SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ આગોદ્ધારક પ્રવચન શ્રેણી-વિભાગ બીજે ૨૦૭. પરમ શુશ્રુષા ધમની કિંમત જાણું અને ધર્મકથન કરવાની જરૂર છે, એ સિવાય ધર્મકથન કરનારે ડૂબે છે અને સાંભળનાર પણ ડૂબે છે. ધર્મમાં ડૂબવાનું કેમ હોય? જેમ ગોળની મીઠાશ બધાને લાગે પણ પરિણામે ખુંખું કરવાનું હોય, એવી જ રીતે ધમથી દેવલે કાદિક મળે પણ પરિણામે મોક્ષ પામ મુશ્કેલ થાય છે. પ્રશ્ન—ધર્મ કહેનારને કે સાંભળનારને નુકશાન શી રીતે થાય? ઉત્તર–તેને માટે કહ્યું છે કે – મવતિ ધર્મ છોતુઃ સર્વ. જેટલાં શ્રોતા હોય તે બધા શ્રોતાને ધર્મ થઈ જાય તે નિયમ નથી. આવ્યો હતે ધર્મ સાંભળવા પણ સાંભળી ગયા કુથલી. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી કહે છે કે—બે પ્રકારના શ્રોતા, એક રસકથા સાંભળનાર શ્રોતા અને બીજા તત્વના જાણકાર શ્રોતા. એટલા માટે બે પ્રકારની શુશ્રષા, પરમ શુશ્રુષા અને અપરમ શુશ્રુષા-પરમ શુશ્રુષા તેનું નામ કે–જેમ રાગી દિની પાસે ગયે હાય-વદ દરદીના રોગને કહે, રોગની દવા ચરી બતાવે, દવાની રીતિ બતાવે, તે વખતે આપણે કેવું લક્ષ્ય રાખીએ? અથવા વેપારીને ત્યાં માલ લેવા ગયા હોઈએ, તે વખતે ભાવતાલ લેવડદેવડમાં આપણું લક્ષ્ય કેવું હોય તેવી રીતે જેઓ એમ સમજે છે કે—મારો આત્મા રોગી છે, જૈનશાસન મોટામાં મોટે વિદ છે. એ મારા આત્માને આરંભ વિષય કષાયનાં દરદીની આ દવા બતાવે છે, અમુક પ્રકારની ચરી બતાવે છે, વાપરવાની અમુક રીતિ બતાવે છે, એ જેના લક્ષ્યમાં હોય અને એજ લક્ષ્યથી સાંભળે તેનું નામ પરમશશ્રષા. આત્માને રેગી ગણે, શાસનને વેદ ગણે, બતાવેલી પરેજી અને રીતિ ઉપર બરોબર લક્ષ્ય ઘે, તે રીતિએ ધર્મ સાંભળે તે પરમશુશ્રષા કહેવાય છે. અપરમથુમૂષા શાસ્ત્રમાં દૃષ્ટાંત ચોકખું છે કે–ાજા મહારાજા ચારે બાજુની ચિંતાથી ગુંથાએલા હોય, રાજાની રાજ્યની કુંવરની લોકોની પરરાજ્યની વિગેરેની ચિંતાથી માથું ઘેરાએલું હોય, જેને રાતે સૂતી વખતે એના જ વિચાર આવ્યા કરે, તેથી નિદ્રા આવે નહિ અને રાજાને નિદ્રા
SR No.034378
Book TitleAgamoddharak Pravachan Shreni 055 to 095
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy