SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ આગમોદ્ધારક પ્રવચન શ્રેણી સુખ મેળવનાર તેની આગળ કેવળજ્ઞાની માની વાત કરે તો ગળે શી તે ઉતરે? એનંતી વખતે આ જીવ ચારિત્ર પામ્યો અને માનું સુખ ન માનવામાં રખડયો. દેવલોક માન્યા, તે માટે ચારિત્રો પાળ્યા, પણ મોક્ષનું સુખ ન માન્યું, તે ન માનવાથી અનંતા ચારિત્ર કર્યા પણ રખડ. આમાં અસલી એક વસ્તુ–મોક્ષની શ્રદ્ધા આવી હતે તો અનંતા ચારિત્ર નકામા જાત નહીં. મહાપુરુષોએ જે જણાવ્યું કે, સર્વાર્થ સિદ્ધ સર્વ કાળનું સુખ એકઠું કરીએ તેના અનંતા વખત વર્ગ કરીએ તનુ વતેનું સુખ સિદ્ધ દશાનાં સુખનું માપ પામવા માટે સર્વાર્થસિદ્ધનું સુખ એકઠું કરી અનંતી વખતવર્તીત કરે. જે હિસાબ આવે તે સિદ્ધ ભગવંતના એક સભ્યના સુખની બરોબર આવે નહીં, આટલું બધું સુખ પણ માનવાનું મહાપુરુષની પ્રમાણિકતા ઉપર. તેમ આ જ કાના સુખની સ્થિતિ વીતરાગના વચન ઉપર સમજવાની, તે ન સમજે તે અનંતી વખત ચારિત્ર લીધા તે પણ ચકકરમાંથી નિકળે નહીં. જીવાદિકની વ્યાખ્યા, સાધનોની વ્યા, અનંતી વખત કરી, ચારિશ્નો અતી વખત પાળ્યા પણ સંસારમાંથી કાઢનાર ન થયા. એકજ ખામી રહી કે મહા પુરુષના વચન ઉપર પૂરો ભરોસે થયો નહીં. તે શાથી આવે? મહાપુ ના જે વર્તને ગુણે સર્વશપણાની દશા ખ્યાલમાં રાખી મહાપુરુષોનું કીર્તન કરે તો કલ્યાણ અને મેક્ષનું ધામ થાય. તેથી હેમચંદ્રચાર્ય મહારાજે આ બાળ ગપાળા યાવત વિદ્વાને પણ તે જરૂરી છે એમ કહ્યું. ગણધર મહારાજા સરખા એક અંતર્મુહૂર્તમાં રૌદ પૂર્વ નાહવાવાળાએવા પણ પ્રથમાનુગ કેમ કરે છે.? ચરિત્રો કેમ ગુંથે છે. તેઓ પણ તેના કારણ માં તેજ જણાવે છે કે મહાપુરુષનું કીર્તન એજ કલ્યાણ અને માનું ધામ છે. ધર્મની વ્યાખ્યાઓ ધર્મઘોષસૂરિક કહે છે કે દુ:ખથી કંટાળો છો કે નહિ? વળી તમે સુખને ઈચ્છા છે? કેરી આંબાસિવાય નહીં મળે. જો દુ:ખ દૂર કરવા માંગતા હે ને સુખની પ્રાપ્તિ કરવા માંગતા હું તો એકજ ધર્મસ્થાન છે. દુર્ગતિમાં પડતા અને ધારણ કરી રાખે તે ધર્મ કહેવાય. એ જીવને શુભ સ્થાને મૂકે એવો જે કોઈ પદાર્થ છે તે ધર્મ કહેવાય છે. એ ધર્મ દુર્ગતિ નિવારી સદ્ગતિમાં મેલે. કોઈ જગા પર ધર્મની વ્યાખ્યા કરી છે ને તે ધર્મ અહિંસા સંજમ તથા તપ રૂપ કહ્યો છે. કોઈ જગા પર ધર્મની વ્યાખ્યા એમ કરવામાં આવી છે કે અવિરૂદ્ધ કેવળી ભગવંતના વચન અનુસારે કરાતી ક્રિયા તેનું નામ ધર્મ, આવી રીતે ધર્મની વ્યાખ્યા કરી છે તે હવે ધર્મ કહેવો કોને? હેતુ સ્વરૂપ અને ફળ એ ત્રણ કરાએ યા તો ત્રણની અપેક્ષાએ ધર્મ તપાસવાને છે. ધર્મ એ સ્વર્ગ અને મકા દેનારો છે. ધર્મ એ સંસાર રૂપી અરયને ઓળંગવામાં માર્ગદર્શક છે, ને ઉત્કૃષ્ટ મંગળ તરીકે સ્વર્ગ ને મેશ દેનાર ધર્મ, માર્ગદર્શક તરીકે ધર્મ, એમાં હેતુ સ્વરૂપ અને ફળ શી રીતે સમજવા તે વિગેરે અધિકાર પ્રસંગે જણાવવામાં આવશે.
SR No.034377
Book TitleAgamoddharak Pravachan Shreni 001 to 054
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1969
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy