________________
સમ્યક્દર્શન એનો પાર્યો છે. ચતુર્થ ગુણસ્થાન અને ગુન્નસ્થાનઆરોહા ક્રમમાં કહ્યું છે. આ જીવને સમકિત ક્યારે પ્રગટે ? એની પહેલી ભૂમિકા કઈ ? એ સમિકતનો ક્રમ કૃપાળુદેવે આત્મસિદ્ધિમાં એવો અદ્ભુત કહ્યો છે ! કે આટલા વખત સુધી આ જીતને સમક્તિ કેમ પ્રાપ્ત થતું નથી. એટલે આ ગાથામાં આપણને એવું ઉત્કૃષ્ટ દર્શન કરાવ્યું છે કે, સ્વચ્છંદ, મત આમહ તા વર્તે સદ્ગુરુ લક્ષ, સમકિત તેને ભાખિયું.” એને સમકિત છે.
'કારણ ગણી પ્રત્યક્ષ.’ આને પ્રત્યક્ષ સમકિત થવાનું કારણ છે. એમ ભાખિયું છે – જિનેશ્વર ભગવંતોએ, વીતરાગોએ. જે મતભેદે આ જીવ મહાયો છે તે મતભેદ જ તેના સ્વરૂપને મુખ્ય આવરણ છે. આ જીવને સમિકત ન થવાનું મુખ્ય કારણ એ છે કે એ સદ્ગુરુના લક્ષે કે તેની આજ્ઞાએ વર્તતો હોય તો પણ એણે હજી પોતાના સ્વચ્છંદ, મત અને આગ્રહ છોડ્યા નથી. પોતાનું બધું ચાલુ રાખીને વાત માન્ય કરે. મારી ખીલી ખસે નહીં. મહાજન મારા મા-બાપ. તમે કહો તે સાચું. બસ સાહેબ આજ્ઞા ફરમાવો. એ સાહેબ ગમે તે કહે આજ્ઞા આજ્ઞાના ઠેકાો રહે અને એણે તો જે ધાર્યું હોય એ જ અવળચંડાઈ કરે. એમાં કાંઈ ફેર પડે નહીં. ગમે તેટલું સમજે, ગમે તેટલો બોધ સાંભળે, હા જી હા કરે, એ જ સત્ય, એ જ સત્ય એમ કહે – પણ પોતાના મત અને માન્યતામાંથી જરાપણ બસે નહીં. આ જગતમાં માત્રસને વ્યવહારિક તાલિમ આપીને સંપૂર્ણપણે બદલી શકાય, ફેરવી શકાય. પણ ધર્મની અંદર એને જે અવળી શ્રદ્ધા હોય એ તોડવી દુષ્કરમાં દુષ્કર છે. એણે ધર્મને નામે જે શ્રદ્ધા ગ્રહણ કરી લીધી એમાંથી એને ટસથી મસ કરવો બહુ આકરો છે.
સ્વચ્છંદ – એ આ તે માની લીધેલું પોતાનું ડહાપણ છે. અધુરપને કારણે જીવ પોતે કરેલો નિર્ણય એ સ્વચ્છંદ. મતિ કલ્પનાના આધારે જીવે બાંધી લીધેલો અભિપ્રાય, ભ્રાંતિને લીધે કરેલો નિર્ણય. પરમાર્થમાં અપરમાર્થબુદ્ધિ અને અપરમાર્થમાં પરમાર્થબુદ્ધિ – આ સ્વચ્છંદના લક્ષણ છે. આ ખસે નહીં કોઈ દિવસ. આ સ્વચ્છંદને કારણે એણે એક મત નક્કી કરી લીધો છે. અને એ મતનો પાછો આગ્રહ ઉપસ્થિત કર્યો છે. જ્ઞાની ભગવંતો કહે છે જીવને સમકિત ન થવાનું મુખ્ય કારણ કે જે મતભેદે આ જીવ ગ્રહાયો છે તે જ મતભેદ એને મુખ્ય આવરણ છે. ભાઈ ! તારું આવરણ બીજું કાંઈ નથી. તેં જ પોતાની મેળે, પોતાની આજુબાજુ જાળું ગુંથી લીધું છે કરોળિયાની જેમ. આ જાળું તારે જ ભેદવું પડશે. તો જ તું નીકળી શકીશ. મતભેદથી અનંતકાળે, અનંત જન્મે પણ આત્મા ધર્મ ન પામ્યો.' પત્રાંક-૩૬. આત્મા ધર્મ ન પામ્યો એનું કાર૪ મતભેદ, સ્વચ્છંદ-મત આગ્રહ.' સ્વચ્છંદથી પોતે મત નક્કી કરી લીધો. કેટલાય મત ચાલે છે સંસારમાં. એમાંથી પોતે પોતાને ગમતો, ફાવતો મત ગોઠવી લીધો અને પછી એનો આગ્રહ ઉપસ્થિત કર્યો. ભગવાન કહે છે, પોતાના સ્વચ્છંદ, મત અને આગ્રહ એ બધું છોડીને જે સદ્ગુરુ લક્ષે વર્તે - એટલે કે સદ્ગુરુએ જે લક્ષ બંધાવ્યો છે તે લક્ષે વર્તવાની શરૂઆત કરે તો સમકિત પામે.
અત્યાર સુધીનું એનું વર્તન કયા આધાર ઉપર છે ? સ્વચ્છંદ-મત અને આગ્રહના આધાર ઉપર છે. આ ત્રણ પરિબળના આધાર ઉપર જીવની વર્તના છે. આ વર્તના બદલાય, સમૂળગી બદલાય – કેવી રીતે બદલાય ? એનો આધાર શું ? એનું અધિષ્ઠાન શું ? એનું પ્રેરણાબળ અને ચાલકબળ કર્યું ' તો કહે
- શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - 76