SearchBrowseAboutContactDonate
Page Preview
Page 738
Loading...
Download File
Download File
Page Text
________________ (૬૬૨) ગદષ્ટિસમુચ્ચય સ્થાતર જ છે. તેથી શું? તે કે-આ યોગીજ્ઞાન ભ્રાંત હોય; નહિં તે એનું અબ્રાંતપણું સતે, અવસ્થાભેદની ઉપપત્તિને લીધે, સિદ્ધસાધ્યતા થાય. ઉપરમાં પ્રમાણ શું એમ પૂછયું, એટલે વાદી કહે છે કે- ગીજ્ઞાન છે તે પ્રમાણ છે. તેને શાસ્ત્રકાર ઉત્તર આપે છે કે-જે તમે યેગીજ્ઞાનને પ્રમાણુ કહેતા હે તે તે ગીજ્ઞાન પોતે જ ગીનું અવસ્થાંતર જ છે. એટલે વાદી કહે છે–તેથી શું? તે યોગીનું અવસ્થાંતર છે, તો તેથી શું થઈ ગયું ? તે ઉપરથી તમે શું કહેવા માગો છો ? તેને સિદ્ધાંતકાર જવાબ આપે છે કે-આ ગીજ્ઞાન કાં તે બ્રાંત હોય ને કાં તો અબ્રાંત હાય. જે ભ્રાંત કહો તે તેને તમે પ્રમાણભૂત લેખ્યું શી રીતે ? અને જે અબ્રાંત કહે તે સિદ્ધસાધ્યતા થઈ. અર્થાત્ અબ્રાંત એવા અવસ્થાભેદની ઉ૫પત્તિ થઈ, એટલે અમે જે સાધવા માગતા હતા, તે જ તમે સ્વીકારીને સાધી આપ્યું ! જયાંથી તમે છટકવા માગતા હતા, ત્યાં જ આવીને તમે સપડાઈ ગયા ! એટલે હવે તમે અમારા મતને સ્વીકાર કર્યો હેવાથી, અમારે કાંઈ કહેવાપણું રહેતું નથી, કારણ કે યોગીજ્ઞાન એ જ પિતે તે યોગીનું અવસ્થાંતર છે. પૂર્વે તે યેગીજ્ઞાન હેતું, પછી થયું, એટલે એ આગલી અવસ્થામાંથી થયેલી જુદી અવસ્થા છે. અને આ તે અબ્રાંત છે–પ્રમાણભૂત છે એમ તમે કહો છો, એટલે તે અવસ્થાતર પણ અબ્રાંત છે, પ્રમાણભૂત છે, એમ તમે પણ સ્વીકાર કરે છે. ઇતિ સિદ્ધ નઃ સમીહિતમ! કિં બહુ જલ્પિતન ?—આમ એકાંત નિત્યપક્ષનું પણ અત્ર સુયુક્તિયુક્ત સન્યાયથી ખંડન કરવામાં આવ્યું. એટલે વસ્તુ કેવલ અભાવરૂપ પણ નથી, તેમજ કેવલ ભાવરૂપ પણ નથી, પણ ભાવાભાવરૂપ છે, એમ અનેકાંત સિદ્ધાંત અત્ર સુપ્રતિષ્ઠિત થયો. તાત્પર્ય કે–આત્મા દ્રવ્યથી નિત્ય છે, અને પર્યાયથી અનિત્ય છે. દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ આત્મા નિત્ય છે, પર્યાયાર્થિક નયની અપેક્ષાએ અનિત્ય છે–પર્યાયથી પલટાય છે. બાલ, યુવાન ને વૃદ્ધ એ ત્રણે અવસ્થાનું જ્ઞાન એક જ પુરુષને થાય છે. આત્મા દ્રવ્યે નિત્ય છે, પર્યાયે પલટાય; બાલાદિ વય ત્રણ્યનું, જ્ઞાન એકને થાય.”—શ્રી આત્મસિદ્ધિ. | તિ પ્રાન્તનિત્યનિયા Rળમ્ ! વસ્તુસ્વભાવ-સાર ક્ષણિકવાદી કહે છે કે-“આગલી પાછલી ક્ષણે વસ્તુને અભાવ છે, વર્તમાન ક્ષણે જ તેને ભાવ-હેવાપણું છે.” (૧) આ તેનું કથન યુક્તિથી અસંગત છે, કારણ કે તેના અભિપ્રાયે તે વર્તમાન ભાવવાળી તે છે, એટલે તે સદા તદૂભાવવાળીએકાંત અનિત્ય વર્તમાન ભાવવાળી હોવી જોઈએ. કારણ કે “સદા તદૂભાવથી તદુવતી હોય પક્ષ અયુક્ત એવો નિયમ છે. આમ તેની માન્યતા સાથે અવિધિથી તે વસ્તુ સદા વર્તમાન ભાવવાળી અર્થાત્ નિત્ય સિદ્ધ થશે. અને તે વર્તમાન ભાવને
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy