________________
તે ક્રિયાને કેમ ત્યાગી શકાય એવો લોકભય, સત્પુરુષની ભક્તિ આદિને વિષે પણ લૌકિકભાવ અને કદાપિ કોઈ પંચવિષયકાર એવાં કર્મ જ્ઞાનીને, ઉદયમાં દેખી તેવો ભાવ પોતે આરાધવાપણું એ આદિ પ્રકાર છે, તે જ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ છે.”
જીવને મોક્ષમાર્ગ પ્રાપ્તિમાં આ બધા અવરોધક પરિબળ છે તે વાત સાધકે લક્ષમાં રાખી, આવા દોષથી મુક્ત થવાનો નિર્ણય અને તદ્અનુસાર પુરુષાર્થ કર્તવ્ય છે. બીજા સાધન પછી જ કામ લાગે. “જ્યાં-જ્યાં આ જીવ જન્મ્યો છે, ભવના પ્રકાર ધારણ કર્યા છે, ત્યાં-ત્યાં તથા પ્રકારનાં અભિમાન પણે વર્યો છે.”
અનંતકાળથી ચાલ્યુ આવતું આવું અજ્ઞાન નિવૃત્ત ન થાય ત્યાં સુધી જીવને મોક્ષ માર્ગની પ્રાપ્તિ કે પુરુષાર્થ થઈ શકે નહીં.
“આ આત્મભાવ છે, અને આ અન્યભાવ છે, એવું બોધ બીજ આત્માને વિષે પરિણમિત થવાથી અન્યભાવને વિષે સહેજે ઉદાસીનતા ઉત્પન્ન થાય છે અને તે ઉદાસીનતા અનુક્રમે તે અન્યભાવથી સર્વથા મુક્તપણું કરે છે.”
જીવાત્મા પોતાનો સ્વભાવ, સ્વરૂપ અને અસંગપણાનું વિસ્મરણ કર્યાથી અન્ય (૫૨) ભાવમાં પ્રવર્તે છે અને તે પોતાની ભૂલ છે તેમ સમજીને સ્વભાવસ્વરૂપમાં પાછો ફરે તે માટે પરસંગ અને પરપદાર્થો પ્રત્યે ઉદાસીનતા પ્રગટ કરવાનો યત્ન કરે તે જરૂરી છે.
મહાવીર સ્વામીની પ્રતિમાની વર્તમાનમાં ભક્તિ કરે, તેટલા જ ભાવથી પ્રત્યક્ષ સદુગરની ભક્તિ કરે એ બેમાં હિતયોગ્ય વિશેષ કોણ કહેવા યોગ્ય છે ?”
જીવનાં વર્તમાન દોષનું નિવારણ જિનપ્રતિમાની સેવા, ભક્તિ આદિથી થવું સંભવે નહીં. પ્રત્યક્ષ સદૂગુરુની ભક્તિ એ ખરો ઉપાય છે.
મહાત્મા ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાથી શ્રીમદ્જીને પત્રો લખી ને
હાઇakી પ્રજ્ઞાબીજ "222 tak