________________
બોધપાઠ-૮
મૈત્રી-૧
722~~~~~~~~~~~~~~27
જ્ઞાની મહત્તપુરુષોએ માનવજીવોના અતિ આવશ્યક ગુણો-આચાર બતાવ્યા છે, જેમાં પ્રાથમિક આવશ્યકતા ચાર ગુણોની બતાવી છે, તે મૈત્રી, પ્રમોદ, કરુણાં અને માધ્યસ્થતા (ઉપેક્ષા) છે. આ ચારને સદાચાર કહે છે. સદા આચરવા યોગ્ય તે સદાચારનો સરળ અર્થ છે અથવા જીવનભર સદા આ ચા૨ ગુણોથી યુક્ત જીવન વહેવાર કરવો. આવો મનુષ્ય માનવીય ગુણોવાળો કહી શકાય. આ માનવપણું છે, તે ન હોય તો માનવદેહે પણ તે માનવ નહીં પશુ છે.
એ વાત વિચારી લીધી છે કે પૃથ્વી ઉપર મનુષ્યો અને તિર્યંચોનું સહજીવન છે, જેથી પરસ્પર સમન્વય કરીને રહેવું જરૂરી છે. આમ થવામાં પરસ્પર સમભાવ હોવાનું જરૂરી છે. તિર્યંચો કરતા મનુષ્ય વધુ સાધન-સંપન્ન છે માટે ન્યાય દૃષ્ટિથી મનુષ્યએ તિર્યંચો પ્રત્યે વિશેષ સહાયક બની રહેવું જરૂરી છે. શક્તિશાળી નિર્બળને સહાયક બને તે ઉત્તમ નીતિ મનાય છે.
84KG પ્રશાબીજ + 33 pararao