________________
તેનો લક્ષ થઈ આવે છે કે અપ્રમતગુણ સ્થાનનો યોગ અને લગભગ કૈવલ્ય દશાનો યોગ આ દેહે થવો સંભવે છે. પરંતુ કોઈ એવું કર્મ શેષ રહેવાનું જણાય છે જેથી હવે એક જ દેહ ધારણ કરીને “સ્વદેશ” સિદ્ધ પદ-મોક્ષ પદની પ્રાપ્તિ થશે. કળિકાળ-દુઃષમ કાળમાં ભાગ્યે જ, મહાભાગ્યે જ આવી દશાનું દર્શન જોવા મળે તેવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે એવા આ પ્રભુતુલ્ય મહાત્મા પરમાત્માને નત મસ્તકે કોટી-કોટી વંદના હો.
શ્રીમદ્જીએ આયુષ્યનાં છેવટનાં લગભગ ૪૫ દિવસ રાજકોટમાં અતિક્ષીણ દેહનાં યોગમાં વિતાવ્યા ત્યારે દેહત્યાગ પહેલાનાં ૧૦માં દિવસે જગતનાં જીવોને આખરી સંદેશ આપતી અદૂભૂત-અલૌકિક કાવ્ય રચના આપી, ગયા છે, બહુ ઉપકાર કર્યો છે તે જોઈએ :
ઇચ્છે છે જે જોગી જન, અનંત સુખસ્વરૂ૫; મૂળ શુદ્ધ તે આત્મપદ, સયોગી જિનસ્વરૂપ.” “નહિ તૃષ્ણા જીવ્યા તણી, મરણયોગ નહિ ક્ષોભ; મહાપાત્ર તે માર્ગનાં, પરમ યોગ જિતલોભ.” “ઊપજે મોહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલોકતાં, વિલય થતા નહિ વાર.” “સુખધામ અનંત સુસંત ચહી દિનરાત રહે તદ્દધ્યાન મહીં; પર શાંતિ અને સુધામય જે, પ્રણમું પદે તે વરતે જયતે.”
જે યોગી સાધક મહાત્માની સાધનાનો મુખ્ય હેતુ અનંતસુખ(શાશ્વત સુખ) કે જે નિજ મુળશુદ્ધ આત્મપદની પ્રાપ્તિમાં રહ્યું છે, જેનું સ્વરૂપ શ્રી જિનપ્રભુનું છે, તે માટે નિષ્ઠાપૂર્વક, અપ્રમત યોગે, પ્રચંડ પુરુષાર્થ કરી રહ્યા છે તેમને આ સંદેશમાં કેટલાક ભયસ્થાનોમાં સાવધાન રહેવાની ભલામણ કરી છે, સાધનાની કેટલીક અગત્યની રીત પણ બતાવી છે અને છેવટનું લક્ષ પણ બતાવ્યું છે. સાધકની ત્રણ ભૂમિકા દર્શાવી છે અને ઉત્કૃષ્ટ ભૂમિકામાં
ની&િઇટને પ્રશાબીજ • 18 base