________________
માનવજીવો પોતાનાં ચેતન સ્વરૂપ આત્માને વિસરી ગયા છે જેનું કારણ પરપદાર્થ પ્રત્યે પોતાપણાંની-મમત્વની માન્યતા છે. સર્વ પ૨પદાર્થ પ્રત્યેની આ માન્યતા તજી દે તો સ્વરૂપનો લક્ષ થાય.
જે પુરુષ આ ગ્રંથમાં સહજ નોંધ કરે છે, તે પુરુષ માટે પ્રથમ સહજ તે જ પુરુષ લખે છે... તે કંઈક પામ્યો પણ છે, અને પૂર્વનો પરમ મુમુક્ષુ છે, છેલ્લા માર્ગનો નિઃશંક જિજ્ઞાસુ છે.”
શ્રીમદ્દ પોતા વિષે જ પ્રાપ્તિ થયાનું અને વિશેષ ઉચ્ચ દશાની પ્રાપ્તિનાં માર્ગની ગાઢ જિજ્ઞાસા હોવાનું જણાવે છે.
“દ્રવ્યથી – હું એક છું, અસંગ છું, સર્વભાવથી મુક્ત છું. ક્ષેત્રથી – અસંખ્યાત નિજઅવગાહના પ્રમાણ છું. કાળથી – અજર, અમર, શાશ્વત છું. સ્વપર્યાય પરિણામી સમયાત્મક છું. ભાવથી – શુદ્ધ ચૈતન્યમાત્ર નિર્વિકલ્પ છું.”
ધ્યાનમાં સ્થિર થઈ આ પ્રકારે આત્મભાવનાં ભાવવાથી માનવજીવ સર્વ પદ્રવ્યથી સ૨ળતાથી આસક્તિ રહિત થાય છે.
“શરીરને વિષે આત્મભાવના પ્રથમ થતી હોય તો થવા દેવી, ક્રમે કરી પ્રાણમાં આત્મભાવના કરવી, પછી ઇન્દ્રીયોમાં આત્મભાવના કરવી, પછી સંકલ્પવિકલ્પરૂપ પરિણામમાં આત્મભાવના કરવી, પછી સ્થિર જ્ઞાનમાં આત્મભાવના કરવી. ત્યાં સર્વપ્રકારની અન્ય-આલંબનરહિત સ્થિતિ કરવી.”
જીવાત્માને પોતાનાં નિજશુદ્ર સ્વરૂપનો અનુભવ કરવા માટે આ અદ્ભુત પ્રક્રિયા, ક્રમબદ્ધ બતાવી છે. શરીર-દેહ સિવાય તમામ પરપદાર્થો પ્રત્યેની આસક્તિ છોડવાનું સર્વપ્રથમ કરવાનું છે. પછી શરીરનાં અંગ, ઉપાંગ, ઇન્દ્રિયો, શ્વાસોચ્છ્વાસ, મનમાં ઉઠતા વિકલ્પો ક્રમથી તજી દેવા અર્થાત્ આસક્તિ છોડી દેવી અને હું કેવળ જ્ઞાન સ્વરૂપ આત્મા છું તેવો ભાવ દૃઢ કરતા જવું, છેલ્લે સર્વ આલંબન (દેવ, ગુરુ, શાસ્ત્ર) પણ વિસારીને નિજસ્વરૂપમાં સ્થિર થવા
ICC પ્રશાબીજ = 258 pararao