________________
બોધપાઠ-૧૦૭
ם
અનુપ્રેક્ષા
શ્રીમદ્દએ મુનિઓને સંબોધીને લખ્યું છે કે પત્રાંક-૭૮૬), “આર્ય સૌભાગની અંતરંગ દશા અને દેહમુક્ત સમયની દશા, હે મુનિઓ તમારે વારંવાર અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે.”
પૂ. શ્રી સૌભાગભાઈની દેહત્યાગ સમયની દશા અદ્ભુત હતી. તેનું વર્ણન શ્રી અંબાલાલે પત્ર દ્વારા શ્રીમદ્ભુને લખેલું જે દશામાં અલૌકિકતા ભાસતા, તે દશા ઉપર લક્ષ કેન્દ્રિત કરવા અને તેમાંથી આત્મબોધ ગ્રહણ કરવાની ભલામણ કરી છે. તેમજ શ્રી સૌભાગની આયુષ્યનાં છેલ્લાં દિવસોમાં જે અંતરંગ આત્મદશા હતી તે લક્ષમાં લઈ, ચિંતન કરી, સૂક્ષ્મ અવલોકનજ્ઞાનદૃષ્ટિથી કરી સ્વઆત્મ પરિણામને ઉજ્જવળ કરવા તે અનુપ્રેક્ષા છે. જૈન પરિભાષાનો આ શબ્દ છે. બાર ભાવના માટે પણ દ્વાદશ અનુપ્રેક્ષા એવો શબ્દ પ્રયોગ છે. અનુપ્રેક્ષા કર્યાંથી આત્મા ઉપર ઉંડી છાપ પડે છે, સંસ્કાર પડે છે. જે અતિ ગાઢ હોય છે. આ બહુ ઉપયોગી થાય છે.
84848 પ્રશાબીજ • 295 KOKOKsD