________________
દઈએ. તો પોતામાં રહેલાં ગુણો સહન કરતાં આવડે છે ? જીરવતાં આવડે છે ? કૃપાળુદેવે ચાર વાક્ય લખ્યાં છે કે, તો જ જગતમાં જીવવું નહીંતર ન જીવવું. “જગત આત્મારૂપ માનવામાં આવે. પરના દોષ જોવામાં ન આવે. પોતાના ગુણોનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે, તો જ આ જગતમાં જીવવું.”
“પરના દોષ જોવામાં ન આવે.' – આ વાંચતા મજા આવે. પણ ત્યાં એમ પણ લખ્યું છે કે પોતાના ગુણોનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે. અનંત ગુણ જીવમાં પ્રગટે, રિદ્ધિ-સિદ્ધિ પ્રગટે, અનંત લબ્ધિ પ્રગટે- કૃપાળુદેવે લખ્યું છે, “મુનિઓ ! આ માર્ગમાં રિદ્ધિ-સિદ્ધિ પ્રગટશે. ઓળંગીને ચાલ્યા જાજો.” આ માર્ગમાં જેવા ભગવાનના વચનો હાથમાં લેશો. એટલો બધો તમારો પ્રભાવ જોગ જાગશે, પુણ્યનું એટલું પ્રકૃષ્ટ બળ જાગશે, પણ જોજો એના કારણે ક્યાંય માન કષાયમાં ફસાઈ જાતા નહીં. માન મોટો શત્રુ છે. “જાતાં સદ્ગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય.” જીવને કહે છે તું સદ્દગુરુના શરણમાં જા. કૃપાળુદેવે તો ઉપદેશનોંધમાં કહ્યું છે કે, “માન રૂપ કષાય ઓછો થાય તો બાકીના કષાય તો એની મેળે ઓછા થઈ જાશે.”
તું માન-અપમાનમાંથી જરા હળવો પડ. જરા ધીરો થા. અને તારી બુદ્ધિ ચતુરાઈ, હોશિયારી, તારી ઉપલબ્ધિ, તારી ગુણ સંપદા એને તારા પુરતી રાખ અને સહન કરતાં શીખ. બીજા એની પ્રશંસા કરે એવી અપેક્ષા કર મા ! બીજા ઈ જાણે એવી અપેક્ષા કર મા ! તું તારી મોટાઈને સહન કર. જગતનો જીવ મોટાઈને સહન કરી શકતો નથી. આ માન અને મોટાઈ એને સત્યની ઉપલબ્ધિ થવામાં આડા આવીને ઉભા રહે છે. કૃપાળુદેવે લખ્યું છે કે, “ધર્મમાં પણ મોટાઈ એ તો ધર્મનો દ્રોહ છે.” માન કષાય એ આપણી નબળાઈ છે. એ આપણને બતાવનાર સદ્ગુરુનો મોટો ઉપકાર છે. ભગવાન કહે છે કે સદ્ગુરુનું શરણ લઈ લઈશ તો તારો માન કષાય ચાલ્યો જાશે. હવે આ માન કષાય શેનાથી જાય? માનનો પ્રતિપક્ષ છે વિનય. હવે અહીં નવો વિષય છેડાય છે. જેમ અગિયારમી ગાથામાં કૃપાળુદેવે સદ્ગરના માહાભ્યનાં જે વિષય મુક્યો છે એમ હવેની ગાથામાં સદૂગરના વિનય પ્રત્યેની અદૂભૂત વાત, કોઈ જબરજસ્ત ઊંચાઈએ પકડે છે.
જે સદ્દગુરુ ઉપદેશથી, પામ્યો કેવળજ્ઞાન;
ગુરુ રહ્યા છઘસ્થ પણ, વિનય કરે ભગવાન. (૧૯). જે સદ્દગુરુ ઉપદેશથી કોઈ કેવળજ્ઞાન પામ્યા, તે સદ્ગુરુ હજુ છવસ્થ રહ્યા હોય, તો પણ જે કેવળજ્ઞાનને પામ્યા છે એવા તે કેવળી ભગવાન છદ્મસ્થ એવા પોતાના સદ્દગુરુની વૈયાવચ્ચ કરે.”
જે સદ્ગુરુના ઉપદેશથી, એ પ્રત્યક્ષ કે એના શાસ્ત્રથી, બોધથી, પામ્યો કેવળજ્ઞાન. સદગુરુના ઉપદેશથી શિષ્ય કેવળજ્ઞાનને પામ્યો. પૂર્ણ સર્વજ્ઞતા, પૂર્ણ વીતરાગપણું, તેરમું ગુણસ્થાનક, નિર્વિકલ્પ એવું સ્વરૂપ - પામ્યો કેવળજ્ઞાન ! દેહ છતાં નિર્વાણની અવસ્થા ! તદ્ભવ મોક્ષગામી એટલે કેવળજ્ઞાન. પરમશુદ્ધ, અસંગ, અરૂપી, અમૂર્ત, એવો આત્મા યથાતથ્ય, ચૈતન્યમય. કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય એટલે જીવનું જે મૂળ શુદ્ધ સ્વરૂપ છે એવું પરમ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, સદ્ગુરુના ઉપદેશથી પ્રાપ્ત થાય. અને ‘ગુરુ રહ્યાં છદ્મસ્થ
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 81
=