SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ “સર્વશપદ વારંવાર શ્રવણ કરવા યોગ્ય, વાંચવા યોગ્ય, વિચાર કરવા યોગ્ય, લક્ષ કરવા યોગ્ય અને સ્વાનુભવે સિદ્ધ કરવા યોગ્ય છે.” જે ભૂમિકાનો અનુભવ પોતાને થયો અને તેથી કૃતકૃત્યતા વેદાયાથી, જગતનાં મુમુક્ષુ જીવોને પણ તે પ્રાપ્ત થાય તેવી ભાવના કરી છે. “ભાવકર્મથી વિમુખ થાય તો નિજભાવપરિણામી થાય. સમ્યકદર્શન વિના વાસ્તવિકપણે જીવ ભાવકર્મથી વિમુક્ત ન થઈ શકે. સમ્યક્દર્શન થવાનો મુખ્ય હેતુ જિનવચનથી તત્ત્વાર્થપ્રતીતિ થવી તે છે.” સંસારી જીવો દ્રવ્યકર્મથી મુક્ત થવા સર્વસંગ પરિત્યાગ કરી મુનિ થાય છે, પણ ભાવકર્મથી મુક્તિ મુનિ થવાથી આપોઆપ મળે તેમ બનતું નથી. તે માટે ક્રમે કરી અંતર્મુખતા અને અસંગતાનો દીર્ઘકાળ અભ્યાસ કરવો પડે છે. પરિણામે નિજસ્વભાવમાં તે પરિણમી શકે છે. આવી દશા સમ્યકદર્શન થયા પહેલાં સંભવતી નથી. સમ્યક્દર્શન થવા જિનવચન પ્રત્યે રૂચિ, પતિ, ભક્તિ અને તત્ત્વજિજ્ઞાસા થાય તે અતિ આવશ્યક છે, તેમ આ વચનો વાંચતા જણાય છે. સાધક માટે આ સચોટ ઉપાય ઉપકારી છે. “હું એક છું, અસંગ છું, સર્વ પરભાવથી મુક્ત છું.” “અસંખ્ય પ્રદેશાત્મક નિજઅવગાહના પ્રમાણ છું.” “અજન્મા, અજર, અમર, શાશ્વત છું, સ્વપર્યાયપરિણામી સમયાત્મક છે , “શુદ્ધ ચૈતન્યસ્વરૂપ માત્ર નિર્વિકલ્પ દ્રષ્ય છું.” નિત્યપ્રતિ સાધક આ ભાવના એકાંત-નિર્જન સ્થાનમાં સ્થિતિ કરીને, સ્થિર ચિત્તથી વારંવાર ભાવથી ચિંતવન કરે તો સહજમાં ભેદજ્ઞાન પ્રગટ કરી સર્વ પરભાવથી સહેજે મુક્ત થતો જાય તેમ લાગે છે. હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું, એમ સમ્યક પ્રતીતિ થાય છે. તેમ થવાનાં હેતુઓ (કારણો) સુપ્રતીત છે.” MAત્ર પ્રશાબીજ 264 kiss
SR No.034368
Book TitlePragnabij
Original Sutra AuthorN/A
AuthorMadhubhai Parekh
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2018
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy