________________
છે, વળી જે પદાર્થ ઉપર મારો અધિકાર નથી, માલિકી નથી તેમાં માલિકી ભાવ કરતા શરમાતો નથી. ક્યારે કોઈ ક્ષણે શુભ ભાવ થઈ આવે છે, પરંતુ વિશેષતાએ તો અશુભ ભાવ થતા જોવામાં આવ્યા, ત્યારે હે પ્રભુ, સહજ એકરાર થઈ જાય છે,
શુભાવ મુજમાં નથી, નથી સર્વ તુજ રૂપ.” જો જગતનાં તમામ જડ-ચેતન પદાર્થોમાં મને જો તારું જ દર્શન થતું હોત તો રાગ-દ્વેષ કેમ કરીને થાત ? આમ આ રાગ-દ્વેષનો મોટો દોષ લક્ષમાં આવે છે.
મંગલાચરણમાં મેં જેમનાં ગુણગાન કર્યા તે શા માટે ? તો કે તેમની રાગ-દ્વેષ રહિત દશા માટે તો કર્યા છે ને ? તો મારું સર્વ પ્રથમ કર્તવ્ય તો આ દોષનો નાશ કરવામાં પ્રવૃત્ત થવું તે છે અને તે માટે સંકલ્પ પણ કરું છું, પરંતુ કામ કઠણ લાગે છે ત્યારે પ્રભુ, આપનાં વચન યાદ આવે છે કે “જીવમાં જે દોષ છે તે અનાદિનાં છે, માત્ર આ જન્મનાં નથી. તે જલ્દીથી ન જાય. ધીરજ અને યોગ્ય ઉપાય બંને જરૂરી છે.” ઘરને તાળુ વાસીને ૫-૧૦ વર્ષ પરદેશ ગયા હોઈએ અને પાછા ફરીને તાળું ખોલવા જતા તેમાં લાગેલા કાટથી ચાવી હોવા છતાં તાળું ખોલવું કઠણ પડે છે, ત્યારે ધીરજ રાખી જરા તેલ-કેરોસીન લગાવીને પ્રયાસ કરવાથી ખુલી જાય છે. તેવી રીતે અનાદીનાં દોષ કાઢવામાં પણ ધીરજ અને પુરુષાર્થ સાથે યુક્તિ પણ જરૂરી લાગે છે. પણ આ યુક્તિ કોણ બતાવે ? આવો વિચાર થતા જ હે પ્રભુ, વળી આપનું વચન યાદ આવે છે :
કેવળ કરુણાં મૂર્તિ છો, દીનબંધુ દીનાનાથ;
પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ.” માનવીય ગુણોની વૃદ્ધિ માટે અને દોષની નિવૃત્તિ માટે હે પ્રભુ હું હવે આપનાં શરણમાં આવું છું.
હાઇakી
પ્રજ્ઞાબીજ •16