SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ આગમે દ્ધારક પ્રવચન શ્રેણી જાય, મેં કોધ કર્યો. કોડ પૂરવનું સંમે તપ જાય એ બધું પછી યાદ કરે છે. ક્રોધને અંગે સમજી શકીએ છીએ, કે એક સાધુ પંચમહાત પાલનારા, મા ખમણ કરનારા, અષ્ટ પ્રવચન માતા ધારણ કરનારા, તીર્થકરના વચન આરાધના માટે જિંદગી અર્પણ કરનારા એવા મહાપુરુષ એક ક્ષણિક ક્રોધના પ્રતાપમાં કઈ દશામાં આવે છે, તીર્થકરને કેમ મારું? જિંદગી જેને માટે અર્પણ કરી હતી, જેની આરાધના માટે કાયા ગણી ને હતી, કુટુંબ ગયું ન હતું, તેવા મહાપુરુષને મારવામાં મેટાઈ માનનારો, ઘાતકીપણે મારવામાં દૃષ્ટિની જવાલા મેલી સલગાવી મેલવાને વિચાર તીર્થકર મહારાજ માટે કરે, તેના સિવાય બીજું ઘાતકીપણું કર્યું? ગોશાલે મૂકેલી તેજલેશ્યા જે ખરાબ ગણીએ છીએ તે જ ખરાબી અહીં છે. તીર્થકરને ઘાતકી રીતે મારવા તૈયાર થનારો, ન મર્યા તેને અફસેસ કરનાર, એક વખત બે વખત દૃષ્ટિ મેલી તે પણ તીર્થકર મરતા નથી. મારી નાખવાના વિચારમાં છાશ રહેતી નથી. તેથી કાળો નાગ તીર્થકરને ડંખે છે. જે તીર્થકરના વચનની ખાતર દુનિયા વિષય કપાય શરીરની મમતા છોડી, તેમના વચનને આધારે પાંચ મહાવ્રતાદિક બધું કરી રહ્યો હતો. આવા મહાપુરુષ તીર્થ કરને મારવા તૈયાર થાય છે, ન મર્યાને પશ્ચાતાપ કરે છે, ને છેલ્લો મારવાને ઉપાય કરે છે. આ ઉથલો ક્ષણિક ક્રોધને, શિષ્ય આવવાનું કહ્યું ત્યારે ક્રોધ કર્યો, દેડકી આલાવો એમ કહ્યું ત્યાં મારવા દોડ્યો તેમાં કાળ કરી ગયો તેનું આ પરિણામ. એક ક્ષણિક ક્રોધ મહાવ્રતને મૂળથી નાશ કરે છે, આઠ પ્રવચન માતાની મોકાણ કરી દે છે. આવી ક્ષણિક ક્રોધની દશા. આ ગાળી ક્રોધને તાવ ન ચડે ત્યાં સુધી, તાવ ચડે એટલે ગોળી ગેપ. શાહુકારને ચોરે બે વેલ મારી અને પોલીસે બે બેલ મારી, તેમાં ફેસલામાં ફરક રહે. કાયદો મારવાની છૂટ આપતા નથી. તેમ વીતરાગ પરમાત્મા કોઈ દિવસ ક્રોધ કરવાની છૂટ આપશે નહિ. પોલીસ પોતાની પ્રકૃતિમાં જાય, ત્યાં સ્વાર્થ નથી. લુચ્ચાએ લગાવી હોય તે? તેમ કર્મ બંધનમાં ફરક પડી જાય. કાયદામાં ગુનહેગારને હાથ લગાડવાને નહીં. તેમ વીતરાગ શાસનમાં ક્રોધ કરવાની આજ્ઞા નહીં. પરીણામ તરફ વિચારીએ ત્યારે પાંચ મહાવ્રત મૂળથી ઉખડી ગયા. આરંભાદિના ત્યાગ નકામા થયા. આઠ પ્રવચન માતાની માન્યતા મૂળથી ખસી ગઈ. તીર્થકરની આરાધના કરી તે નિષ્ફળ ગઈ. આ ક્ષણિક ક્રોધનું પરિણામ. આ વિચારરૂપી ગોળી મળી છે. પણ તાવ આવે ત્યારે ગોળી ગેપ. તાવ જાય ત્યારે ગોળી મળે તે શું કામની? કુંભારણે સ્વભાવથી પાડેલી બેલવાની ટેવ અહીં વિચારવું કે પૂરાંતમાં પલ કેટલી પડી છે, સ્વભાવે પાતળા કષાય કયારે કુંભારણ ગધેડી ઉપર માટીના વાસણ ભરીને જંગલમાં આવી રહી છે. ભર ઉનાળામાં જંગલમાંથી
SR No.034377
Book TitleAgamoddharak Pravachan Shreni 001 to 054
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1969
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy