________________
બોધપાઠ-૮૧
શ્રીમદજીનો તત્વબોધ-૯
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
શ્રીમદ્જીનાં દેહધારણ કર્યાનાં ૨૬માં વર્ષમાં વ્યક્ત થયેલા તેમનાં બોધવચનોની વિચારણાં આ પાઠમાં કરીશું.
વર્તમાન કાળને વિષે જો કોઈ પણ જીવ, પરમાર્થમાર્ગ આરાધવા. ઇચ્છે તો અવશ્ય આરાધી શકે, કેમકે દુખે કરીને પણ આ કાળને વિષે પરમાર્થમાર્ગ પ્રાપ્ત થાય છે, એમ પૂર્વજ્ઞાનીઓનું કથન છે.”
પરમાર્થમાર્ગ અર્થાત મોક્ષમાર્ગ. સર્વજીવો માટે સદાકાળ ખુલ્લો જ છે, તે કોઈ કાળે બંધ થતો નથી. લોકવાયકા એવી છે કે આ કાળમાં મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય નહીં. આવું સાંભળતા એવો વિચાર થઈ આવે છે કે જીવ એક દ્રવ્ય છે અને કાળ પણ એક દ્રવ્ય છે. કાળ દ્રવ્ય કરતા જીવ દ્રવ્ય વધુ બળવાન છે તેમ શાસ્ત્રો થકી જણાય છે ત્યારે કાળ દ્રવ્ય જીવને મોક્ષમાર્ગ પ્રાપ્ત થવામાં અંતરાય-બાધા કરે તે બનવા જોગ નથી. વળી કાળ દ્રવ્ય જડ છે, જીવ ચેતન છે, શું જડ ચેતનને આ પ્રકારે અવરોધે તેમ બને ?
ની&િઇટને પ્રશાબીજ • 214 base