________________
કરી છે. આત્મભાવના ભાવવાના આજ મુખ્ય અંગો છે. માનવજીવો આ છે પદનો વિચાર કરવાને સક્ષમ છે અને નિષ્પક્ષપાતપણે શાંત ચિત્તથી, સરળતા સાથે વિચારવાથી આત્માની આ છએ દશા આત્મસાતુ થાય છે અને વર્ષોથીભવભવાતંરથી જે મોક્ષ પ્રાપ્તિ અસંભવ ભાસતી હતી તે ભૂલ હતી તેવો નિશ્ચય થાય છે, પરિણામે મોક્ષ પુરુષાર્થ કરવા તત્પર થાય છે. મોક્ષની પ્રાપ્તિ કઠણ નથી પણ સરળ છે તેવો નિશ્ચય થાય છે.
“સમજ પીછે સબ સરલ હૈ
બીન સમજે મુશ્કિલ.” એ વાતનો સ્વિકાર થાય છે. મોક્ષ પ્રાપ્તિનો લક્ષ રાખીને સત્યધર્મ પુરુષાર્થ કરવા લાગે છે અને પૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધાથી ધર્મનું સેવન થાય
“કોઈ પણ ક્રિયા સફળ છે અફળ નથી” આવુ શ્રીમદ્જીનું કથન શ્રદ્ધામાં લાવીને સર્વથા નિશંક, નિર્ભય થઈને સાધકે આ છ પદની શ્રદ્ધા કરીને આત્મચિંતન કર્તવ્યરૂપ સમજીને એક નિષ્ઠાથી આરાધન કરવાથી સફળ થવાશે જ તેવો નિશ્ચય કરવો જરૂરી છે. યાદ રહે,
“મન હોય તો મોક્ષે જવાય.”
“મોક્ષ કહ્યો નિજ શુદ્ધતાં.” આત્માની વિશુદ્ધિ જ મોક્ષનું સ્વરૂપ છે.
Lalala 101 Balance