________________
વ્યવસ્થિત પડે છે. ગુરુ પ્રશ્ન કરે છે કે, અત્યાર સુધી મને હેરાન કર્યો અને હવે આ માર્યો ત્યારે ઠેકાણે આવ્યો ?” એટલે કહ્યું કે, પહેલાથી બરાબર ચાલતું હતું ને ? હવે કેમ બરાબર ચાલે છે ? ગુરુજી ! હવે આપની કૃપાથી માર્ગ મને પ્રકાશિત થયેલો દેખાય છે.’ અને ગુરુ ચંદ્રરૂડાચાર્ય ચોંકે છે. આવી અંધારી મેઘલી રાતે પોતાનો જ હાથ પોતાને ન દેખાય એવા ઘોર અંધકારમાં આને માર્ગ દેખાય છે એટલે પગલાં સરખાં પડે છે એનું કારણ શું ? તો કહે, 'પ્રભુ ! આપની કૃપાથી જ્ઞાનનો પ્રકાશ થયો છે.” પ્રતિપાતી કે અપ્રતિપાતી ? કયું જ્ઞાન ? ‘અપ્રતિપાતી’ – એટલે જે જ્ઞાન આવ્યા પછી જાય નહીં. ‘પ્રતિપાતી’ એવું કે ઝબકારા આપીને વયું જાય. તો “અપ્રતિપાતી’ ગુરુ ઠેકડો મારીને નીચે ઊતરી જાય છે. શિષ્યને વંદના કરે છે. પણ શિષ્ય - ભગવાન થયેલો શિષ્ય પોતાનો વિનય ચુકતો નથી. ગુરુની સેવા કરીને એને પાર ઉતારે છે. પુષ્પચુલા નામની સાધ્વી, વયોવૃદ્ધા ગુરુ મહારાજ છે. સ્થિરવાસ છે, ક્યાંય વિહાર કરી શકે એમ નથી. અને માત્ર પોતાની સાધના કરવા માટે રોકાઈ જાય છે. કે આ ગુરુમહારાજની સેવા કોણ કરશે ? એ સેવા કરવા રોજ ગોચરી લાવીને ગુરુમહારાજ પાસે મુકે, સાધ્વીજી આજ્ઞા લઈને પછી જ પોતાની સાધનામાં ચાલ્યા જાય. એક દિવસ ગુરુએ પ્રશ્ન કર્યો કે, "પુચુલા, આ ચારે બાજુ વરસાદ છે અને વરસાદમાં તમે ગોચરી લેવા ગયા હતા. અને સૂચિત પાણીમાં જો તમારો પગ પડ્યો હોય તો ગોચરી તો દુષિત થાય. તમેઆવી ગુરુ સેવા કરો છો " તો કહે, ના પ્રભુ ! હું આપને દુષિત આહાર ક્યારેય પણ આપું નહીં. આપ તો મારા ગુરુ છો. હું અચિત પાણીમાં ગઈ હતી’ સચિત પાણીનો સ્પર્શ મેં કર્યો નથી. ગોરાણીજીએ પૂછ્યું, 'શું જ્ઞાન થયું છે ? પુચુલા કહે, “આપની કૃપાથી” પ્રતિપાતી કે અપ્રતિપાતી ” અપ્રતિપાતી’ પુષ્પચૂલા જવાબ આપે છે.
ગુરુ છદ્મસ્થ અને શિષ્ય કેવળજ્ઞાની હોવા છતાં ગુરુનો વિનય કરે. ઉપાશ્રયમાં સુતા છે ચંદનબાળા અને મૃગાવતી. ચંદનબાળા પાસે મૃગાવતીએ દીક્ષા લીધી છે. અને ચંદનબાળાએ એક દિવસ ઠપકો આપ્યો કે, વીર પ્રભુની વાણી સાંભળવા આપણે જઈએ પણ આપણો સાધુ ધર્મનો આચાર કહે છે કે સમયસર ઉપાશ્રયમાં પાછા આવી જવું. પણ સૂર્ય ને ચંદ્ર દેશના સાંભળવા આવ્યા હતા ને એટલે સૂર્યાસ્તનો ખ્યાલ ન રહ્યો. ઉપયોગ ન રહ્યો. એટલે એમણે ગોરાણીની ક્ષમા માંગી. પ્રાયશ્ચિત લીધું. પણ રાત્રે સુતાં અંતર કોરી ખાય છે કે મારા ગોરાણીને મને કહેવું પડ્યું. એનો પશ્ચાતાપ અંદર જાગે છે. પશ્ચાતાપની શુદ્ધિની અંદર કોટિ કર્મો ખપતાં જાય છે, ખપતાં જ જાય છે. અને એમાં ને એમાં એને શાન થાય છે. સર્પ ચાલ્યો જાય છે. ચંદનબાળાના હાથ પાસેથી પસાર થાય છે. ઘોર અંધારી રાત્રિ છે. ઉપાશ્રયમાં દીવાનો કોઈ સંભવ નથી. મૃગાવતીને થાય છે કે આ સર્પ કદાચ મારી ગોરાણીનો જીવ લઈ લેશે. એણે ગોરાણીનો હાથ જરાક ખસેડ્યો. સર્પ ચાલ્યો ગયો. ચંદના જાગી ગયા. સાધુઓની ઉંઘ યોગનિંદ્રા જ હોય. શું થયું ?” હાથને કોણે સ્પર્શ કર્યો ? ક્ષમા કરજો. મેં આપના હાથને ખસેડ્યો. કૈમ ? સર્પ ચાલ્યો જતો હતો. તમે સર્પને જોવી જ રહા.' કેવી રીતે " તમારી કૃપાથી જ્ઞાન પ્રકાશ થયો.' પ્રતિપાતી કે અપ્રતિપાત ” ‘અપ્રતિપાની જ્ઞાન થયું.' મૃગાવતીને કેવળજ્ઞાન થયું. સાધ્વી ચંદનબાળા હજુ છાસ્ય છે. શાસ્ત્રમાં અનેક ગાથાઓ આવે છે.
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર 83
.