________________
બોધપાઠ-૫૫
ם
) સિદ્ધિ-આત્મસિદ્ધિ-૩
~~~~~~~~~~~~
~~~~~
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના પદ્યરૂપે ૧૪૨ ગાથામાં થઈ છે, જે પૈકી કેટલીક ગાથાનો વિચાર આપણી સાધનાનાં ભાગરૂપે, સાધકની ભૂમિકામાં રહીને કરવાનો નમ્ર પ્રયાસ છે. પ્રથમ ગાથા –
“જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત.”
જીવાત્મા પોતાનું જ સ્વરૂપ ન સમજવાથી અનંતકાળથી ભવભ્રમણ, ચારે ગતિમાં કરતો રહીને અનંત પ્રકારનાં દુઃખ ભોગવી રહ્યો છે, તે આત્મસ્વરૂપનું ભાન જેણે કરાવ્યું તે સદ્દગુરુ ભગવાનને નમન કરું છું, વંદન કરું છું.
ચારે ગતિનાં જીવો પૈકી માત્ર માનવ જીવ વિચારવંત, વિવેકી અને બુદ્ધિશાળી છે. બાકી જીવોમાં આવી દશા નથી. અથવા તો અનુકૂળતા નથી,
NKAKE પ્રશાબીજ * 139 $#C#IK®