોટા પડ્યા? મૂર્તિ કરાવવાને લાયક ભક્તો, પૂજયે પિતે જાતે મૂર્તિ ભરાવવા લાયક નથી. ફેટાઓએ કયા કયા ગામે કઈ કઈ તકરારો સંઘમાં કરી છે, એ વિચારશે તે ખબર પડશે. દહેરાસર-ઉપાશ્રયના કારભારીએ હૃદયમાં નિર્ણય કરે ઘટે છે કે એક પણ ફિટ એ અભિમાનના ડંકાની તકરાર છે. તમારી સાધુપણની દશા ચૂકીને આ શું કરે છે? ગૃહસ્થ ભલે પાડી ત્યે તે વાત જુદી છે. મૂળમાં જાતના વાંદરા, તેને દારૂ પીવરાવ્યો, વીંછી કરડાવ્યો, અને ભૂત વળગ્યું. ત્યાં બાકી શું રહે? મૂળમાં સંસારના કીડા ને આવું આલંબન મળે, તે શું પરિણામ થાય? સાધુઓએ ફોટાની ફજેતી ને કયાં સુધી કેળવી અને પિષી ? ઉપાશ્રયના અધિકારીને એમ નથી સુઝયું કે અમારે ત્યાં આ ફીતુરના ફજેતા શા માટે ? એના જ ઝઘડા જગે જગે પર દેખો છો ને? ઝઘડા તમે જ કરવા તૈયાર છે. આમાં ધર્મનિ કો સંબંધ છે. શાને લીધે આ બધું તોફાન ? પોતાની માન દશાને ઠેકાણે રાખી શકતા નથી. આ માન દશા, ક્રોધ દશા શાથી આવે છે? ધર્મની કિંમત હજુ ધ્યાનમાં લીધી નથી. મારા કહેવાથી ધર્મ નથી, ધર્મ ફક્ત ભગવાનની વાણીમાં છે. રબારીની તકરારમાં ઘીનું માટલું ઢાઈ ગયું, તેવી રીતે માન અદેખાઈમાં આખું ધર્મનું ગાડું ઢેલાઈ જાય છે. જ્યારે એની કિંમત સમજશે ત્યારે પાંચને પંજે અને છઠ્ઠી અ, બરુ કરતાં બલકે એ બધાના ભાગે જિનેશ્વરનો ધર્મ હિંમતી ગણશે. આ બીજી ભૂમિકા છે. ફા. ૨૨
SR No.034378
Book TitleAgamoddharak Pravachan Shreni 055 to 095
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy