SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ દીપ્રાષ્ટિ : દીપપ્રભા સમ જ્ઞાન’—દ્રવ્ય-ભાવ પ્રાણાયામ (૨૩) દન—આ દૃષ્ટિમાં દર્શન-મેધ સ્થૂલ પ્રકારના હોય છે, સૂક્ષ્મ-નિપુણ હાતા નથી. જો કે આગલી ત્રણ દૃષ્ટિ કરતાં વધારે સ્થિતિવાળા ને વધારે સામર્થ્યવાળા હાઇ, તેને દીપકના પ્રકાશની ઉપમા આપવામાં આવી છે, તે પણ સ્થણ આદિ દીપપ્રભા દૃષ્ટિની અપેક્ષાએ આ એધનુ' હજુ સ્થૂલપણુ છે. કારણ કે દીપકના પ્રકાશ સમજ્ઞાન * તૃણુ–ગામય–કાષ્ટના અગ્નિ કરતાં અનેકગણુા બળવાન્ ને વધારે સ્થિતિવાળા હાય છે, પણ રત્ન-તારા વગેરેની અપેક્ષાએ ઘણા અલ્પવીય ને મ છે; તેમ આ દીપ્રાષ્ટિના મેધ-પ્રકાશ મિત્રા આદિ કરતાં વધારે બળવાન ને વધારે સ્થિતિવાળા હાય છે, પણ સ્થિરા આદિ કરતાં મદને અલ્પ સ્થિતિવાળા હાય છે. દીપકના સાન્નિધ્યમાં તેના પ્રકાશ વર્તુલમાં આવતા પદાર્થાનુ દિગ્દર્શન થાય છે, પણ તેની બહારમાં દૂરવતી સૂક્ષ્મ વ્યવહિત પદાર્થાંનું દČન થતું નથી, તેમ ક્ષાપશમરૂપ તેલના પ્રમાણમાં આ દૃષ્ટિમાં પદાર્થને સ્થૂલ એધ થાય છે, પણ ક્રૂર વર્ત્તતા સૂક્ષ્મ અંતિરત પદાર્થનું દર્શન થતું નથી. દીવા તેલ હાય ત્યાંસુધી પ્રકાશે છે, તેલ છૂટી ગયે આલવાઇ જાય છે; તેમ આ દૃષ્ટિને એધ તથારૂપ ક્ષચેાપશમ હાય ત્યાંસુધી પ્રકાશે છે, પછી પ્રકાશતા નથી-એલવાઇ જાય છે. દીવા વાયરાના સપાટાથી એલવાય છે, અથવા અસ્થિર થાય છે, તેમ આ દૃષ્ટિના આધ પણ તથાપ્રકારના બાહ્ય નિમિત્તોરૂપ વાયુના સપાટાથી એલવાઈ જવાને-પડી જવાના ભય રહે છે, અથવા અસ્થિર–ચ'ચલ થવાને સભવ રહે છે, ઇત્યાદિ અનેક પ્રકારે આ દૃષ્ટિના બેાધને દીપકની ઉપમા ખરાખર ઘટે છે. અત્રે દૃષ્ટિ'ના અગાઉ કહેલા લક્ષણ પ્રમાણે સશ્રદ્ધાસંગત એધ હાય છે, તેથી કરીને અસત્ પ્રવૃત્તિના વ્યાઘાત થતા જાય છે, ને સત્પ્રવૃત્તિપદ નિકટ આવતું જાય છે. —* પ્રાણાયામ — “ બાહ્ય ભાવ રેચક ઇહાંજી, પૂરક અંતર ભાવ; કુંભક થિરતા ગુણૅ કરીજી, પ્રાણાયામ સ્વભાવ, મન”—શ્રી ચા॰ ૬૦ સજ્ઝાય ૪-૨ અત્રે મુખ્યપણે આધ્યાત્મિક ભાવપ્રાણાયામને નિર્દેશ છે. પણ પ્રાણાયામ નામના શ્વાસના રુંધનરૂપ બાહ્ય એવા હઠયોગના પ્રકાર છે, તે અત્રે મુખ્યપણે પ્રસ્તુત નથી, કારણ કે તે તે કાયકલેશરૂપ માત્ર હાઈ ચિત્તચ'ચલતાનું કારણ થવાને દ્રવ્ય પ્રાણાયામ સંભવ છે. આ ખાહ્ય પ્રાણાયામના ત્રણ પ્રકાર છે: (૧) શ્વાસને બહાર કાઢવા. તે રેચક* પ્રાણાયામ છે. (ર) શ્વાસને અંદર પૂરવા, તે પૂરક પ્રાણાયામ છે. (૩) શ્વાસને કુ ́ભમાં જલની જેમ નિશ્ચલપણે થાલી રાખવા, તે કુંભક પ્રાણાયામ છે. * " रेचकः स्याद्वहिर्वृत्तिरन्तिर्वृत्तिश्च पूरक: । कुंभक: स्तंभवृत्तिश्च प्राणायामस्त्रिधेत्ययम् ॥ धारणायोग्यता तस्मात् प्रकाशावरणक्षयः । अन्यैरुक्तः क्वचिच्चैतद्युज्यते योग्यतानुगम् ॥” (આધાર માટે જુએ.) યશા કૃત દ્વા॰ દ્વા
SR No.034351
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy