________________
બોધપાઠ-૮ ૨
-
0 શ્રીમદ્ભુનો તત્ત્વબોધ-૧૦૦
શ્રીમદ્જીએ ૨૭માં વર્ષમાં પરમાર્થમાર્ગનાં કેટલાક રહસ્ય ખોલ્યા છે. “કોઈ પણ જીવને કંઈ પણ પરિશ્રમ દેવો, એ અપરાધ છે અને તેમાં મુમુક્ષુજીવને તેના અર્થ સિવાય પરિશ્રમ દેવો એ જરૂ૨ અપરાધ છે.”
આત્માર્થે જેમની પ્રવૃત્તિ મુખ્યપણે રહેતી હોય તેમની અંતરવૃત્તિ આ પ્રકારે હોય છે, તે પોતાનું સાંસારિક કાર્ય જાતે જ કરતા હોય છે – કોઈ પણ જીવને પરિશ્રમ થાય તેમ વર્તે જ નહીં. કોઈ મુમુક્ષુને તો કોઈ પણ પ્રકારે પરિશ્રમ આપે જ નહીં. હા, મુમુક્ષુનાં કલ્યાણનાં હેતુએ ક્યારેક તેવું પ્રવર્તન કરવામાં આવે તેમ બને ખરું. આમ હેતુની સ્પષ્ટતા હોય છે. સાચા ગુરુ શિષ્યને પણ, પોતાને અર્થે પરિશ્રમ આપે નહીં. આ પ્રકારે જો ગુરુ ન વર્તે તો કોઈ પ્રકારે નવો ઋણાનુબંધ સંસારવૃદ્ધિનું કારણ, કોઈ પ્રકારે બને, જેમાં બન્નેનાં આત્મહિતને હાનિ થવાનું બને.
હ4848 પ્રશાબીજ + 219 JCKCK: @