SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ આગમે દ્ધારક પ્રવચન શ્રેણી મનુષ્ય સિવાય દેવતા, તિય`ચ કે નરકગતિ. આ ત્રણે ગતિમાં પાંચ ઇંદ્રિયે સંપૂર્ણ અને મનવાલા છતાં પણ ધર્મરત્ન મેળવવાને લાયક નથી, કેટલીક વખત આપણે કહીએ છીએ કે, ઘેર બેઠા કયાં ધર્માં નથી થતા ? જો ઘેર બેઠા ધર્મ થતા હોય તે। દેવતા-નારકીમાં માત્ર સમ્યગજ્ઞાન-દર્શન છે, વિરતિનું નામ નિશાન નથી. પણ તિર્યંચની ગતિમાં વિરતિ થઈ શકે છે, શ્રાવકે વિરતિ કરી શકે તેમ, તિય ચા પણ વિરતિ કરી શકે છે. કારણ જે વખતે તીથ કર સરખા જ્ઞાનીએ વિદ્યમાન હોય ત્યારે તેમની દેશના સાંભળી અણુવ્રતવાળા થઈ શકે, અવિદ્યમાન હેાય ત્યારે, સ્વયંભુ સમુદ્રમાં રહેલા મત્સ્યા, પ્રતિમાના આકારના મત્સ્યા દેખી જાતિ સ્મરણથી પૂર્વક્રિયા દેખી સમ્યકત્વ પામે છે. કેટલાક તિય ચે. દેશવિરતિ પણ અંગીકાર કરે છે ને તેથી તિય અને દેશવિરતિ ગુઠાણું માનવામાં આવે છે. પણ તે સર્વથી વિરતિવાળા ન હોવાને લીધે તે ગતિમાં સાધુપણું ન હેાવાને લીધે તેમાં મેક્ષમાગ છૂટો હાતા નથી. મેાક્ષમાર્ગ તે ત્યાં બંધ જ છે. તિય ચા એકલા દેશ થકી પચ્ચખાણ કરે છે તેમ નહી. પાપના જેમ માછલાને પાણી વગરનું સ્થાન, તેમ ગૃહસ્થને સ્થાવરની અહિંસા અકળાવનાર થાય શ્રાવકે વ્રત લ્યે ત્યારે સમજે છે કે, સહિંસા એ પાપ છે, છતાં મારાથી પૃથ્વી, પાણી, વાયુ અને વનસ્પતિની હિંસા છે।ડી શકાતી નથી. કેમ ? તો કે જેમ પાણીમાં રહેલું માધ્યુ પાણીના સંઘટ્ટાને વ શકે જ નહિં, તેવી રીતે ગૃહસ્થપણામાં રહેલા પાંચકાયની હિંસા વઈ શકે નહિં, માછલાના આધાર પાણી, રહેવાનુ, ચાલવાનુ, ઉંચે નીચે આવવા જવાનું પાણીથી, માછલાને સજંગાપર પાણી પાણી, પાણી વગરની જગ્યા ઉલટી અકળાવનાર. જેમ માછલાને પાણી વગરની જગ્યા અકળાવનાર, તેમ સ્થાવરની અહિંસા ગૃહસ્થને અકળાવનાર; માટી, મીઠું, પાણી, અગ્નિ, વનસ્પતિ કે વાયરા સિવાય વ્યવહાર શી રીતે કરવા ? જેમ માછલાને પાણી સિવાય અકળામણ, તેમ ગૃહસ્થાને સ્થાવરની વિરતિ કરવી એ અકળામણ. આ વાત ઊંડી સમજશે તો સમજાશે કે-શાસ્ત્રકારે સાધુને ભિક્ષાવૃત્તિ કેમ કહી ? સાંભળવા આવે તેની પાસેથી ચપટી ચપટી લેટ માંગી લેવે, રાંધેલાની ભિક્ષાવૃત્તિ કરવી તે કરતાં કારાની ભિક્ષાવૃત્તિ કરે. કોરાની ભિક્ષા કરે તો મીઠું
SR No.034377
Book TitleAgamoddharak Pravachan Shreni 001 to 054
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1969
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy