________________
T T T T
“વિવેક એ અંધારામાં પડેલા આત્માને ઓળખવાનો દાવો છે.” “જે વિવેકી નથી તે અજ્ઞાની અને મંદ છે.” “વૈરાગ્ય એ જ અનંત સુખમાં લઈ જનાર ઉત્કૃષ્ટ ભોમિયો છે.” “સંતોષથી કરીને તૃષ્ણાની મર્યાદા ટૂંકી કરી નાખવી.” મોક્ષનાં સ્વરૂપ વિષે શંકા કરનારા તો કુતર્કવાદી છે.” જે વડે વસ્તુનું સ્વરૂપ જાણીએ તે જ્ઞાન. જ્ઞાન શબ્દનો આ અર્થ
“જ્ઞાન અને ક્રિયા વિશુદ્ધ રહેવાથી સમ્યક્ત્વનો ઉદય થશે.” “વીતરાગ જેવો એકેય દેવ નથી.” “સર્વદર્શનનાં શાસ્ત્રતત્ત્વને જુઓ, તેમ જૈનતત્ત્વને પણ જુઓ. સ્વતંત્ર આત્મિકશક્તિએ જે યોગ્ય લાગે તે અંગીકાર કરો.” આત્માને તારો અને તારવા માટે તત્ત્વજ્ઞાનનો પ્રકાશ કરો તથા સશીલને સેવો.” “રાગ વિના સંસાર નથી અને સંસાર વિના રાગ નથી.” માત્ર સત્તર વર્ષની વયે શ્રીમદ્જીએ મોક્ષમાળામાં જે તત્ત્વબોધ દર્શાવ્યો છે તે તેમનો ગાઢ શાસ્ત્ર અભ્યાસ દર્શાવે છે. એટલું જ નહીં પણ શાસ્ત્રોનો મર્મ ગ્રહણ કરવાની તેમની ક્ષમતા પણ વ્યક્ત થાય છે.
જે કિશોરાવસ્થામાં માનવજીવો આનંદ-પ્રમોદ અને કંઈ બાલસહજ પ્રકૃતિએ પ્રવર્તતા હોય છે તે વયમાં આ બાલયોગીએ તેની પ્રજ્ઞાવંત અવસ્થાનો પણ પરિચય આપ્યો છે.
મોક્ષમાળાનાં પાકોમાં જે વિવિધ વિષયો પસંદ કર્યા છે અને તેને જે રીતે ન્યાયસંગત પ્રકારે રજુ કર્યા છે તે તેમની અદૂભૂત અંતરંગ દશા, વિચક્ષણતા અને કારૂણ્યભાવ પણ પ્રગટ કરે છે.
ની&િઇટને પ્રશાબીજ • 197 base